________________
પરિશિષ્ટ
૩૪૧
સંસારની પીડા સ્પર્શ કરે છે અને એક તરફથી સંસારના અભાવરૂપ મુક્તિ પણ સ્પર્શે છે; એક તરફથી ત્રણે લોક સ્લરી રહ્યા છે અને એક તરફથી કેવલ ચૈતન્ય પ્રકાશે છે. આ પ્રમાણે આત્માનો સ્વાભાવિક મહિમા અભુતથી અભુતપણે વિજય પામે છે. *
(કલશ ૨૭૪) માલિની जयति सहजतेजः पुंजमजत्रिलोकीस्खलदखिलविकल्पोऽप्येक एव स्वरूपः। . स्वरसविरसपूर्णाच्छिन्नतत्त्वोपलंभः प्रसभनियमितार्चिश्चिच्चमत्कार एषः ॥२७५ ॥ જેમાં ત્રણ લોક મગ્ન થાય છે એવો સહજ તેજનો પંજ હોવાથી તેમાં આવી પડતા સંપૂર્ણ ભેદવાળો દેખાય છે છતાં જે એક પોતાના જ સ્વરૂપવાળો છે, અને પોતાના આત્મરસના વિસ્તારથી પૂર્ણ એવા તત્ત્વની પ્રાપ્તિ જેની અછિન્ન છે (કર્મ દૂર થતાં પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરવાની શક્તિ દરેક આત્મામાં છે) એવો અને અત્યંત બળપૂર્વક નિયમિત થતી જ્યોતિરૂપ આ ચિચમત્કારઅદ્ભુત ચૈતન્ય-વિજય પામે છે.
(કલશ ર૭૫)
अविचलितचिदात्मन्यात्मनात्मानमात्मन्यनवरतनिमग्नं धारयद् ध्वस्तमोहम् । उदितममृतचंद्रज्योतिरेतत्समंताज्ज्वलतु विमलपूर्ण नि:सपनस्वभावम् ॥२७६ ।। આત્માવડે આત્મામાં નિરંતર નિમગ્ન થયેલા આત્માને ધારણ કરતી અને જેણે મોહરૂપી અંધકારનો નાશ કર્યો છે એવી આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org