SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૩૨૧ (૬) દ્રવ્યથી થાત્ નીતિ - આત્મા પરદ્રવ્યની અપેક્ષાએ નથી અર્થાત્ પરરૂપે અવિદ્યમાન છે. જ્ઞાનમાં જણાતા વિશ્વવ્યાપી પરદ્રવ્યોને પોતાનું સ્વરૂપ માનતા કોઈ બ્રહ્મ-અદ્વૈતવાદી આત્માનું વાસ્તવિક સ્વરૂપ ન જાણીને સર્વ પરદ્રવ્યમાં પોતાનું સ્વરૂપ માને છે તથા કોઈ આત્માને પંચભૂતથી બનેલા દેહરૂપ હોવાનું કહે છે; તેઓ આવી મિથ્યા માન્યતાથી આત્માનો નાશ કરે છે. અર્થાત આત્મતત્ત્વને પામી શકતા નથી, પરંતુ પારદ્રવ્યમાં આસક્ત થઈને ગાઢ કર્મબંધ કરે છે. તેમને સ્યાદ્વાદી જ્ઞાની કહે છે કે આત્મા કોઈ પરદ્રવ્યરૂપે છે નહિ અર્થાત્ પરદ્રવ્યની અપેક્ષાએ તે નાસ્તિરૂપ છે. શાર્દૂલવિક્રીડિત सर्वद्रव्यमयं प्रपद्य पुरुषं दुर्वासनावासितः स्वद्रव्यभ्रमतः पशुः किल परद्रव्येषु विश्राम्यति । स्याद्वादी तु समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां जानन्निर्मलशुद्धबोधमहिमा स्वद्रव्यमेवाश्रयेत् ॥२५३॥ આત્મા સર્વ પદ્રવ્યમય છે એમ પ્રતિપાદન કરીને પાપવાસનાથી યુક્ત અજ્ઞાની પશુ પારદ્રવ્યમાં પોતાના સ્વરૂપની ભ્રાંતિથી પરદ્રવ્યમાં વિશ્રાંતિ લે છે, અર્થાત્ તેને સેવે છે; અને સ્યાદ્વાદી જ્ઞાની તો સમસ્ત પરવસ્તુઓમાં પરદ્રવ્યપણે આત્મા નથી એમ જાણતા નિર્મળ શુદ્ધજ્ઞાનરૂપ મહિમાવાળા પોતાના દ્રવ્યનો જ આશ્રય કરે છે. (કલશ ર૫૩) (૭) ક્ષેત્રથી થાત્ ત - આત્મા સ્વક્ષેત્રમાં છે. પરક્ષેત્રે રહેલા પદાર્થોને જાણવામાં આત્મા પ્રવર્તે છે તેથી કોઈ એકાંતવાદી એમ માને છે કે આત્મા જોયાકાર થઈને પરક્ષેત્રમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy