SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માભ્યાસ અને ત્યાગ—ભાવના ગુજરાતી સાત ચાપડી અને અંગ્રેજી ત્રણ ચાપડી ભણ્યા, સાહેબ ! બહુ સારૂં'. ધાર્મિક અભ્યાસ કરવાની ભાવના કયાંથી થઈ ? ગુરૂદેવ ! મારા પિતાજીને તે આપ સારી રીતે ઓળખે છે. તે મિષ્ઠ છે, ને દ્રવ્યાનુયોગ વગેરેના અભ્યાસી પણ છે. તેમણે સીચેલા ઉત્તમ સંસ્કાર–જળને પરિણામે મનેય ધાર્મિક તથા સંસ્કૃત ભણવાની ભાવના થઈ. અને તેમની અનુમતિથી આપ સાહેબની પવિત્ર છાયામાં હું આવ્યો છું. કૃપા કરીને મને અભ્યાસ કરાવેા. ભલે ભાઈ !, ગુરૂ મહારાજ નેમચંદ્રભાઈના સૌંસ્કાર તથા વિનય જોઈ ને પ્રસન્ન થતાં બાલ્યા. અને જરા ચકાસણી કરવા પૂછ્યું. પણ સંસ્કૃત અને ધાર્મિક ભણીને તુ' શું કરીશ ? એ વિચાર તેા હજી નથી કર્યાં, કૃપાળુ ! પણ એટલુ તા ચાસ છે-કે એ ભણવાથી મારૂં આત્મ-કલ્યાણ થશે, સાથે હું વિદ્વાન પણ બનીશ. અત્યારે તે। ધ્યેયથી જ હું ભણવા ઇચ્છું છું. નેમચંદભાઈ એ નિખાલસભાવે જવાબ વાળ્યા. આ નેમચંદ ! તારી ભાવના ઘણી ઉત્તમ જણાય છે. તારે માટે અહીં બધી વ્યવસ્થા થઈ ગઈ છે. શેડ જસરાજભાઈને ત્યાં તારે જમવાનુ અને અહી` ઉપાશ્રયમાં રહેવાનુ ભણવાનું, ખાલ ! ખરાબર છે ને? જી સાહેબ ! આપની કૃપા-ષ્ટિ હાય, એટલે ખરાખર જ હેાય. મારાં તે આજે અહ ભાગ્ય જાગ્યા કે આપશ્રીની નિશ્રા મળી. ૧૩ મહુવાથી માત-પિતાના મગળ આશીર્વાદ લઈ ને નીકળેલા આપણા ચરિત્રનાયક શ્રીનેમચંદભાઈ ભાવનગર પૂ. ગુરૂમહારાજશ્રી પાસે સકુશલ આવી પહેાંચ્યા હતા. અને તેમની જોડે પૂ. ગુરૂદેવે ઉપર પ્રમાણે વાતચીત કરી. પછી તે તેઓ પૂ. ગુરૂદેવની આજ્ઞાનુસાર નિયમિતપણે અભ્યાસ કરવામાં તલ્લીન અની ગયા. સાથે સાથે પૂ. ગુરૂદેવ તેમજ અન્ય મુનિપુંગવાની સેવા-શુશ્રૂષા પણ વિનયથી કરતા. શેઠ જસરાજભાઈ (અમરચંદ્ગુ જસરાજ) ને ત્યાં જમવા માટે જવા સિવાય બાકીના બધા વખત ઉપાશ્રયમાં જ રહેતા. એક દિવસની વાત છે, રાત્રિના સમય છે. નેમચંદ્રભાઈ સૂતા છે. હજી ઉંઘ આવતી ન હેાતી એટલે તેએ વિચારમાં લીન બન્યા. વિચાર કરતાં કરતાં તેમના મનમાં વિચાર આવ્યે કે“આપણે નિશાળમાં ભણ્યા. હવે અહીં... ભણીશુ. પછી ઘરે જઈને ધંધા કરીશું. બધુ જ થશે. પણ પછી શું ? છેવટે તે મરવાનું નક્કી જ છે ને ? જન્મ્યા એને માટે મરવાનું તા આવશ્યક છે. જો આ સંસારના કાદવમાં ફસાઈ ને કાઈ સારૂં કાં કર્યા વિના જ મરવાનું હાય, તેા આ જીવ્યુ શા કામનું ? માટે કોઈ ઉત્તમ કાર્યં કરવું જોઈએ કે જેનાથી આપણું પેાતાનુ' અને બીજાનું પણ કલ્યાણ સધાય.--આપણા જીવન-મરણ સુધરે અને બીજાનાંય સુધરે. એવું કાર્ય કર્યું ? એવા મા કયા ? એ વિચારતાં તેમને લાગ્યું કે ‘સાધુપણુ’ એ જ એને માટેના−જીવન અને મરણુ અન્નેને અજવાળવાના શ્રેષ્ઠ-ઉત્તમ માર્ગ છે. માટે એ મા` આપણે પણ લઈ એ-સ્વીકારીએ. બસ ! એટલે વિચાર આવ્યો ને એમના મનમાં સંસારની જંજાળ છેડી, સંયમ ગ્રહી, સ્વ-પરહિત સાધવાનુ સર્વોત્તમ કાર્ય કરવાની ગાંઠ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy