SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર સ્વભાવમાં સ્થિરતા પણ કરાય છે. એ સર્વ ક્રિયા પ્રજ્ઞા વડે એક જ ક્ષણમાં કરી શકાય છે. એવું તે પ્રજ્ઞાનું અદ્ભુત માહાત્મ્ય હોવાથી અહીં મોક્ષપ્રકરણમાં તેને ભગવતી પ્રજ્ઞા કહી છે. ૨૨૮ આત્મા પ્રજ્ઞા વડે કેવી રીતે ગ્રહણ કરાય છે ? તે કહે છે पणाए घित्तव्वो जो चेदा सो अहं तु णिच्छयदो । अवसेसा जे भावा ते मज्झ परेति णायव्वा ॥ २९७ ॥ નિશ્ચય પ્રજ્ઞાગ્રાહ્ય જે, ચેતન તે હું-રૂપ; સકલ ભાવ અવશેષ તે, મુજથી ભિન્ન સ્વરૂપ. ૨૯૭ પ્રજ્ઞા વડે પોતાના લક્ષણોથી ઓળખીને ભિન્ન કરાયેલો જે આ શુદ્ધાત્મા તે હું છું. અને તેનાં ભિન્ન લક્ષણોથી ઓળખાતા જે આ રાગાદિ ભાવો વ્યવહારથી આત્માના કહેવાય છે તે ચૈતન્યસ્વરૂપ આત્મામાં વ્યાપતા ન હોવાથી નિશ્ચયનયે મારાથી અત્યંત ભિન્ન છે. તેથી હું પોતે જ, મારા વડે જ, મારા માટે જ, મારાથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. અને ચેત એટલે જ્ઞાનદર્શનરૂપે ઉપયોગનું પરિણમવું તેમાં કર્તા કર્મ ને ક્રિયા ત્રણે અભેદપણે આત્મારૂપ હોવાથી જે શુદ્ધાત્માને ગ્રહણ કરું છું તે ચેતનાર એવો હું ચેતું છું, ચેતનાર વડે ચેતું છું, ચેતનાર માટે ચેતું છું, ચેતનારથી ચેતું છું, ચેતનારમાં ચેતું છું, ચેતનારને ચેતું છું. અથવા નિર્વિકલ્પ સમાધિમાં સર્વ વિકલ્પ રહિત હોવાથી ચેતનાર એવો હું ચેતતો નથી, ચેતનાર વડે ચેતતો નથી, ચેતનાર માટે ચેતતો નથી, ચેતનારથી ચેતતો નથી, ચેતનારમાં ચેતતો નથી, ચેતનારને ચેતતો નથી; પરંતુ સર્વવિશુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ હું છું. શાર્દૂલવિક્રીડિત भित्त्वा सर्वमपि स्वलक्षणबलाद् भेत्तुं हि यच्छक्यते चिन्मुद्रांकितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम् । For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy