SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ એક જ ધ્યેય : તીર્થાંન્નતિ ૨૮ બંધાવવા શરૂ કર્યાં. મધ્યભૂતલ, ભૂમિગૃહ, અને શિખર એમ ત્રણે ભૂમિમાં પ્રભુજી પધાવવાના વિચારથી આ પ્રાસાદનું કામ શરૂ થયું. આમ એક પછી એક સ્થાયી કાર્યાંના નિણુય લેવાતા ગયા, ને સંઘના ઉમંગ વધતા જ ગયા. પર્યુષણા પ આવ્યા. આરાધકો સવ ખાદ્ય વ્યાપારાના ત્યાગ કરીને પૂજ્યશ્રીની નિશ્રામાં આરાધના કરવા તત્પર બન્યા. પૂજ્યશ્રીના શ્રીમુખે થતાં કલ્પસૂત્રના વાંચનના લાભ લેવા સ’ઘના નાનામાં નાનેા ખાળક પણ અચૂક હાજર રહેતા. એમાંયે ગણુધરવાદના શ્રવણ માટે તા સુરેન્દ્રનગર, લીમડી, વગેરે અનેક ગામાના શ્રાવકો તથા રાજ્યાધિકારીએ પણ આવેલા. જોતજોતામાં પર્વના દિવસે પૂરા થયા. સ ંઘે અટ્ઠાઇ મહેાત્સવ કર્યાં. ચામાસા દરમ્યાન એકવાર ભાવનગરના મહારાજા શ્રીકૃષ્ણકુમારસિંહજી ખાસ પૂજ્યશ્રીના કનાથે આવ્યા. એ વખતે ગૃહસ્થાએ એક મેટાં ખંડના એક ભાગમાં સુંદર ગાલીચા પાથરી તેના પર ગાદી-તકિયા વગેરે બિછાવી રાખ્યું. મહારાજા આવ્યાં કે તરત સ્વાગત વિધિપૂર્વક તેમને એ ખંડમાં લઈ જવાયા. તે ગાદી ઉપર બેઠા. હવે તેમની સમજ એવી હતી કે—મહારાજશ્રી પણ અહીં-ગાદી પર જ બેસશે. થોડીવારમાં પૂજ્યશ્રી પરિવાર સાથે પધાર્યાં, ના. મહારાજાએ ઊભાં થઈને વંદન કર્યુ. પછી તેઓ ઊભાં જ રહ્યા. મહારાજશ્રી ગાદી ઉપર બેસે, તેની રાહમાં તે હતા. ત્યાં જ પૂજ્યશ્રી તા સાધુએ ભૂમિપ્રમાજ નપૂર્વક પાથરેલા આસન પર બિરાજી ગયા. એ જોઇને ના. મહારાજાએ ગાદી ઉપર પધારવા વિન ંતિ કરી. ત્યારે પૂજ્યશ્રીએ સાધુધમ પ્રમાણે એના પર પગ પણ ના મૂકાય, એ સમજાવ્યું. ના. મહારાજા આ સાંભળીને ઘણું આશ્ચય પામ્યા. એની સાથે આવાં કડક સાધુધમ પ્રતિ તેના બહુમાનમાં વૃદ્ધિ થઈ. પછી તે પણ જમીન પર જ બેસી ગયા. શ્રાવકોએ ગાદી ઉપર બેસવા કહ્યું તે તેએ કહેઃ ગુરુ મહારાજથી ઊંચા આસને મારાથી ન બેસાય.' અને તે નીચે જ બેઠા. પછી તા લગભગ બેથી અઢી કલાક સુધી ધર્માંપદેશ સાંભળ્યે.. પૂજ્યશ્રી જ્યાં બિરાજમાન હોય, ત્યાં હંમેશા તેઓશ્રીને વંદન કરવા માટે સેંકડો અનુરાગીઓ આવ્યા જ કરતાં, તેમાં જૈન પણ આવતાં ને જૈનેતર પણ. નજીકના ગામામાંથી આવતાં, ને દૂરના ગામામાંથી પણ. આવીને પૂજ્યશ્રીને ભાવપૂર્વક વાંઢતાં. ઉપદેશ શ્રવણુ કરતાં, કાંઇક સેવા ફરમાવવા વિનવતા, યથાશક્તિ સેવા કરતાં, ને કંઇક પામ્યાની તૃપ્તિ અનુભવતા. અહીંયા પશુ એકવાર-પાડીવ (રાજસ્થાન)થી શેઠ ઋષભદાસ મૂળચંદજી અને જાવાલથી શેઠ કપૂરચક્રેજી હાંસાજી વંદનાર્થે આવ્યાં. કાંઇક ધકા ના લાભ આવવા વિન ંતિ કરી. ત્યારે પૂજ્યશ્રીએ કદ બગિરિમાં ત્રીજી ટુક-વાવડી પ્લોટમાં એક જિનાલય બંધાવવા ઉપદેશ કર્યાં. તેઓ બન્નેએ ભાગીદારીમાં એ વાત હુ થી સ્વીકારી લીધી, ને એ દેરાસરના આદેશ લઈ .લીધે. ચામાસુ પૂર્ણ થતાં શેઠ કુલચંદ છગનલાલ સલાતની વિનતિથી તેમને ત્યાં ઠાણાએઠાણુ કયુ. તેમણે એ પ્રસ ંગે અઠ્ઠાઈ મહાત્સવ, શાંતિસ્નાત્ર વગેરે ધર્માંકાર્યાં કર્યાં, ३७ Jain Educationa International —X—-X—X—X— For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy