SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટૂં શ્રી લક્ષ્મીચંદભાઈ ને પણ જ્યાતિષશાસ્ત્રમાં રસ હતા. તેમણે પેાતાના લાડકવાયા પુત્રરત્નના જન્માક્ષર કોઈ ઉત્તમ જ્યાતિષી પાસે કઢાવવા વિચાર કર્યો. મહુવામાં જ્યાતિષવિદ્યાના વિખ્યાત વિદ્વાન શ્રી વિષ્ણુભટ્ટજી એક ઉત્તમ ભૂદેવ હતા. આ વિષયમાં તે નિષ્ણાત હતા. ગામમાં પણ તેમની જ્યાતિષી તરીકેની નામના ઘણી સારી હતી. તેમની પાસે શ્રી લક્ષ્મીચંદભાઈ ગયા. અને તેમને પુત્રના જન્મસમય વિગેરે જણાવીને જન્માક્ષર કાઢવા માટે કહ્યું. શ્રી ભટ્ટજીએ પંચાંગ કાઢીને ગણિત કર્યું. ને થોડી વારમાં જન્મ-પત્રિકા તૈયાર કરીને એમાં ગેાડવાયેલા ગ્રહેાનું નિરીક્ષણ કરવા લાગ્યા. ઘડીભર તેા તેઓ આશ્ચય ને વિચારમાં ગરકાવ બની ગયા. ભટ્ટજીને વિચારમાં પડેલા જોઈને શ્રી લક્ષ્મીચંદભાઈ એ પૂછ્યું-કેમ ભટ્ટજી ! શું વિચારમાં પડી ગયા ? કુંડલીમાં ગ્રહેા કેવાક છે ? કાંઈ ભૂલ થઈ કે શું? “લક્ષ્મીચંદ શેઠ ! હું તેા તમારા ભાગ્યને વિચાર કરી રહ્યો છું, બીજો નહિ.” “શું મારા ભાગ્યમાં કાઈ ખામી લાગે છે ભટ્ટજી ? હાય તો નિ:સ કાચ–મને કહી દેજો”. “ખામીની તે। હવે વાત જ જવા દો લક્ષ્મીચ ંદભાઈ ! હવે તે એમ જ પૂછે કે-મારા જેવા ભાગ્યવાન્ ખીજો કાણુ છે ? તમને તેા આ રતન સાંપડયુ છે, રતન.” “ભટ્ટજી ! મશ્કરી તે નથી કરતાં ને ?” અરે ! લક્ષ્મીચંદભાઈ ! તમને મશ્કરી લાગે છે? પણ આ હું નથી ખેલતા, તમારા દીકરાના-રતનના ગ્રહેા ખેલે છે. આવા ઉત્તમ- સર્વોત્તમ ગ્રહેા ભરેલી કુ'ડલી મારા આખાય જનમારામાં મે' જોઈ નથી. એના ગ્રહેા કહે છે કે-કેાઈ ઉચ્ચ કોટિના મહાત્મા પુરૂષ તમારે ત્યાં અવતર્યું છે, અને એ મહાપુરૂષ થવા જ સર્જા યા છે. ગજકેસરીયાગ, રાજયોગ અને છત્રચેાગ જેવા મહાન ચેગ એની કુંડલીમાં છે. અને જો આ બાળક સ’સારમાં રહે તે મેટા મહારાજા જેવા થાય. પણ...... “પણું શું ? વિષ્ણુ ભટ્ટજી! અટકવા કેમ ? જે હેાય તે નચિંત-મને કહેા. ખચકાવાની કે ગભરાવાની જરૂર નથી.’’ લક્ષ્મીચંદ્ર શેઠ ! વાત કઈ ગભરાવાની કે ચિન્તાજનક નથી, બલ્કે અત્યુત્તમ છે. પણ તમને કહેવી કે ન કહેવી, એ વિચારમાં હું અટવાતા હતા. પણ હવે તે કહી જ દઉં”— જુએ ! આ ખાલકનું જન્મલગ્ન-કુભલગ્ન છે. જે વ્યક્તિનું જન્મલગ્ન કુભલગ્ન હેાય, તે વ્યક્તિ મહાન -સર્વોચ્ચ ધર્મ ધુરંધર સાધુ પુરૂષ થાય એમ અમારૂ જયાતિષશાસ્ત્ર કહે છે.-- “કુંભ લગ્નકા પૂત, ખડા અવધૂત, રાત-દ્ઘિન કરે ભજન” આ ખાળકનું પણ કુંભલગ્ન છે. સાથે ગ્રહયોગો પણ સંન્યાસ-પ્રયાયોગને કરનારા છે. તેથી તે કઈ મહાન્ ધમ ર ધર સાધુપુરુષ થાય, એમ મને લાગે છે.” આ તે ઘણી જ સારી વાત કહેવાય. ભટ્ટજી ! અમારા આ પુત્ર જો મહાન સાધુપુરુષ અને તે। અમારી ૭૧ પેઢીમાં અજવાળાં પથરાય. હા ! એક વાત પૂછી લઉં. કેાઈ ગ્રહ નડે એવા તેા નથી ને ?” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy