________________
[૧૦]
સ્વયંદીક્ષા
સંસાર-સમુદ્રને તરવાને સફળ ઉપાય એટલે જ દીક્ષા. દીક્ષા એટલે એક્ષમહેલનું પ્રવેશદ્વાર દીક્ષા એટલે અન્તરંગ શત્રુઓને જીતવાનું અમેઘ બ્રહ્માસ્ત્ર. દીક્ષા એટલે જેનેને જીવનમંત્ર.
પ્રત્યેક જૈન દીક્ષાની ઈચ્છા રાખે છે. સંસારમાં ગળાબૂડ રચ્યાપચ્યા રહેવા છતાંય હૈયામાં દીક્ષાની અભિલાષા સેવે એનું નામ સાચે જૈન.
ત્રિભુવનનાયક જિનેશ્વરદેવેને પણ દીક્ષા ગ્રહ્યા પછી જ ચોથું મના પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે.
આ છે દીક્ષાને પ્રભાવ. આવું છે દીક્ષાનું અદ્ભુત માહાસ્ય.
આવી દીક્ષા લેવા માટે આપણું ચરિત્રનાયકશ્રી ઉત્કંઠિત બન્યા હતા. જૈન ધર્મના પરમ શ્રદ્ધાળુ અને સમજુ હોવા છતાંય મોહાધીન બનેલા લક્ષ્મીચંદભાઈ એમને એ માટે રજા નહોતા આપતા.
અને એ જ કારણે ગુરુશ્રી દીક્ષા પણ નહોતા આપતા. પણ નેમચંદભાઈ તે કેઈપણ ઉપાયે દીક્ષા લેવા માટે મક્કમ જ હતા. એને કોઈ ઉપાય શોધવા માટે એમની કુશાગ્ર બુદ્ધિ કામે લાગી ગઈ હતી.
પછી તે “ધિ% વ તા” જેની બુદ્ધિ એનું બળ. એમણે એક ઉપાય શોધી કાઢો. એને અજમાવવાનો પણ પૂર્ણ નિર્ધાર કરી લીધું. આ વાત તેમણે બીજા કેઈને ન કહી. તેઓ ઉપાશ્રયે જ રહેતા, ભણતા અને સાધુ મહારાજની ભક્તિ પણ કરતા. સાધુ મહારાજે પણ તેમની ભાવના જોઈને તેમના પર પ્રસન્ન રહેતા. એ બધા સાધુ-મહારાજેમાં એક મુનિશ્રી રત્નવિજયજી મહારાજ નામે સાધુ હતા.
એક દિવસ લાગ જોઈને નેમચંદભાઈએ તેમને પિતાની હૃદયપૂર્વકની શુદ્ધ ભાવના દર્શાવીને વિનંતિ કરી કે–ગુરુ મહારાજ તે દીક્ષા નહિ આપે, માટે આપ કૃપા કરો, અને મને સાધુનાં વસ્ત્રો-એલપટ્ટો વિ. આપ. આપને કઈ પ્રકારની બીક રાખવાની જરૂર નથી. બધી જવાબદારી મારે માથે.
એમની આવી પ્રબળ ભાવના જોઈને પૂશ્રીરત્નવિજયજી મહારાજે એમને કપડાંની વ્યવસ્થા કરી આપી. હવે બાકી રહ્યો . એ પણ એમની પાસેથી જ મળી ગયે. આ ઓ પૂજ્યપાદ ગચ્છનાયક શ્રીમૂળચંદજી મહારાજને હતે.
આપણું ચરિત્રનાયકને એક મહાન ગચ્છનાયકને ઓછું મળે, એ એમના ભાવિ ગચ્છનાયકપણાનું સૂચક ચિહ્ન હતું, એમના મહાન પુણ્યનું એંધાણ હતું. ખરેખર ! મહાપુરુષોનાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org