SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ જાપ્રયાણ : શ્વેતાની દુકાન ખાલીને બેઠેલા એ ભાઈએ પૂજ્યશ્રીના સ’સારી ભત્રીજા શા. ચંપકલાલ ખાલચંદને જોયાં. તેણે તરત જ ખૂમ પાડી: કેમ ચપકભાઈ ! અત્યારે આમ કયાંથી ? ચંપકભાઈ એ કહ્યુ: દાદાને વંદન કરવા ગયા’ તેા. ત્યાંથી આવું છું. આ સાંભળીને દુકાનદારે ચંપકભાઈ ને બેસાડીને કહેવા માંડ્યું: ચંપકભાઈ ! મને તે લાગે છે કે-દાદા આ વખતે આંહી જ રહી જવાના છે. આજ રાત્રે મને સ્વગ્ન આવ્યું છે કે “ ઢાઢાએ આ દુનિયામાંથી ચિરવિદાય લીધી છે. તેમની સ્મશાનયાત્રા મારી દુકાન પાસેથી નીકળી છે. એમાં અઢારે વરણના હજારો લોકો જોડાયાં છે. ગુલાલના તા ઢગલે ઢગલાં ઉછળી ાં છે. આગળ એન્ડવાજું વાગી રહ્યું છે. આ યાત્રા મારી દુકાન પાસેથી પસાર થઈ ત્યારે મે' સૌને ચ્હા પીવડાવી, ’ ૩૧૭ આ સાંભળી ચ'પકભાઈ સ્તબ્ધ થઈ ગયાં. તેમણે તથા પેલા દુકાનદારે આ વાત અહી’ જ ભંડારી દીધી. જો કે – આ વાત કોઈ ને કરતાંય ચ ંપકભાઈની જીભ ઉપડતી જ નહોતી. ૧ આ પછી ઘેાડા દિવસ વહી ગયાં. આ દરમ્યાન પૂજ્યશ્રીને પગે–ઢી'ચણુ પાસે ખુજલી થઈ આવેલી. વધુ પડતી ખુજલીને લીધે કયારેક ખણુ આવતાં લેાહી પણ નીકળી આવતું. આના પ્રતીકારરૂપે હામિયાપેથીક ઉપચાર ચાલુ કર્યાં. એથી ઘેાડી રાહત થવા લાગી. પણ પૂજ્યશ્રી કાઈ કાઈ વાર ખેાલતા કે: ‘ અહીં મને ઠીક રહેતુ નથી. અને ચામાસુ ઉત્તરે તરત જ વિહાર કરવા છે.” સાચે જ, માવાર્તાનુસારેખ, વાયુઘ્ધાંત નપત્તામ્ ॥ આસે। મહિનાની શાશ્ર્વતી ઓળી નિવિઘ સમાપ્ત થઈ. આસેા વદ્ધિ ત્રીજના દ્વિવસે અમદાર અમરચંă પાનાચંદ, વકીલ વીરચંદ ગેવરધનદાસ, અને સંઘવી ભગવાનભાઈ મેાજી વગેરે આવ્યા. રાહિશાળાની બાકીની આધી જમીન (૧૬ વીઘાં) ને દસ્તાવેજ કરવાના હજી ખાકી રહેલા. એ દસ્તાવેજ શેઠ સારાભાઈ જેશીગભાઈ (હીરાચંદ રતનચંદવાળા) ના નામના કરવાના હતા. એનેા તમામ ખર્ચ પણ તેઓ જ આપવાના હતાં. એ પાકા દસ્તાવેજ હવે તૈયાર થઈ ગયા હૈાવાથી તે લઈને તેએ આવેલાં. દસ્તાવેજની વાત પૂજ્યશ્રીને કરીને કહ્યું કેઃ સાહેબ ! આ એક કામ બાકી રહેલું, તે આજે પૂર્ણ થયુ છે. પછી દસ્તાવેજ પણ પૂજ્યશ્રીને વાંચી સંભળાવ્યે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને જુનાગઢ સ્ટેટ વચ્ચે વર્ષોંથી ગિરનાર તીથ સંબંધી તકરાર ચાલતી હતી. તે અ ંગે સૌરાષ્ટ્રના એકમ વખતે શ્રી શામળદાસ ગાંધીની મધ્યસ્થતાએ પેઢીએ સ્ટેટ સાથેની તકરાર છેડીને સમાધાન કર્યુ' હતું. એ સમાધાનના લખાણની એક ફાપી સુરેન્દ્રનગરથી શેઠ રતિલાલ વર્ધમાને પૂજ્યશ્રી ઉપર રજીસ્ટર પાસ્ટ દ્વારા મેલાવી. જે કે – નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈના સ્વર્ગવાસ પછી પૂજ્યશ્રી પૂર્વની જેમ પેઢીના ૧. આવું જ એક સ્વમ પૂજ્યશ્રી ખેાટાદ હતાં, ત્યારે તેઓશ્રીના પરમ ભક્ત સલાત ફુલચંદભાઇને પણ આવેલું. તેમાં તેમણે જોયું કે–વિશાળ ચોક છે. એમાં પૂજ્યશ્રી જે ડેળીમાં બેસતાં, તે ડાળી ઉપાડીને ચાર માસે ઉભાં છે. પણુ એ ડાળી ખાલી છે. એમાં પૂજ્યશ્રી નથી બેઠાં. આ સ્વમની વાત તેમણે પૂ. નંદનસૂરિ મ. સિવાય કાઈને કહેલી નિહ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy