SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. મોક્ષ અધિકાર ૨૩૭ જ્ઞાનીજન-આશ્રિત. અજ્ઞાનીજન-આશ્રિત અપ્રતિક્રમણાદિ વિષયકષાયની પરિણતિરૂપ હોવાથી વિષકુંભ જ છે. પરંતુ જ્ઞાનીજન-આશ્રિત અપ્રતિક્રમણાદિ તો શુદ્ધાત્માનાં સમ્યફ શ્રદ્ધાજ્ઞાનપરિણતિરૂપ ત્રિગુપ્તિયુક્ત હોવાથી અમૃતકુંભ છે. તે અપ્રતિક્રમણાદિરૂપ ત્રીજી ભૂમિકા તો સ્વયં શુદ્ધાત્મસિદ્ધિરૂપે સર્વ અપરાધ અને દોષરૂપ વિષને નાશ કરતી હોવાથી સાક્ષાત્ સ્વયં અમૃતકુંભ જ છે. - જે દ્રવ્યપ્રતિક્રમણાદિરૂપ બીજી ભૂમિકા છે તે શુદ્ધભાવરૂપ ત્રીજી ભૂમિકાને લક્ષે કરવામાં આવે તો સર્વ અપરાધરૂપ વિષને દૂર કરવાને સમર્થપણે અમૃતકુંભ છે. પરંતુ એ ત્રીજી ભૂમિકા ન જોનારને અર્થાત શુદ્ધભાવના લક્ષ વિના દ્રવ્યપ્રતિક્રમણાદિ દોષ દૂર કરવાને અસમર્થપણે વિપક્ષકારી અર્થાત્ શુભાશુભ બંધનું કારણ હોવાથી વિષકુંભ છે. એમ ત્રીજી ભૂમિકાના લક્ષે વ્યવહારથી પ્રતિક્રમણાદિને અમૃતકુંભપણું છે અને તે લક્ષના અભાવમાં દ્રવ્યપ્રતિક્રમણાદિને પણ અપરાધપણું છે. તેથી તૃતીયભૂમિકાથી જ નિરપરાધપણું છે એમ નક્કી થાય છે. તે ભૂમિકાની પ્રાપ્તિ માટે જ આ દ્રવ્યપ્રતિક્રમણાદિ કરવાયોગ્ય છે. આથી એમ ન સમજવું કે વ્યવહારસૂત્ર અનુસાર પ્રતિક્રમણાદિ જયવંત છે, કારણ કે પ્રતિક્રમણાદિ વડે મોક્ષ નથી. પરંતુ અપ્રતિક્રમણ અને પ્રતિક્રમણ સિવાયની જે જ્ઞાનીજન-આશ્રિત અપ્રતિક્રમણાદિરૂપ શુદ્ધાત્મસિદ્ધિલક્ષણવાળી દુષ્કર ભૂમિકા છે તેથી મોક્ષ છે. નિશ્ચયથી એ જ અમૃતકુંભ છે અને એ લક્ષ દ્રવ્યપ્રતિક્રમણાદિ કરાય તો વ્યવહારથી અમૃતકુંભ છે. નિશ્ચયથી તો તે પણ વિષકુંભ જ છે. વ્યવહારથી અમૃતકુંભ થવાનું કારણ ત્રીજી ભૂમિકાનો લક્ષ છે તેથી ત્રીજી ભૂમિકા જ જયવંત વર્તે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy