SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીગુરુદેવની ચિર-વિદાય અવર્ણનીય હતે. એ આલ્હાદ જેવાં કેઈને કહ૫ના સરખીય નહોતી આવતી, કે ગુરુદેવને આપણને વિયોગ થશે. વૈશાખ સુદી ૭ નો દિવસ આવ્યો. આજે શ્વાસનું જોર વધ્યું. સાધુ-સાધ્વી આદિ સકલ શ્રીસંઘ આહાર-પાણી વિ. સર્વ કાર્ય છેડીને ગુરુદેવની તહેનાતમાં જ બેઠા હતા. ચાર શરણા-અને નવકાર મહામંત્રનું શ્રવણ ચાલુ જ હતું. ગુરુદેવના મુખમાં પણ એકમાત્ર “રદંત-સિદ્ધ-સાદુ” નું જ ઉચ્ચારણ હતું. ડોકટર–વૈદ્યો પોતાના ઉપચાર કર્યો જ જતા હતા, પણ “દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારૂં કોણ છે?” એ ઉક્તિ અનુસાર એકેય ઉપચાર સફળ ન જ થયે. અને છેવટે-દિંત સિદ્ધ સાદુ આ અષ્ટાક્ષરી મંત્રનું સ્મરણ કરતાં કરતાં સંપૂર્ણ સમાધિભાવે રહેલા પૂજ્યપાદ ગુરુદેવ આ નશ્વર-દેહનો ત્યાગ કરીને સ્વર્ગલોકના પંથે સંચર્યો. ઘડિયાળને કાંટે ત્યારે ૯ કલાક ઉપર ૩૦ મિનિટનો સમય દર્શાવતો હતો. સકલ સંઘના દુઃખને પાર ન રહ્યો. શિષ્ય પરિવારના દુઃખની તો વાત જ શી કરવી? આ દુઃખદ-આઘાતજનક સમાચાર પાલિતાણા પૂ. શ્રી દાનવિજયજી મ. તથા સ્વ. પૂજ્ય ગુરુદેવના પ્રિય-શિષ્યરત્ન આપણું ચરિત્રનાયકશ્રીને મળ્યા. તેમના દુઃખનેય કઈ પાર ન રહ્યો. આપણા ચરિત્રનાયકશ્રીને જાણે વાઘાત થયો. આખે આંસુની ધારા વહી રહી. ખાવુંપીવું ઝેર થઈ ગયું. અણધાર્યો આ બનાવ બનવાથી ગુરુદેવની અંતિમ સેવામાં પિતે હાજર ન રહી શક્યા, એ વિચાર આવતાં જ તેઓ ગમગીન બની ગયા. પણ શું થાય ? ભાવિ આગળ કેઈનું ચાલતું નથી, આ વાત તેઓશ્રી સારી રીતે સમજતા હતા. તેઓએ જ્ઞાનદષ્ટિથી વિચાર્યું કે-હવે તે પૂ. ગુરુદેવ જેવા ગુણ કેળવીને એમની શાસન-સેવાની અભિલાષાઓ પૂર્ણ કરવી જોઈએ. આ વિચાર આવતાં જ તેઓશ્રી મનોમન શાસનની સેવા કરવા માટે કૃતનિશ્ચયી બન્યા. ત્યારપછી તો ૧૯૪ર્લ્ડ ચેમાસું તેઓએ પાલિતાણામાં જ કર્યું. આ ચાતુર્માસમાં સતત અધ્યયન-અધ્યાપન કાર્યમાં તત્પર રહેવા છતાંય, અને શારીરિક સ્વસ્થતા જોઈએ તેવી ન હોવા છતાંય, તેઓશ્રી દસ તિથિના ઉપવાસ કરતા. પાઠશાળામાં અધ્યયન-અધ્યાપન કાર્ય વેગપૂર્વક ચાલી રહ્યું હતું. આ પાઠશાળામાં શ્રાવકવિદ્યાથી પણ અભ્યાસ કરતા હતા. જેમાં શ્રી મેહનલાલભાઈ (પૂજ્ય આ. શ્રી મેહનસૂરિજી મ.) તથા શ્રી વિઠ્ઠલદાસ મગનલાલ ભટ્ટારક (પૂ. શ્રી ખાન્તિવિજજી-દાદાના શિષ્ય મુનિશ્રી મેહનવિજયજી મ.) વિગેરે મુખ્ય હતા. આ ચોમાસામાં પૂજ્યશ્રી દાનવિજ્યજી મહારાજે સ્વામિનારાયણ પંથના એક વિદ્વાન સાધુ સાથે સતત છ કલાક સુધી સંસ્કૃતમાં વિવાદ કરીને જયપતાકા મેળવી. એમાં આપણું પૂજ્યશ્રીએ પણ મહત્વને અને પૂરક ભાગ લીધે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy