SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જેમ પ્રશ્નમાં જ સ્પષ્ટ લખ્યું છે – “જો આ પ્રમાણે નહીં કરાય તો એ તાર વાસ્તવિક રૂપથી તરત બળી જશે.” એનાથી સ્પષ્ટ છાય છે કે ઑક્સિજન નામના વાયુને બલ્બમાંથી હટાવવો જરૂરી છે. એબ્સોલ્યુટ વેક્યૂમ ભલે નહિ હોય, પણ ઑક્સિજનને તો બલ્બમાંથી હટાવ્યા વગર તારનું કંબશ્ચન થવાની સંભાવના રહે છે. જેને “ઑક્સિડેશન” કહેવાય છે. (અહીં ઑક્સિડેશનનો આ જ અર્થ છે નહીં કે ડી-ઇલેક્ટ્રોશન) એટલે એવું માનવું કે “થોડો ઑક્સિજન અંદર રહી જાય છે અથવા પ્રવેશ કરી લે છે” એ માન્યતા બિલકુલ ખોટી છે. બલ્બ બનાવનાર કંપની આ ચોકસાઈ રાખીને જ બલ્બ બનાવે છે કે એમાં ઑક્સિજનનો અંશ માત્ર પણ ન રહે. ૨. નિષ્ક્રિય વાયુ ભરેલા બલ્બમાં શૂન્ય (વાયુરહિત) નથી, પણ વાયુની નિષ્ક્રિયતા ને કારણે અગ્નિ પેદા જ થતી નથી. ૩. મૂળ પ્રશ્ન આ નથી કે બલ્બમાં એબ્સોલ્યુટ વેક્યુમ છે કે નહીં. મૂળ પ્રશ્ન એ છે કે જો ફિલામેન્ટ પ્રકાશ આપે છે, એ શું અગ્નિના રૂપમાં પ્રકાશ આપે છે? શું ત્યાં ઑક્સિજન છે? ઉપરના ઉદાહરણથી એ સ્પષ્ટ થાય છે કે પ્રશ્નકર્તાએ સ્વયં આ તો સ્વીકાર કરી લીધું છે કે નિષ્ક્રિય વાયુમાં અગ્નિની ક્રિયા નથી થઈ શકતી, તો પણ પોતાની પૂર્વ ધારણાને માનીને કોઈપણ રીતે એમાં “ઑક્સિજનનો પ્રવેશ સિદ્ધ કરવા મથે છે, જે વૈજ્ઞાનિક દૃષ્ટિથી પણ સંભવ નથી, અને જૈન દૃષ્ટિથી પણ સંભવ નથી. આનો સારાંશ એ છે કે બલ્બમાં પૂર્ણ શૂન્યાવકાશ સંભવ છે જ નહીં. એટલે એમાં રહેલો ઑક્સિજન ઑક્સિડેશન દ્વારા અગ્નિ ઉત્પન્ન કરી શકે છે - એ કહેવું ખોટું છે. વેક્યૂમનો અર્થ વાયુનો અભાવ છે, પદાર્થ-શૂન્યતા નહીં. જો પૂર્ણ શૂન્યાવકાશ કરવાનું પણ સંભવ ન હોય તો પણ એમ કહેવું ખોટું થશે કે એમાં બચેલો ઑક્સિજન બલ્બની અંદર બળવાની ક્રિયા માટે જવાબદાર છે, પહેલા તો એ સ્વીકાર કરવું જોઈએ કે બલ્બમાં હંમેશાં શૂન્યાવકાશ (વાયુરહિત) હોય જ, એ જરૂરી નથી. અગાઉ પણ બતાવાઈ ગયું છે કે નાઇટ્રોજન, આગોર્ન આદિ નિષ્ક્રિય વાયુને બલ્બમાં એટલા માટે રાખવામાં આવે છે કે ઑક્સિજન પૂર્ણ માત્રામાં સમાપ્ત થઈ જાય જેથી ઑક્સિડેશન ન થાય. આ પ્રમાણે અહીં બલ્બને વાયુરહિત કરવાની અપેક્ષા જ નથી. નિષ્ક્રિય વાયુમાં બલ્બ સારી રીતે પ્રકાશિત થાય છે. [ સંસ્ટનનું બાષ્પીભવન ગરમીથી પીગળવાના કારણે થાય છે. ન કે એના 163 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy