________________
શ્રી સમયસાર
૨૩૦
જોઉં છું, જોનાર માટે જોઉં છું, જોનારથી જોઉં છું, જોનારમાં જોઉં છું, જોનારને જોઉં છું. અથવા નિર્વિકલ્પ સમાધિમાં સર્વ વિકલ્પ રહિત હોવાથી જોનાર એવો હું જોતો નથી, જોનાર વડે જોતો નથી, જોનાર માટે જોતો નથી, જોનારથી જોતો નથી, જોનારમાં જોતો નથી, જોનારને જોતો નથી પરંતુ સર્વવિશુદ્ધ દર્શન માત્ર ભાવ હું છું.
..
વળી હું જ્ઞાતા આત્માને ગ્રહણ કરું છું. જે હું ગ્રહણ કરું છું તે વાસ્તવિક માત્ર જાણું જ છું. જાણનાર એવો હું જાણું છું, જાણનાર વડે જાણું છું, જાણનાર માટે જાણું છું, જાણનારથી જાણું છું, જાણનારમાં જાણું છું, જાણનારને જાણું છું. અથવા નિર્વિકલ્પ સમાધિમાં સર્વ વિકલ્પ રહિત હોવાથી જાણનાર એવો હું જાણતો હું નથી, જાણનાર વડે જાણતો નથી, જાણનાર માટે જાણતો નથી, જાણનારથી જાણતો નથી, જાણનારમાં જાણતો નથી, જાણનારને જાણતો નથી, પરંતુ સર્વવિશુદ્ધ જ્ઞાન માત્ર ભાવ હું છું.
એમ ચેતના દર્શનજ્ઞાનરૂપ પોતાના સામાન્ય અને વિશેષ સ્વરૂપને ઓળંગતી નથી, જો ઓળંગે તો સામાન્યવિશેષ રહિત થવાથી ચેતના જ ન રહે, તે ચેતનાના અભાવમાં બે દોષ આવે-૧. સ્વગુણના નાશથી ચેતનાનું અચેતનપણું થાય અથવા ૨. વ્યાપક એવા ગુણોના અભાવથી વ્યાપ્ય એવા દ્રવ્યનો અભાવ થાય. તેથી તે દોષો દૂર કરવા દર્શનજ્ઞાનમયી ચેતના માન્ય કરવાયોગ્ય છે. શાર્દૂલવિક્રીડિત अद्वैतापि हि चेतना जगति चेद् दृग्ज्ञप्तिरूपं त्यजेत् तत्सामान्यविशेषरूपंविरहात्साऽस्तित्वमेव त्यजेत् । तत्त्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापकादात्मा चान्तमुपैति तेन नियतं दृग्ज्ञप्तिरूपास्तिचित् ॥१८३॥
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org