SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ આના સમાધાનમાં પૂજ્યશ્રીએ પૂર્ણ સરળતાથી ફરમાવ્યું કે : “એવું બનવાનું જ નથી. છતાં કદાચ કોઈ ખાખતમાં વિચારભેદ રહે તે અમે બંને (હું તથા લબ્ધિસૂરિજી) સહમત થઈ ને તપાગચ્છના ત્રણ કે પાંચ આચાર્યંને તે ખાખત સોંપી દઈશું. અને તેઓ જે એક નિશ્ ય લાવશે, તે આપણે બધાંને કબૂલ મંજુર રહેશે, ખેલે ! હવે કાંઈ કહેવાનું રહે છે ?” શ્રીલક્ષ્મણુસૂચ્છિ મ.ને આ સરળ અને ચેાગ્ય મા ઘણુ! જ ગમી ગયા. તેમણે બીજી કોઈ મામત બાકી રહી હૈાવાની ના પાડી. અને હવે કાયના પ્રારંભ કરવા તૈયાર થયા. આ રીતે સમાધાનનેા મા લેવાયાથી શહેરમાં સર્વત્ર આનંદ આનંદ પ્રસરવા લાગ્યા. વૃદ્ધ મહાપુરુષાની સરળતા અને ઉદારતા પ્રતિ સૌ કાઈ ને અપાર માન ઉપજયું. ૩૦. તિથિ અંગેની આ વાટાઘાટમાં શ્રીલબ્ધિસૂરિજી મહારાજના સ્વભાવમાં પૂજ્યશ્રીના જેવી જ સરળતા અને સાચી ભાવના જોવા મળી હતી. અને એને કારણે જ આ માર્ગ અપનાવવાનું શકચ અન્યુ હતુ. પણ એમની આ સરળતારૂપ સેાનાની થાળીમાં એક લેાઢાની મેખ હતી, જેનું ધ્યાન એમને હજી નહાતુ. જો કે એ પણ એમની ઉદારતાનું જ પરિણામ હતું. નિણૅય લેવાયાને અઠવાડિયું વીત્યુ હશે, ત્યાં શ્રીવિક્રમવિજયજી તથા શ્રીભાસ્કરવિજયજી પૂજ્યશ્રી પાસે આવ્યા. તેઓએ પૂજ્યશ્રીને કહ્યું કે : “અમારા જાણવામાં આવ્યું છે કે— આપને આપના પ્રયાસમાં સફળતા મળી છે. આપનાવાળાની-અમુક અમુકની લેખિત સ ંમતિ અને સહી આવી પણ ગઈ છે. એ વાત જાણીને એ માખતના આનંદ વ્યકત કરવા અમે આવ્યા છીએ.” તેની આ માહિતી સાચી હતી. શ્રીસાગરાન દસૂરિજી મ. તથા શ્રીવિજયનીતિસૂરિજી મ., એ અને વૃદ્ધ આચાર્યાંની લેખિત સ ંમતિ પૂજ્યશ્રી ઉપર આવી ગઈ હતી. ત્યારòાદ શ્રીનંદનસૂરિજી મ.એ તેમને પૂછ્યું : તમારૂં કામ કયાં સુધી ચાલ્યું ?” તેઓ કહે કે : “પ્રયાસ ચાલુ છે. હજી વાર લાગશે.” શ્રી નંદનસૂરિજી મ.એ કહ્યુ` કેઃ “જ્યારે ૧૯૯૨માં તમે બધાએ જીદ્દી સંવત્સરી—શનિવારની કરી, ત્યારે રામચંદ્રસૂરિજીએ ‘સાદડી’માં ચામાસુ રહેલા તમારા પૂજ્ય ગુરુદેવ શ્રીલબ્ધિ સૂજીિ મહારાજની આજ્ઞા મેળવી, તેમની આજ્ઞાથી શનિવારની સંવત્સરી જાહેર કરી હતી. અને તેના માટાં મોટાં પાસ્ટશ છપાવી મહાર પાડ્યાં હતાં, જે અત્યારે પણ માજીદ છે. તા આ વખતે જ્યારે-ખુદ લબ્ધિસૂરિજી મ. સમાધાનના માર્ગ કાઢે છે, અને સમાધાનના નિણુ ય લાવવાના છે, ત્યારે રામચંદ્રસૂરિજીએ પેાતે એમજ કહી દેવુ' જોઈ એ કે—પૂજ્ય લબ્ધિસૂરિ મહારાજની આજ્ઞાથી ૧૯૯૨માં ભા. શુ. પ એ કરી, શનિવારની સંવત્સરી માન્ય કરી હતી, તા અત્યારે પૂજ્ય લબ્ધિસૂરિ મહારાજ જે સમાધાન કરે, અને જે એક નિણૅય લાવે તે મારે અને અમારે સને કબૂલ જ છે. અને કબૂલ હોય જ.’ આ રીતે તેમણે લબ્ધિસૂરિજી મહારાજ ઉપર લેખિત સંમિત માકલી આપવી જ જોઇએ.” શ્રી ભાસ્કરવિજયજી આ સાંભળીને કહે કે ; સાદડીની આ વાત હું જાણતા નથી. ત્યારે શ્રીવિક્રમવિજયજીએ કહ્યું કે : ‘નંદનસૂરિજી મહારાજ જે કહે છે, તે ખરાખર છે.' Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy