________________
૩૨૨
શ્રી સમયસાર રહેલો છે, એને પોતાનું ક્ષેત્ર નથી. તેને સ્યાદ્વાદી જ્ઞાની કહે છે કે આત્માનું પોતાનું ક્ષેત્ર છે તેમાં જ તે રહે છે.
શાર્દૂલવિક્રીડિત भिन्नक्षेत्रनिषण्णबोध्यनियतव्यापारनिष्ठ ः सदा सीदत्येव बहिः पतंतमभितः पश्यन्पुमांसं पशुः । स्वक्षेत्रास्तितया निरुद्धरभसः स्याद्वादवेदी पुनस्तिष्ठत्यात्मनिखातबोध्यनियतव्यापारशक्तिर्भवन् ॥२५४॥
ભિન્ન ક્ષેત્રમાં રહેલા જે શેય પદાર્થ તેને જાણવારૂપ નિશ્ચિત વ્યાપારમાં તત્પર એવા એકાંતવાદી અજ્ઞાની આત્માને હંમેશા ચારે બાજુથી બહાર જતો જોઈને દુઃખી થાય છે; અને સ્વક્ષેત્રે અસ્તિપણું માનવાવડે જેમણે પોતાના વેગને બહાર જતો રોક્યો છે એવા સ્યાદ્વાદી જ્ઞાની તો આત્મામાં પ્રતિબિંબિત થયેલા શેયપદાર્થોને જાણવારૂપ નિશ્ચિત વ્યાપારની શક્તિવાળા થતા પોતાના આત્મામાં રહે છે. અર્થાત્ ઉપયોગને આત્માકાર કરીને રહે છે ત્યાં પરદ્રવ્યને જાણવાની તેમની શક્તિ પણ વધે છે. (કલશ ૨૫૪)
(૮) ક્ષેત્રથી થાત્ નાતિ પરક્ષેત્રે આત્મા નથી.
શેયને જાણવાથી આત્મા શેયને ક્ષેત્રે જાય છે, તેને સ્વક્ષેત્રે લાવવા શેયનો ત્યાગ કરતો એકાંતવાદી એ રીતે આત્માનો નાશ થતો માનીને દુઃખી થાય છે; અને સ્યાદ્વાદી તો જ્ઞાનને સ્વક્ષેત્રમાં રહીને જ જોયાકારે પરિણમતું જાણીને પરક્ષેત્રે આત્માનું નાસ્તિત્વ માને છે.
શાર્દૂલવિક્રીડિત स्वक्षेत्रस्थितये पृथग्विधपर क्षेत्रस्थितार्थोज्झनात् तुच्छीभूय पशुः प्रणश्यति चिदाकारान् सहाथैर्वमन् ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org