SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ શાસનસમ્રાજ્ એ વખતે-ગાયકવાડી અધિકારીઓને પૂજ્યશ્રીની પ્રતિભા અંગે વિશિષ્ટ માહિતી સાંપડી. એ માહિતી અનુસાર તેએએ વિચાયુ કે આ મહારાજશ્રી ચાક થાણાના ગામેાના દરખારા ઉપર સારૂ વĆરવ ધરાવે છે. તેઓ જો એ દરખારાને ઉપદેશરૂપે સમજાવે, તે આ બધાંય ગામા આપણી હદમાં ભળી જાય. આ વિચારથી ગાયકવાડી અમલદારા વારવાર પૂજ્યશ્રી પાસે અવરજવર કરવા લાગ્યા. પ્રસ`ગ મળે કે-તેએ પાતાની વાત મૂકતાં. એકવાર આ ખાતાના (ફેડરેશન અ ંગેના) મુખ્ય અધિકારી શ્રીરણછોડલાલ પટવારી કદગિરિ ઉપર ચાલતા પ્રતિષ્ઠાના પ્રસંગે આવ્યા. તે કાયેલ મુત્સદ્દી ગણાતા. પેાતાના બુદ્ધિમળને લીધે તેઓ ‘નાના પટ્ટણી' તરીકે પંકાયેલા. મુત્સદ્દીની અદાથી તેમણે પૂજ્યશ્રીને કહ્યું ; “વડોદરા રાજ્યે કરેલા દીક્ષા પ્રતિખ'ધક કાયદો આપને અપેાગ્ય લાગતા હોય, તે એ કાયદો હું કઢાવી નાખું. એટલું જ નહિ, આપના આ તીના વહીવટ માટે આ મેઢાનાનેસ ગામ ક’ખગિરિની પેઢીને ત્રાંબાને પતરે લખી આપીએ. પણ આ ગામેાના દરખારાને અમારા રાજ્યમાં ભળવાને ઉપદેશ આપે.’ પૂજ્યશ્રીએ આના ઉચિત જવાબ આપતાં કહ્યું : “ગાયકવાડ સરકારને લાગતું હાય કે દીક્ષાપ્રતિખ ધક કાયદો અયાગ્ય જ છે, તે તેએ એને જરૂર કાઢી નાખે, ખાકી હું દરખારાને તમારામાં ભળવાને ઉપદેશ આપું, અને એના બદલારૂપે તમે એ કાયદો કાઢી નાખવાની વાત કરતા હા તે એ અશકય જ છે. વળી ભાવનગર રાજ્ય દેશી અને સદા ધર્મ પરાયણુ છે. અને અમારાં તીર્થાંનું રક્ષણ પણ તે કરે છે. માટે પણ આવા ઉપદેશ અમાશથી કોઈને ન અપાય. પટવારી વગેરે અમલદારો આ જવામ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેઓ સમજી ગયા કે અહીં આપણી મુત્સદ્દીગીરી ચાલે તેમ નથી. પૂજ્યશ્રીના આ જવાખમાં જે રાજ્યના આશ્રયે રહેતાં હાઈ એ, તેના વરાધના ત્યાગની પ્રતિજ્ઞા (સ્રોવિનત્ત્વો)ના પાલનની દૃઢતા શુ'જતી હતી. શાસનને અને તીને દ્વિત કરનારી ઊંડી દીર્ઘદૃષ્ટિ આ જવાબમાં સમાયેલી હતી. કદ બગિરિથી વિહાર કરીને પૂજ્યશ્રી પાલિતાણા આવ્યા. ઘેાડા દિવસ રહીને ગિરિરાજની યાત્રાએ કરી. ભાવનગરના સંઘ વિન ંતિ કરવા આવતાં ચામાસાની જય એલાવીને ભાવનગર પધાર્યાં. ભાવનગરમાં અનેક ભાવિકાએ શ્રીસમ્યક્ત્વ સહિત વિવિધ ત્રતા નાણુ મ`ડાવીને ઉચ્ચર્યા, ઘાઘાના વતની હરગેવિંદભાઈ નામના એક મુમુક્ષુએ પૂજ્યશ્રી પાસે દીક્ષા પણ લીધી. આચાય શ્રી વિજચેાદયસૂરિજીના શિષ્ય તરીકે તેમનું નામ મુનિશ્રી હેમપ્રભવિજયજી રાખ્યું. ગામના મેટાં દેરાસરની ઉપરના ભાગના જીર્ણોદ્ધાર પૂણ થયા હાવાથી ત્યાં શ્રીપાર્શ્વનાથ ભગવાન વગેરેની, તથા કરચલીયા પરાના નવીન દેશસરની પ્રતિષ્ઠા શ્રીસ ંઘે પૂજ્યશ્રીની નિશ્રામાં કરી. આમ માંગલિક કાર્યાંથી શરૂ થયેલુ ૧૯૯૪ની સાલનુ આ ચેામાસુ` પણ મ’ગલમય રીતે પસાર થયું. ચામાસામાં પૂજયશ્રીના સંસારિ ભાણેજ-મુનિશ્રી ગીર્વાણવિજયજી મહાશજ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy