SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ એક જ ઃિ તીનતિ ૧૮૭ આમ નહિ ધારેલું બનવાથી રાજપરા સંઘ હર્ષઘેલે બની ગયે. આ પછી પૂજ્યશ્રી ભાવનગર પધાર્યા. ભાવનગરમાં ગામબહારની દાદાસાહેબની વાડીમાં પૂજ્યશ્રી થડા દિવસ રહ્યા. એ વખતે શેઠ ઇશ્વરદાસ મૂળચંદ સહકુટુંબ ત્યાં આવ્યા, અને નાણું મંડાવીને પૂજ્યશ્રી પાસે ચતુર્થવ્રત અંગીકાર કર્યું. નગર-પ્રવેશ માટે એક મંગલ દિવસ નક્કી કરવામાં આવ્યું. એ દિવસે ભાવનગરના સંઘે કરેલી તૈયારીઓ અદ્ભુત હતી. રાજ્ય પણ દરબારી બેન્ડ, હાથી, ઘોડા વગેરે સામગ્રી આપી હતી. સંઘને એકેએક સભ્ય સ્વાગત અર્થે શરૂઆતથી જ હાજર થઈ ગયેલું. રાજ્યના દિવાન સાહેબ શ્રી અનંતરાય પટ્ટણી, નાયબ દિવાન શ્રી નટવરલાલભાઈ, વસુલાતી અધિકારી ગજાનનભાઈ, પિોલિસ ઉપરી શ્રી છેલશંકરભાઈ વગેરે અધિકારીઓનું સમગ્ર મંડળ પણ પ્રથમથી જ હાજર હતું. રાજ્ય પણ રાજ્યની રીતે સામૈયાની અપૂર્વ ગોઠવણ કરેલી. પિતાની કરડાકી માટે સર્વત્ર જાણીતા પિલિસ ઉપરી શ્રીછેલશંકરભાઈ સમગ્ર પલિસ-સ સ્ટાફને સુસજજ બનાવીને લાવેલા. ઈસરોય જેવા ઉંચ્ચ કક્ષાના માણસે આવે, ત્યારે પોલિસની જેવી ગોઠવણી કરાતી, તે જ પ્રમાણે તેમણે પિલિસટાફને ગોઠવ્યા. સામૈયું પસાર થવાના વિશાળ માર્ગવિસ્તારમાં લગભગ ૧૦-૧૦ ડગલાના અંતરે તેમણે એક એક પિલિસ ગોઠવી દીધે. સામૈયું તે સ્થાનેથી પસાર થાય, ત્યારે એ પિલિસે સલામી આપતા. - રાજ્યે તથા સંઘે કરેલું આ સામૈયું સર્વત્ર ચર્ચા અને પ્રશંસાને વિષય બની રહ્યું. એક ફર્સ્ટકલાસ દેશી રાજ્ય જૈનસંઘના એક પ્રભાવશાલી ધર્મગુરૂને આવું–વેઈસરોયથી અધિક માન આપે, એ જોઈને-જાણીને જેન–જેનેતરો તથા અન્ય રજવાડાંઓ પણ આશ્ચર્ય પામવા સાથે પૂજ્યશ્રીની પ્રતિભાથી માહિતગાર બન્યા. સામેયું શહેરમાં ફરીને સમવસરણના વડે ઊતર્યું. પૂજ્યશ્રી ત્યાં જ ચોમાસું બિરાજ્યા. ચોમાસામાં પટ્ટણી સાહેબ વગેરે રાજ્યાધિકારીઓ વારંવાર આવતા, અને ધર્મોપદેશ સાંભળતા. પર્યુષણ પછી પૂજ્યશ્રીને તાવ આવવા લાગે. છેડા થોડા સમયે દેખા દઈ તે આ તાવ જાણે તેઓશ્રીની ભાઈબંધી ઈચ્છતા હતા, પણ તેઓશ્રી એને ગણકારતા નહિ. ફક્ત અર્ધ બળેલ ઉકાળેલું પાણી વગેરે ઉપાયોથી એનું નિવારણ કરતા. તાવને લીધે અશક્ત બનેલા શરીરને જોઈને ભક્તશ્રાવકોએ વિનંતિ કરી કે સાહેબ ! સ્વસ્થતા માટે મુક્ત વાતાવરણની જરૂર છે. માટે આપ કૃષ્ણનગર પધારે. ત્યાં રહો. ત્યાંનું વાતાવરણ આપને અનુકૂળ રહેશે. આ વાત એગ્ય લાગતાં પૂજ્યશ્રી ત્યાં જઈને થોડા દિવસ રહ્યા. ત્યાંના ખુલ્લાં વાતાવરણથી તબિયત પણ સ્વસ્થ બની. ચોમાસું પૂર્ણ થતાં વિહાર કરીને ઘોઘા-કેળિયાક–ખડસલીયા-વાડી-પડવા-નાગધણીબાના રસ્તે રાજપરા પધાર્યા. પૂજ્યશ્રીના દરેક વિહારમાં ગામેગામ સેંકડો ભાવિક ઠેરઠેરથી દર્શન વંદન કરવા આવતાં. દરેક મુકામે પૂજા–પ્રભાવના તથા સંઘજમણ કાયમ થતાં. - રાજપરાના સંધની વિનંતિથી ત્યાંની પ્રતિષ્ઠા કરાવવાનું સ્વીકારીને તેનું શુભ મુહૂર્ત કાઢી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy