________________
પરિશિષ્ટ
૩૩૧
એ જ્ઞાનરૂપ પ્રસિદ્ધ લક્ષણની સાથે અવિનાભાવી અનંત ધર્મોના સમુદાયની મૂર્તિરૂપ આત્મા છે. તેથી જ્ઞાનમાત્રમાં અચળ સ્થિર દૃષ્ટિ કરવા વડે તે જ્ઞાન સાથે અવિનાભૂત, ક્રમે પ્રવર્તતા (પર્યાય) અને અક્રમે પ્રવર્તતા (ગુણો) એવા અનંત ધર્મોના સમૂહ જેટલા જેટલા દેખાય છે તે સર્વ સમસ્તપણે ખરેખર એક આત્મા જ છે. એમ બધા ધર્મો જ્ઞાનમાત્રમાં જણાતા હોવાથી આ સમયસાર ગ્રંથમાં આત્માને જ્ઞાનમાત્ર કહ્યો છે. પરસ્પર ભિન્ન સ્વરૂપને ધારણ કરનારા અનંત ધર્મોના સમુદાયને પ્રકાશિત કરવામાં જ્ઞાનગુણ પરિણમે છે તેથી આત્માના સર્વ ધર્મો એક જ્ઞાનના પરિણમનરૂપ થાય છે. જ્ઞાનથી જાણે ત્યારે જણાય. એ રીતે જ્ઞાનમાં બધા સમાય છે. વળી તે બધા ધર્મો લક્ષણભેદથી ભિન્ન કહેવાય છે. પરંતુ પ્રદેશથી અભિન્ન છે. અર્થાત્ જ્યાં જ્ઞાન છે ત્યાં જ તે સર્વ ધર્મો રહેલા છે, તેથી એક જ્ઞાન કહેતાં તે સર્વ ધર્મો સહિત આત્માનું ગ્રહણ થાય છે.
એ રીતે આત્મામાં જે અનંત ધર્મો અથવા શક્તિઓ છે તે સર્વ જ્ઞાનમાત્ર ભાવમાં ઝળકતી જણાય છે. તે શક્તિઓમાંથી થોડીક અહીં ગણાવે છે :
૧.
આત્મદ્રવ્યના મૂળહેતુ ચૈતન્યભાવને ધારણ કરનારી જીવત્વશક્તિ.
૩.
૨. આત્માને જડરૂપ ન થવા દે તેવી ચિત્ શક્તિ. અનાકાર સામાન્ય ઉપયોગ લક્ષણવાળી દર્શનશક્તિ. સાકાર વિશેષ ઉપયોગ લક્ષણવાળી જ્ઞાનશક્તિ.
૪.
૫. અનાકુળતા લક્ષણવાળી સુખશક્તિ.
પોતપોતાના સ્વરૂપે સર્વશક્તિઓને પ્રવર્તાવના૨ી વીર્યશક્તિ. આત્માના અખંડ પ્રતાપને સ્વતંત્ર રાખનારી પ્રભુત્વશક્તિ.
For Personal and Private Use Only
૭.
Jain Educationa International
www.jainelibrary.org