SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. મોક્ષ અધિકાર ર૩પ માલિની अनवरतमनंतैर्बध्यते सापराधः स्पृशति निरपराधो बंधनं नैव जातु । नियतमयमशुद्धं स्वं भजन्सापराधो भवति निरपराधः साधु शुद्धात्मसेवी . ॥१८७॥ સાપરાધ જીવ નિરંતર અનંત કર્મોવડે બંધાય છે અને નિરપરાધ જીવ કદી પણ બંધને સ્પર્શતો નથી. પોતાના અશુદ્ધ સ્વરૂપને ભજતો આ જીવ નિયમથી સાપરાધ હોય છે અને શુદ્ધાત્માને સેવનાર સાધુપુરુષ નિયમથી નિરપરાધ હોય છે. (કલશ ૧૮૭) અહીં શિષ્ય પ્રશ્ન પૂછે છે : હે ભગવન્ ! પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાન કરવા વડે જ આત્મા નિરપરાધ થઈ શકે છે તો પછી આ શુદ્ધાત્માની આરાધનામાં પ્રયત્ન કરવાનું શું પ્રયોજન છે ? વળી સાપરાધને અપ્રતિક્રમણાદિ, અપરાધનો નાશ કરનાર ન હોવાથી વિષકુંભ છે અને પ્રતિક્રમણાદિ, અપરાધનો નાશ કરનાર હોવાથી અમૃતકુંભ છે. વ્યવહારસૂત્રમાં કહ્યું છે કે : अप्पडिकमणमपडिसरणं अप्पडिहारो अधारणा चेव ।। अणियत्ती य अणिंदाऽगरुहाऽसोही य विसकुंभो ॥१॥ पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य ।। णिंदा गरुहा सोही अट्ठविहो अमयकुंभो दु ॥२॥ અપ્રતિક્રમણ, અપ્રતિસરણ, અપ્રતિહરણ, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગઈ, અશુદ્ધિ, એ આઠ પ્રકારે વિષકુંભ છે. તથા પ્રતિક્રમણ, અતિસરણ, પ્રતિહરણ, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગર્તા, શુદ્ધિ એ આઠ પ્રકારે અમૃતકુંભ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy