SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ લાલવિરુદ્ધચા ટાળાં સિવાય ખીજું કશુંય નજરે પડતું નહિ. આટલે વિશાલ સમુદાય, ગરમીના દિવસે, છતાં પણ ભાજનની ઉત્તમ વ્યવસ્થા, ઠેકાણે-ઠેકાણે પાણીની પા અને રહેવાની વ્યવસ્થા ઘણી જ આદશ હતી, એમ કહ્યા સિવાય નહિ જ ચાલે. ઉતરવા માટે વિશાલ ધમ શાળાઓ ઉપરાંત ભાવનગર સ્ટેટ તરફથી ફ્રી ચાજે આપવામાં આવેલ ભવ્ય સમીયાણા, તંબુ, રાવટીઓને જંગી સરંજામ તથા શેઠ માણેકલાલભાઈ સંઘવી તરફથી આવેલ તબુએ, રાવટીઓના સમૂહ, એક વખત રાજામહારાજાની છાવણી ભૂલાવી દે તેવા હતા. અને તેની ગેાઠવણી એક શહેનશાહી કેમ્પ જેવી સુંદર દેખાતી હતી. ઘણાં લકા તે એમ જ કહેતા હતા કે આવા દેખાવ દીલ્લી દરખાર વખતે થયા હતા. " ૨૦૯ R પ્રતિષ્ઠા તેમજ અંજનશલાકાનુ સર્વ વિધિવિધાન ડુંગર ઉપર કરવામાં આવતું હતું. આ નિમિત્તે મુખ્ય દેરાસરની આગળના ચાકમાં એક ખાસ મડપ ઘણેા જ સુંદર બનાવવામાં આવ્યો હતા. તેમાં અષ્ટાપદજી, મેરૂપર્વત તેમજ આરસના સિંહાસન ઉપર ત્રિગડા ગઢની આકર્ષીક રચના ઉપરાંત અંજનશલાકા કરવા ચેાગ્ય વિશાલ વૈશ્વિકાએ તૈયાર થઈ હતી. અને તેના ઉપર લગભગ ચારસાથી પાંચસે પ્રતિમાજીએ અંજનશલાકા માટે ગેાઠવાઇ હતી. તેને દેખીને પ્રેક્ષા મંત્રમુગ્ધ બની જતા હતા. ડુંગર ઉપર પ્રેક્ષકોને વિસામે લેવા સારૂ એક ખાસ અલાયદો ભાવનગર સ્ટેટના વિશાલ શમીયાણુ! ઊભે કરવામાં આવ્યો હતા, તેમજ સાધુ-સાધ્વીઓ રહી શકે તે માટે દેશસરની પાછળના ભાગમાં નાના તંબૂ તથા રાવટીએ વગેરે ગેાઠવવામાં આવ્યા હતા. આ પ્રતિષ્ઠાના શુભ પ્રસંગ ઉપર પાલિતાણાથી આચાર્ય શ્રી વિજયમેાહનસૂરીશ્વરજી, આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજી, આદિ શિષ્ય પરિવાર સાથે તેમજ આગમાદ્ધારક. પૂ. આચાય શ્રીસાગરાન દસૂરીશ્વરજીના શિષ્ય આચાય શ્રીમાણેકસાગરસૂરીશ્વરજી આદિ સાધુમહારાજાએ માટી સખ્યામાં પધાર્યા હતા. લગભગ દોઢસેાથી ખસા સાધ્વીજીએ આવ્યા હતા. પ્રતિષ્ઠાના શુભ દિવસે ભાવનગરના નેકનામદાર હીઝ હાઈ નેસ કૃષ્ણકુમારસિંહજી તરફથી શેઠશ્રીજિનદાસ ધર્મદાસની પેઢીને રૂા. ૧૦૧ને ચાંલ્લા કરવામાં આવ્યેા હતા. એક દેશી રાજ્ય આપણા જૈન ધાર્મિક પ્રસંગનું આવું બહુમાન કરે તે ઘણું જ પ્રશંસનીય છે. અને તેને માટે તેઓશ્રીને ખરેખર ધન્યવાદ આપવા ઘટે છે. પ્રતિષ્ઠા–મહાત્સવ પત્યા પછી થોડા સમય પૂજ્યશ્રીએ કબગિરિમાં સ્થિરતા કરી. આ વિસામાં રાજ્યક્રાંતિ (ફેડરેશન) ચાલતી હતી. એજન્સીની હુકુમતની તમામ નાની ઠકરાતાને (નાનાં ગામાને) બ્રિટિશ સરકારે હુકમ કરેલે કે; “તમે સૌ તમારી નજીકના તમને ફાવે તે રાજ્યમાં ભળી જાવ.' એટલે એ અંગેની ખટપટા ચાલતી હતી. મેદાનાનેસ (કદ ગિરિ) ચાક થાણાનું ગામ હતું. ચેાથાણાના ગામા માટે બે વિકલ્પ હતાં. ૧–કાંતા ભાવનગર રાજયમાં ભળવું, અથવા તા ૨-ગાયકવાડ સરકારમાં ભળવુ. અને રાજ્યાના અમલદારા આ ગામાને પેાતાના રાજ્યમાં ભેળવવા માટે ખટપટ દ્વારા બૌદ્ધિક યુદ્ધ ખેલી રહ્યા હતા. એના ચક્કરમાં સપડાયેલા આ ગામાના ભેાળાં દરબારોને સમજ નહાતી પડતી કે આપણે શેમાં ભળવું? ઘડીકમાં તેઓ ગાયકવાડ તરફ ઢળતાં, તે થાડીવાર પછી વળી ભાવનગરમાં ભળવા તૈયાર થતાં. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy