SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વયંદીક્ષા એક-એક જીવનપ્રસંગે મહાન જ હોય છે. અને એમાં જ એ મહાપુરુષોની મહત્તાનાં મૂલ્ય અંકાયેલા હોય છે. હવે બધાં ઉપકરણો પિતાની પાસે આવી ગયા હતા. એક પિતે, અને બીજા રત્નવિજયજી મ. સિવાય બીજું કઈ-ગુરૂમહારાજ સુદ્ધાં પણ આ વાત નહતા જાણતા). અનેએક શુભ દિવસે આપણા મહાન ચરિત્રનાયકશ્રી નેમચંદભાઈ એ એકાન્તમાં સાધુવેશ ધારણ કરી લીધું. અને પછી હાથમાં એ ગ્રહી હસતે મુખડે તેઓ ગુરુમહારાજશ્રી પાસે ઉપસ્થિત થયા. ગુરુમ. તો આ જોઈને ચમકી જ ગયા. તેઓ તરત જ બોલી ઉઠ્યાઃ અરે નેમચંદ! આ શું ? તને દીક્ષા કોણે આપી? તેમણે જણાવ્યું. ગુરુદેવ! મને કેઈએ દીક્ષા નથી આપી. પરંતુ મેં સ્વયંમેવ સાધુવેશ પહેર્યો છે. હવે આપના ચરણકમલમાં ઉપસ્થિત થયો છું. કૃપા કરીને મને દીક્ષાને મંગળવિધિ કરાવે. આ સાંભળીને ગુરુમહારાજ વિચારમાં પડી ગયા. તેમના મનમાં હજુ દ્વિધા હતી કે માતાપિતાની સંમતિ વિના દીક્ષા આપીશ, તે પાછળથી કંઈક તોફાન જેવું તે નહીં થાયને ? આપણા ચતુર ચરિત્રનાયકશ્રી ગુરુ મ. ને મનભાવ સમજી ગયા. તેઓ તુરત જ બેલી ઉઠયાઃ સાહેબ ! આપનિઃસંદેહ અને નિઃશંક રહેજો. બધી જવાબદારી મારે માથે જ રહેવા દો. આપ તો જે આવે તેને બેધડક કહી શકશે કે–મેં એને દીક્ષા આપી નથી, એણે સ્વયં વેશ પહેરી લીધું છે. કૃપા કરીને હવે મને વિધિપૂર્વક આપને શિષ્ય બનાવો. ગુરુ મ. પણ પંજાબી હતા. તેમણે આ સાંભળી વિચાર્યું કે “ પડશે એવા દેવાશે.” અને તુર્ત જ તેઓશ્રીએ શ્રીનેમચંદભાઈને દીક્ષાને સંપૂર્ણ મંગળ વિધિ કરાવ્યું. અને પિતાના શિષ્ય તરીકે સ્થાપ્યા, તેમનું શુભ નામ “મુનિશ્રી નેમિવિજયજી” પાડ્યું. વિ. સં. ૧૯૪૫ ની એ સાલ હતી. જેઠ સુદ સાતમને એ ઉત્તમ દિવસ હતો. આજે એમના હર્ષોલ્લાસને કોઈ પાર નહોતો. આજે એમની ભાવના સફળતાનાં શિખરે પહોંચી હતી. તેમને આજે સ્વ-પરકલ્યાણકારી રાહની પ્રાપ્તિ થઈ ચૂકી હતી, અને મહાન ગુરુદેવનું શરણું પણ મળી ગયું હતું. તેઓ પોતાના જીવનને ધન્યતમ માનવા લાગ્યા. અને જ્ઞાન-ધ્યાન-સંયમનું પાલન તેમજ શ્રી ગુરુદેવની સેવામાં તેઓ એકાગ્રચિત્તે લીન બની ગયા. દીક્ષા લીધી એટલે બધાંને ખબર તો પડે જ. મહુવા શ્રીલક્ષમીચંદભાઈને પણ ખબર પડી. તેઓ તુર્ત જ દોડાદોડ ભાવનગર આવ્યા. તેઓ અત્યારે મોહવશ હતા, એટલે તેમની તો એ જ ઈચ્છા હોય કે ગમે તે પ્રકારે દીકરાને ઘરે લઈ જ. તેઓએ ઉપાશ્રયે જઈને પૂ. ગુરુ મ. ને પૂછ્યું કે-અમારી રજા વિના દીક્ષા કેમ આપી? ગુરુમહારાજે તો કહ્યું કેતેણે સ્વયં વેશ પહેરી લીધું છે. આ સાંભળીને તેઓ પહોંચ્યા આપણું ચરિત્રનાયક પાસે. એમને ધમકાવ્યા, ડરાવ્યા, સમજાવ્યાય ખરા. પણ તેઓ તે મેવત્ અડગ હતા. તેમણે કહ્યું કે-મેં મારી ઈચ્છાથી દીક્ષા લીધી છે અને મારી વાતમાં હું મક્કમ જ છું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy