SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦] દર્શાવ્યું છે, તેને મળતો શ્રી કુન્દકુન્દ્રાચાર્યનો સમય પણ હશે એમ શ્રી સમયસાર વાંચનારને સ્પષ્ટ સમજાય તેવું છે. તેથી તે પત્રમાંથી નીચે અવતરણ આપ્યું છે.: “ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્કક્રિયાપ્રધાનપણામાં જીવે મોક્ષમાર્ગ કચ્યો છે, અથવા બાહ્યક્રિયા અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ કથ્થો છે; અથવા સ્વમતિકલ્પનાએ અધ્યાત્મગ્રંથો વાંચી કથનમાત્ર અધ્યાત્મ પામી મોક્ષમાર્ગ ઉધ્યો છે. એમ કલ્પાયાથી જીવને સત્સમાગમાદિ હેતુમાં તે તે માન્યતાનો આગ્રહ આડો આવી, પરમાર્થ પામવામાં સ્તંભભૂત થાય છે. જે જીવો શુષ્કક્રિયાપ્રધાનપણામાં મોક્ષમાર્ગ કહ્યું છે, તે જીવોને તથારૂપ ઉપદેશનું પોષણ પણ રહ્યા કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ મોક્ષમાર્ગ ચાર પ્રકારે કહ્યો છતાં પ્રથમનાં બે પદ તો તેમણે વિસાર્યા જેવું હોય છે; અને ચારિત્ર શબ્દનો અર્થ વેષ તથા માત્ર બાહ્ય વિરતિમાં સમજ્યા જેવું હોય છે. તપ શબ્દનો અર્થ માત્ર ઉપવાસાદિ વ્રતનું કરવું તે પણ બાહ્ય સંજ્ઞાથી તેમાં સમજ્યા જેવું હોય છે; વળી ક્વચિત જ્ઞાન-દર્શન પદ કહેવાં પડે. તો ત્યાં લૌકિક કથન જેવા ભાવોનાં કથનને “જ્ઞાન” અને તેની પ્રતીતિ અથવા તે કહેનારની પ્રતીતિને વિષે “દર્શન’ શબ્દનો અર્થ સમજવા જેવું રહે છે. જે જીવો બાહ્ય ક્રિયા (એટલે દાનાદિ) અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ સમજે છે, તે જીવો શાસ્ત્રોના કોઈ એક વચનને અણસમજણભાવે ગ્રહણ કરીને સમજે છે. દાનાદિ ક્રિયા જો અહંકારાદિથી, નિદાનબુદ્ધિથી કે જ્યાં તેવી ક્રિયા ન સંભવે એવા છઠ્ઠા ગુણસ્થાનાદિ સ્થાને કરે તો તે સંસારહેતુ છે, એમ શાસ્ત્રોનો મૂળ આશય છે, પણ સમૂળગી દાનાદિ ક્રિયા ઉત્થાપવાનો શાસ્ત્રોનો હેતુ નથી; તે માત્ર પોતાની મતિકલ્પનાથી નિષેધ છે. તેમજ વ્યવહાર બે પ્રકારના છે; એક પરમાર્થ મૂળહેતુ વ્યવહાર અને બીજો વ્યવહારરૂપ વ્યવહાર પૂર્વે આ જીવે અનંતી વાર કર્યા છતાં આત્માર્થ થયો નહીં એમ શાસ્ત્રોમાં વાક્યો છે, તે વાક્ય ગ્રહણ કરી સચોડો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy