________________
૨૪૬
શ્રી સમયસાર,
અનુછુપ भोक्तृत्वं न स्वभावोऽस्य स्मृतः कर्तृत्ववच्चितः । अज्ञानादेव भोक्तायं तदभावादवेदकः ॥१९६॥
આ ચેતનનો જેમ કર્તૃત્વસ્વભાવ નથી તેવી રીતે ભોસ્તૃત્વસ્વભાવ પણ નથી. અજ્ઞાનથી જ આ જીવ ભોક્તા છે. અને અજ્ઞાનનો અભાવ થવાથી અભોક્તા છે. (કલશ ૧૯૬)
તથા પ્રકારે આત્માનું અભોક્તાપણું બતાવે છે - अण्णाणी कम्मफलं पयडिसहावट्ठिओ दु वेदेइ । णाणी पुण कम्मफलं जाणइ उदियं ण वेदेइ ॥३१६॥ કર્મ તણાં ફળ વેદતો, પ્રકૃતિવશ જો અજ્ઞ, ઉદિત કર્મફળ જાણતા, પણ વેદ નહિ વિજ્ઞ. ૩૧૬
અજ્ઞાની જીવ શુદ્ધાત્મજ્ઞાનના અભાવમાં આત્મા અને કર્મનો ભેદ સમજવાને અસમર્થ હોવાથી આત્મસ્વરૂપ અને પ્રકૃતિ સ્વભાવને એક જાણે છે, એક શ્રદ્ધે છે અને તેમાં તન્મય થઈને એકરૂપે પરિણમે છે, તેથી કર્મના ફળને અહંભાવપૂર્વક અનુભવતો કર્મનો ભોક્તા થાય છે. જ્ઞાની તો શુદ્ધાત્મજ્ઞાનના સદ્ભાવથી આત્મસ્વરૂપનો અને પ્રકૃતિ સ્વભાવનો ભેદ જાણવાને સમર્થ છે; તેથી ભેદજ્ઞાનવડે આત્મસ્વરૂપ અને પ્રકૃતિ સ્વભાવને ભિન્ન જાણે છે, ભિન્ન શ્રદ્ધ છે અને ભિન્નપણે પરિણમે છે; તેથી પ્રકૃતિસ્વભાવને છોડીને એક શુદ્ધાત્મભાવને જ અહંપણે અનુભવતા ઉદયાગત કર્મફલને માત્ર જાણે છે, પરંતુ પોતાને તે રૂપ ન માનતા તેમાં હર્ષવિષાદપૂર્વક ન પરિણમતા હોવાથી ભોક્તા થતા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org