SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયને કાંઠે ૩૦૭ પણ પૂજ્યશ્રીની નાજુક તખિયત જોતાં કોઈ પણ કહી શકે કે – પૂજ્યશ્રીથી હવે આટલે વિહાર ન જ થાય. તેઓશ્રીએ જવાબમાં એ જ કહ્યુ કે આવી તમિયતે મારાથી આટલે લાંબે વિદ્વાર થઈ શકે તેમ નથી. ત્યારે વઢવાણવાળા કહે : તે સાહેબ ! આપ ડાળીમાં બેસીને વિહાર કરો. અમે બધાં સાથે જ રહીશું. આપના શરીરને જરા પણુ તકલીફ્ ન પડે તેવી રીતે ડાળીમાં આપને લઈ જઈશું'. પણ ડાળીમાં બેસવાની પૂજ્યશ્રીની બિલકુલ અનિચ્છા હતી. આજ સુધીમાં આ વાત ઘણીવાર તેઓશ્રી પાસે મુકાયેલી. પણ તેઓશ્રી પૂર્ણ દઢતાથી એના ઈન્કાર કરતાં. ૧૯૮૧માં ચાણસ્મામાં તેઓશ્રીની તબિયત વધુ પડતી ખગડી, ત્યારે નગરશેઠ કસ્તૂરભાઈ એ કહેલુ કેઃ સાહેબ ! આપ ડાળીમાં બેસીને મહેસાણા પધારે, તે આપની તમિયત અ ંગે ચેાગ્ય ઉપચારા સારી રીતે કરાવી શકાય. ડાકટરાને તથા અમને સૌને પણ આવવા-જવાની અનુ. કૂળતા રહે. આના જવાખમાં પૂજ્યશ્રીએ નાદુરસ્ત તમિયતે પણ કડક શબ્દોમાં કહેલ કે : “એકવાર આ દેહ પડી જાય, કે ઉપરથી દેવતા આવીને વિનવે, તે પણ આ દેહે ડાળી કે મિયાનાને ઉપયાગ કરવાની ભાવના નથી.’” અને તે વખતે કે તે પછી આજ સુધીમાં ક્યારેય તેશ્રીએ ડાળીના ઉપયોગ નહાતા જ કર્યાં. આ વખતે વઢવાણુવાળાએ એ વાત મૂકી, ત્યારે પણ તેઓશ્રીએ એ જ દૃઢતાથી એના ઈન્કાર કર્યાં. સામે વઢવાણવાળા પણ મક્કમ હતાં. તેમણે પેાતાની વિનંતિ ભારપૂર્વક ચાલુ રાખી. ત્રણ ત્રણ વર્ષોંથી એમની વિન ંતિ હતી. શ્રદ્ધાપૂર્ણ ભક્તિ હતી. અત્યારે પણ એ શ્રદ્ધા જ આવા આગ્રહ કરાવી રહેલી. એટલે પૂજ્યશ્રી ના ન પાડી શકયા. ક્ષેત્રપ નાએ વઢવાણુ પધારવાની હા કહી. આથી સત્ર આનંદ વ્યાપી ગયે. હવે સાબરમતીથી વિહાર કરવાની તૈયારી ચાલી. પૂજ્યશ્રીની પુનિત ભાવના અને પ્રેરણાનુસાર શ્રી જૈન તત્ત્વવિવેચક સભા'ના નામથી તે સભાના સભ્ય સલાત કુલચંદ છગનલાલ વગેરેએ પૂજ્યશ્રીની નિશ્રામાં સાખરમતીથી શેરીસા તીના છરી' પાળતા સંઘ કાઢવાના નિ ય કર્યાં. સંઘપતિનું શ્રીફળ ફુલચંદભાઈ એ લીધું. મહા વદ્યમાં શુભ દિવસે પૂજ્યશ્રીએ શિષ્યપરિવાર તથા સંઘ સમેત પ્રયાણ કર્યું. પૂજ્યશ્રી હવે આપમેળે ચાલી શકતા નહાતાં. એટલે બન્ને બાજુએ બે જણાને હાથ ઝાલીને ધીમે ધીમે ગામ બહાર પહેોંચ્યા. આટલું ચાલવામાં ય તેઓશ્રી ખૂબ પરિશ્રાન્ત થઈ ગયા. હજી તેા સામું ગામ ત્રણ માઇલ દૂર હતું. એટલેા માગ પૂજ્યશ્રીથી કેમ ચલાશે ? એ મૂંઝવણ સૌને થતી હતી. વિહારનું નક્કી થયું, ત્યારથી ડાળીમાં બેસીને વિહાર કરવાની આજીજી કરતે શિષ્યગણ તથા ભક્તગણુ અત્યારે પણ ખૂબ કરગરવા લાગ્યા. શિષ્યા અને ભક્તોની અનન્ય ભક્તિ ડાળીમાં બેસવા વિનની રહી હતી, જ્યારે આજ સુધી પેાતાના સવ નિષ્ણુધામાં અફર રહેનાર અને ગમે તે ભાગે પણ અપવાદ ન સેવવાને આગ્રહ રાખનાર પૂજ્યશ્રી એનેા ઈન્કાર કરી રહ્યા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy