SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ TETOOEQQEQEDOEQ0OQEDEQEDEQOE00EOoOQE G 0200300300300300SN 030OSODBODSC020ost::090 9300300300300300800S1020030 અને “આજ્ઞા પુરામવિવારીયા એ ન્યાયે મેં લેખનનો પ્રારંભ કરી દીધો. છે છે અને સાચે જ! સં. ૨૦૨૭ ના પોષ વદ બીજી છઠથી માંડીને સં. ૨૦૨૯ ના માગશર સુદ છે બારશ સુધીના આ ચરિત્રલેખનકાળ દરમ્યાન જ્યારે જ્યારે મારા મનમાં સંદિગ્ધતા ઊભી છે? જે થઈ, ત્યારે ત્યારે સૂરિસમ્રાક્ની પવિત્ર અંતઃ પ્રેરણાનો મને અખૂટ સહારો લાગે છે. પૂજ્ય જે આચાર્ય ભગવંતે સ્વયં આ સમગ્ર લખાણ સાવંત તપાસી–ધીને એ સહારાને તથા 8 મારાં ઉત્સાહને દ્વિગુણિત બનાવ્યું છે. પૂજ્યપાદ સ્વ. સૂરિપુંગવ શ્રીવિજયેાદયસૂરીશ્વરજી મ. તથા પૂજ્ય આચાર્ય ભગવંત ૨ 8 શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજે સંયુક્ત રીતે કરાવેલી ચરિત્રનાયકના જીવનની નોંધ આધાર મેં આ ચરિત્ર લખવામાં લીધો છે. પણ એ સાથે મારે કહેવું જોઈએ કે8 આ. શ્રીનંદસૂરિજી મ.શ્રીની અજોડ સ્મૃતિ-મંજૂષામાં યથાતથપણે સચવાયેલાં પ્રસંગોને જ મેં શબ્દમાં ઉતાર્યા છે. ચરિત્રનાયકના જન્મથી કાળધર્મ પયતના એકેએક પ્રસંગેને સમૃતિપટમાં ધારી રાખવા. એ તો એ પૂજ્ય આચાર્ય ભગવંત જેવાં જબરદસ્ત બુદ્ધિજે શકિતશાલી પુરુષના સામર્થ્યમાં જ સંભવે. ચારિત્રનાયકના સંસારી ભાણેજ પ્રો. હકીચંદભાઈ જે. દોશીને ઉલેખ મારે આભાર સાથે કરવો જ જોઈએ. પિતાની યુવાવસ્થામાં ચરિત્રનાયકને અને પોતાના માતુ૨ શ્રીને પૂછી પૂછીને તેમણે એકત્ર કરી રાખેલી માહિતીની નોંધપોથીએ મારાં લખાણને સપ્રાણ બનાવ્યું છે. એ ન હોત તો – કદાચ આમાં ઘણી વાતો રહી જાત. અને – “પરમ ઉપકારી” શબ્દ પણ જેમને માટે અલ્પ જણાય છે. તે મારા ૩ સંયમજીવનના ઘડવૈયા પૂજ્ય ગુરુદેવ પંન્યાસશ્રી સૂર્યોદયવિજયજી મહારાજનું અહી મરણ કરતાં હયું ગદગદ બને છે. ક્ષણે ક્ષણે સાંપડતી એ “ઉપકારીની પ્રેરણા ન મળી છું હોત તો..... આજે આના લેખક તરીકે ન જ હોત. મારાં આ કાર્યમાં પારંપરિક સહાયક વિનય – વૈયાવચ અને સ્વાધ્યાયને આત્મછે સાત્ બનાવનાર મારાં ગુરુબંધુ મુનિ શ્રીભદ્રસેનવિજ્યજીનું કૃતજ્ઞભાવે મરણ કરવું, એને હું છે આવશ્યક કર્તવ્ય સમજું છું. કોલેજના વિદ્યાર્થી હોવા છતાં સૂરિસમ્રાટ તરફના ગુણાનુરાગથી પ્રેરાઈને આ જે ચરિત્રની પ્રેસકોપી કરવામાં મારા પૂર્ણ સહાયક – પાંજરાપોળના ત્રણ કિશોર-શિષ્યને રે હું નહિ ભૂલું. શ્રી જનક એ. શાહ, શ્રી હિરેન એ. કાપડિયા. અને શ્રી અશ્વિન એચ. 8 પરીખ એમનાં નામ છે. આ પૂરું કરતાં પહેલાં કેટલાંક ખુલાસા કરીશ. (૧) પ્રથમ પ્રકરણમાં વપરાયેલો સેરઠ” શબ્દ “સૌરાષ્ટ્ર દેશ માટે છે. તે 2 સૌરાષ્ટ્રના એક વિભાગરૂપ સોરઠપ્રદેશ માટે નહિ. SIDE00000500600EC0E00SOOSUDE000000000050000000-00000DE0DE0DE0DE00EO DEOREOLE00EOVEODEODÉODEOS OOGOVEQDEO DOODDEDDED SEQ020000000 31 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy