SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ છેલ્લી પ્રાણપ્રતિષ્ઠા પ્રતિષ્ઠા માટે જવાનું હોવાથી અત્યારે કંપમાં પ્રવેશ કરવાનું નકકી થયું. બીજે દિવસે કેપના સંઘે ઘણાં ઉત્સાહ સહિત સામૈયું કર્યું. અનેક ગામના સંઘે આ સામૈયામાં હાજર રહ્યાં. પ્રવેશ પછીના મંગલાચરણ વખતે સંઘને પૂજ્યશ્રીને માસું રાખવાની ભાવના જાગી. તરત જ વિનંતિ કરી. હવે–દેવળિયા મુકામે બોટાદને સંઘ માસાની વિનંતિ માટે આવેલે, ત્યારે પૂજ્યશ્રીએ ક્ષેત્રપર્શને જણાવેલી. પણ બોટાદવાળા પૂજ્યશ્રી પાસે એટલું તે નકકી કરી ગયેલાં કે – અમને જણાવ્યા સિવાય બીજા ગામની જય ન બોલાવવી, એવી અમારી વિનંતિ છે. એ અનુસાર પૂજયશ્રીએ બોટાદવાળાને બેલાવવાનું કહ્યું. તરત જ બોટાદ સમાચાર મોકલાયા. એ મળતાં જ બોટાદ-સંઘના પચાસેક ભાઈઓ આવી પહોંચ્યા, અને ચોમાસાને આગ્રહ કરવા લાગ્યા. થોડી વાર તે બન્ને સંઘ વચ્ચે રસાકસી જામી. છેવટે પૂજ્યશ્રીએ સ્વયંમેવ નિર્ણય આપ્યો કે-અહીં (વઢવાણ કંપમાં) એકેય ચાતુર્માસ કર્યું નથી. માટે ક્ષેત્રસ્પર્શનાએ આ ચોમાસું અહીં કરીશું. વઢવાણ કૅપને સંઘ ભારે આનંદમાં આવી ગયે. ઉપાશ્રય જ્યજયકારથી ગાજી રહ્યો. [૫૭] છેલ્લી પ્રાણપ્રતિષ્ઠા - હવે વઢવાણમાં અંજનશલાકા તથા પ્રતિષ્ઠાનાં દિવસે નજીક આવી રહ્યા હતા. એની તૈયારીઓ ચાલી રહી હતી. આમંત્રણ પત્રિકાઓ સર્વત્ર મેકલવામાં આવી. અંજનશલાકા અંગેની-પ્રભુજી પર શિલાલેખ લખાવવા-વ. તૈયારીઓ માટે પૂજ્યશ્રીની હાજરી જરૂરી જણાતાં સંઘે વઢવાણ પધારવા વિનંતિ કરી. એટલે પૂજ્યશ્રી ભવ્ય સ્વાગત સાથે વઢવાણ પધાર્યા. સ્ફટિકની, પાષાણની તથા ધાતુની લગભગ ૪૦૦ મૂર્તિઓ ઠેર ઠેરથી અંજન માટે આવેલી. તેના પર લેખ લખાવવાનું કાર્ય શરૂ થયું. મેરૂપર્વત, સમવસરણ તથા હસ્તિનાપુરી વગેરે તીર્થોની મનરમ રચનાઓ કરવામાં આવી. મૂળનાયક શ્રી શાન્તિનાથ પ્રભુ (સપરિકર) તથા વિજ-દંડ-કલશ વગેરેની પ્રતિષ્ઠાને આદેશ શેઠ જીવણ અબજીના સુપુત્ર શેઠશ્રી શાંતિલાલભાઈએ રૂ. ૫૧ હજારમાં લીધે. વૈશાખ સુદ ૧૦થી મહોત્સવને મંગલ પ્રારંભ થયે. સંઘની ધર્મભાવના અને શ્રદ્ધા તથા પૂજ્યશ્રીની પાવન નિશ્રાના સુમેળ વાતાવરણમાં રંગત જમાવી દીધી. પાંચે કલ્યાણકની ઉજવણપુરઃસર વૈ. વ. પાંચમના દિવસે શુભ લગ્ન પૂજ્યશ્રી આદિ સૂરિવએ ૪૦૦ પ્રભુજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી. છે. વ. ૬ ના દિવસે શુભ ચોઘડિયે પ્રભુજીને ગાદીનશીને કર્યા. સંઘના એકેએક ભાવિ કને ઉલ્લાસ અપાર હતે. જીવણ અબજીવાળાએ પ્રભુજીના આદેશ સહિત આંબેલ ખાતામાં તથા સાધર્મિક ભકિત વગેરેમાં લગભગ ૧૫ લાખ રૂપિયાને સદ્વ્યય કર્યો. શા. શાંતિલાલ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy