SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ રૂપશંકરભાઈ અને લક્ષ્મીચંદભાઈ-બંને મિત્ર હેાવા છતાંય ભાઈ જેવા સંબંધ રાખતાએટલે તેએ પાતાની અંગત વાતેા પણ પરસ્પર કરતા, અને એકમીજાની સલાહ–સૂચના લેતા. તેથી આ ખાખતમાં પણ શ્રીલક્ષ્મીચંદભાઈ એ રૂપશંકરભાઇની સલાહ લીધી. અને તેમણે ઉપર મુજબ સલાહ આપી, તે લક્ષ્મીચંદભાઈ ને રૂચી ગઇ. એમાંય રૂપશકરભાઈ સરકારી અમલદાર હાવાથી તેમનાથી નેમચંદ સમજે-માને તે ઘણું સારું—એમ વિચારીને શ્રીલક્ષ્મીચંદભાઈ એ તેમચંદભાઈ ને કાંઇક કાર્યનું નિમિત્ત આપી મિત્રના ઘેર મેાકલ્યા. ૧૬ રૂપશ કરભાઈ ને ત્યાં પહેાંચીને નેમચ ંદભાઈ એ તેમને પિતાજીએ કહેલું કાર્ય જણાવ્યું. રૂપશંકરભાઈ એ પણ તેમને વાત્સલ્યપૂર્ણાંક બાલાવ્યા, અને કાર્યંની વાત સાંભળી લીધી. પછી કુશળ સમાચાર પૂછીને તેમણે જાણે સ્વાભાવિક રીતે જ પૂછતાં હોય તેમ પૂછ્યું' : નેમચંદ ! મેં સાંભળ્યુ છે કે ભાવનગરથી અહીં આવ્યા પછી તારા જીવનમાં પરિવર્તન થઇ ગયું છે. તુ હવે દીક્ષા લેવાની-સાધુ બનવાની ભાવના રાખે છે. શું આ વાત સાચી છે ? “હા કાકા ! એ વાત સાચી છે. મારી ભાવના હવે દીક્ષા લેવાની છે.” રૂપશ’કરભાઇ પિતાના મિત્ર હાવાના કારણે તેએ તેમને કાકા કહેતા. પણ ભાઈ ! તુ જે દીક્ષાની વાત કરીશ, તે પછી આ તારું ઘર કાણુ સ ંભાળશે ? તારા માતા-પિતા હવે વૃદ્ધ થવા આવ્યા છે. ભાઈ-બહેન નાનાં છે. તેમને સંભાળવાની, સાચવવાની જવાબદારીવાળા આખા ઘરમાં તું જ એક છે. તુ' જો દીક્ષા લઇ લે તે આ જવાબદારી કાણ લેશે ? માટે તું હવે કેાઈ વ્યાપાર-ધંધામાં જોડાઈ જા. રૂપશંકરભાઈએ સ્નેહપૂર્વક કહ્યું. રૂપશંકર કાકા ! તમારી વાત ખાટી તેા ન જ હાય, પણ મારું'મન હવે આ સંસારમાં રહેવા માટે માનતું નથી. દિવસે-દિવસે દીક્ષાની ઇચ્છા મજબૂત ખનતી જાય છે. હવે હું કોઈ વ્યાપાર આદિમાં જોડાવા તા ઈચ્છતા જ નથી. ઘરમાંથી રજા મળે કે તરત જ મારે દીક્ષાના સર્વ કલ્યાણકારી પથે જવું છે.” નેમચંદભાઇ નમ્રતાપૂર્ણ મક્કમતાથી બેલ્યાં. આ સાંભળી રૂપશંકરભાઈ જરા ઉગ્ર થયા. તેઓ મેલ્યાઃ “નેમચંદ ! તું તારા પિતાજીના સ્વભાવને તે સારી રીતે જાણે છે, તે તને કોઇ રીતે રજા નહિ જ આપે. માટે તું સમજી જા, અને એમની જવાબદારી ઓછી કર. નહિતર અમારે કંઇક કડક પગલાં તેવા પડશે.” “કાકા ! વધારે પડતું લાગે તે ક્ષમા કરજો. પણ હું કોઈપણ રીતે દીક્ષા લઈશ જ. હું ન હોત તો તમે બધાં શુ‘કરત ? એમ વિચારીને પણ તમારે બધાંએ મને દીક્ષાની રજા આપવી જ જોઈ એ. મારે તે આત્મકલ્યાણ સાધવું છે, ને એટલા માટે દીક્ષા ગ્રહણ કરવી છે.” નેમચંદભાઈએ કહ્યું. એમના આ શબ્દોમાં મેરૂસમી નિશ્ચલતાને શુદ્ધ રણકો સ ંભળાતા હતા. આવેા મક્કમ જવાબ સાંભળીને રૂપશંકરભાઈ વિચારમાં પડી ગયા. તેમણે વિચાયુ” કેઆ નેમચંદ્ય દીક્ષાના રંગથી પૂરા રંગાયેલા છે. એટલે હમણાં નહી સમજે. હવે એને ન્યાયાધીશ સાહેબ પાસે જ લઇ જવા પડશે. એમની કડકાઈથી ડરે તેા વળી સમજી જાય, અને થાડીવારમાં નેમચંદભાઇ તેમની રજા લઈને ઘેર આવી ગયા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy