SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ આ યુગનું ભગીરથ કામઃ ૨૬૧ એક યાત્રા–સઘ નીકળે, તેા સેકડો મારી વગેરે માનવાને વિભિન્ન પ્રકારે રાજીરોટી મળે છે. એથી સમાજને ગરીબવ સારા પ્રમાણમાં પાષાય છે. એ સામાજિક લાભ પણ છે. આધ્યાત્મિક તથા સામાજિક દૃષ્ટિએ આવાં અગણિત લાભ આપનાર મહાન્ સંઘ કાઢવાની ભાવના શેઠ માકુભાઈ ને થઈ હતી. અને એ સંઘ પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં નીકળે, એવી ઈચ્છાથી તેએ વિનતિ કરવા જાવાલ આવેલા. તેમણે પૂજ્યશ્રીને અમદાવાદ પધારવા માટે ભારપૂર્વક આગ્રહ કર્યાં. જો કે-પૂજયશ્રીની પ્રેરણાથી અમદાવાદના તથા મારવાડના ગૃહસ્થા તરફથી શ્રીરાણકપુરજી તી ના જીર્ણોદ્ધાર ચાલુ હતા. તેની પ્રતિષ્ઠા કરવાના વિચાર ચાલતા હતા. એ નિમિત્તે જુદા જુદા ગૃહસ્થા તરફથી નવકારશીએ પણ નાંધાવા લાગી હતી. સાદડી તથા ગોલવાડના સંઘ પ્રતિષ્ઠા માટે પૂજ્યશ્રીને વિન ંતિ કરી ગયેલે. જોધપુરના વકીલ શ્રીજાલમચંદ્રજી વગેરે ગૃહસ્થા પણ વિનતિ કરી ગયેલા કે ‘એક વાર કાપરડાજીની યાત્રાએ પધારો.' પૂજ્યશ્રીની પણ ભાવના હતી કે – મારવાડમાં એએક વર્ષી રહેવું. પણ જ્યાંના અન્નજળ ખળવાન હાય, ત્યાં અવશ્ય જવુ' પડે છે. અહી' પણ એમ જ અન્યું. લાભાલાભના વિચાર કરતાં અમદાવાદ જવું ઉચિત જણાવાથી પૂજ્યશ્રીએ શેઠની વિનતિ સ્વીકારી અને વિહાર કરીને અમદાવાદ પધાર્યા, શેઠશ્રીએ સ ંધની ભવ્ય તૈયારીઓ કરી હતી. શેઠ પ્રતાપસિંહ મેહાલાલ વગેરે શ્રેષ્ઠિવ એમના આ મહાકાય માં સર્વ પ્રકારે સહકાર આપી રહ્યા હતા. આમંત્રણ પત્રિકા સત્ર માકલેલ હાવાથી સંઘમાં જોડાવા માટે ભાવિક વ` ઠેરઠેરથી આવી રહ્યો હતા. માગશર વિઠ્ઠ દશમના દિવસ સંઘના મગલપ્રયાણ માટે નિયત થયા. આ પહેલાં વિશ્નોના વિનાશ માટે શેઠશ્રીએ હન દ્યાવત્ત પૂજન કરાવ્યું, અને તી યાત્રાના વિધિ કરવાપૂર્વક માગશર વિદે દશમે શ્રીસ ંઘે પૂજ્યશ્રીની નિશ્રા સાથે અનુપમ ટાઢથી મોંગલપ્રસ્થાન કર્યું. સંઘપ્રયાણના વરઘાડો ખૂબ મઢમાભર્યાં નીકળ્યા. હજારા માનવા એમાં જોડાયા હતા. ભાવનગરના દિવાન સર પ્રભાશંકર પટ્ટણી વગેરે રાજ્યાધિકારીઓ પણ આ પ્રયાણયાત્રામાં સામેલ થયા હતા. અરે ! લગભગ ચાર લાખ જેટલી માનવમેદ્યની તા આ મહાન સંઘને જોવા માટે જ ઉમટી હતી. શહેરના વાહન વ્યવહાર ખુદ સરકારે ચાર કલાક બંધ રખાવેલા. આપણા મહાન્ ચિરત્રનાયકશ્રી, પૂ. સાગરજી મ., આ. શ્રી વિજયમેાહનસૂરિજી મ., આ. શ્રીવિજયમેઘસૂરિજી મ., વગેરે ૨૭પ જેટલાં મુનિભગવંતા, ૪૦૦ ઉપરાંત સાધ્વીજી મહારાજ, લગભગ ૧૩ હજાર છ ‘રી' પાળતાં યાત્રિકો, ૮૫૦ બળદગાડીએ અને અનેક મેટરો-ખટારાએ સહિત ૧૩૦૦ જેટલાં વાહના, ચાંદીના મહેન્દ્રધ્વજ, સુવર્ણ રસેલા ચાંદ્રીને રથ, ચાંદીના મેરુપર્યંત, ચાંદીનુ જિનમંદિર (ફાલ્ડિંગ), તથા ચાંદીની મનારમ અંબાડી અને હાદ્દાથી દીપી રહેલા ભાવનગર અને ધ્રાંગધ્રા સ્ટેટના એ મહાકાય ગુજરાો, વગેરેથી લાકમાનસમાં અનેરી ભાત પાડતી આ સંઘપ્રયાણયાત્રા શહેરના મુખ્ય મુખ્ય વિસ્તારોમાં ફરતી ફરતી બે કલાકે ત્રણ દરવાજા પાસે પહાંચી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy