________________
શ્રીમદ્ સદ્ગુરવે નમોનમઃ શ્રીમત્યુંદકુંદાચાર્યવિરચિત
શ્રી સમયસાર
(સરળ સંક્ષિપ્ત અનુવાદ)
૧. જીવાજીવ અધિકાર
અનુષ્ટુપ
नमः समयसाराय स्वानुभूत्या चकासते । . चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे ॥१ ॥
સમયસાર-શુદ્ધાત્મા-ને મારા નમસ્કાર હો. તે શુદ્ધાત્મા કેવો છે ? (૧) ભાવ-સત્તા સ્વરૂપ છે, (૨) ચેતના સ્વભાવવાળો છે, (૩) સ્વાનુભૂતિથી પ્રકાશે છે, એટલે પોતાથી પોતાને પ્રત્યક્ષપણે જાણે છે અને (૪) પોતાથી ભિન્ન સર્વ જીવ-અજીવ ચરાચર પદાર્થોને તેના ત્રણે કાળના ગુણપર્યાય સહિત એક સમયે જાણે છે.
નાસ્તિક આત્માનો અભાવ માને છે, તૈયાયિક આત્માને નિર્ગુણ માને છે, જૈમિનીય જ્ઞાનને સર્વથા પરોક્ષ માને છે અને મીમાંસક સર્વજ્ઞનો અભાવ માને છે; તે સર્વનું સમયસારનાં આ ચાર વિશેષણો વડે નિરાકરણ થાય છે. (કલશ ૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org