SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ પાંચમી ‘રી’ છે સચિત્તપરિહારી. જયણાને જ નિજધમ માનનારા યાત્રિકે સચિત્તને પરિહાર-ત્યાગ કરવા ઘટે. કોઈના અજાણ્યે પણ વધ થાય, એવી પ્રવૃતિ એ ન કરે ૨૦ અને છેલ્લી-છઠ્ઠી ‘રી’ છે—બ્રહ્મચારી. છ એ ‘રી'માં શિરમેર છે આ ‘રી’. વિષય-વાસનામાં ગળાબૂડ રાચેલા યાત્રિકે યાત્રાના અવસરે વિવેક કેળવવા ઘટે. વિવેકીનુ ચિત્ત વિશુદ્ધ બને છે. વિશુદ્ધ ચિત્તવાળાની વાસનાએ વિલય પામે છે, અને વાસના વિનાના આત્મા નિમ`ળ બ્રહ્મચર્ય નું અધિષ્ઠાન અને જ છે. આ મહાન્ છ નિયમનું પાલન કરનાર યાત્રિકાના સમુદાય મળીને તીથ યાત્રા કરે તે છરી’ પાળતા સંઘ કહેવાય. કાઈ પુણ્યશાળી આત્માને ભાવ થાય કે-યથાશકિત આવા યાત્રાળુઓને હું યાત્રા કરાવું. તે! એ નિમંત્રદ્વારા યાત્રાળુઓને ભેગા કરે, જે યાત્રા કરાવ ને સધપતિ અને, સંઘપતિ એટલે ‘સંઘના પતિ’ નહિ, પણ સ ંઘ જેના પતિ-સ્વામી અન્ય તેસ ઘસેવક. શાસ્ત્રો કહે છે કે : “ઈન્દ્રપદ અને ચક્રવતી પદ્મ પ્રશ'સનીય ખરાં. પણ એથી અધિક શ્લાઘ્ય તા ‘સ’ઘપતિપદ્મ' જ છે. કારણ કે-એ મહાન પુણ્યાયે જ પમાય છે.” પ્રાચીનકાળમાં અનેક પુણ્યાત્માએ આ પદના ભાજન બન્યા છે. સમ્રાટ્ સંપ્રતિ, મહારાજા કુમારપાળ, અને મંત્રીશ્વર વસ્તુપાળ વગેરે એમાં અગ્રેસર છે. એ પુણ્યાત્માઓએ અનેક વાર મહાન્ સંઘયાત્રાએ કાઢેલી. સંઘયાત્રા કાઢવાના ફાયદા અનેકવિધ છે. સૌથી પહેલા લાભ સ ંઘપતિને. કહે છે કે-— આવા સંઘ કાઢનાર આત્મા ચતુર્વિધ સંઘના દર્શન કરીને-ભકિત કરીને ક્રમશઃ તીર્થંકરપદ્મ મેળવવા પણ કિતમાન બને છે. પૂર્વ વર્ણવેલા છ નિયમેાના પાલક યાત્રાળુએને તે અપૂવ આત્મિક લાભ છે જ. એ સાથે એમના મનેાખળની ક્યારેક કસાટી પણ થાય છે. માગ માં એકલાં પડવુ, ભૂલા પડવું, હિંસક વન્યપશુ તથા ચાર આદિના આકસ્મિક ભય, વગેરે અનેક સકામાંથી પસાર થવુ' પડે, એથી એમનુ મનેાખળ મજબૂત અને-નીડર બને. આ પણ એક સુંદર ફાયદા છે. સંઘ જ્યાં જ્યાં જાય, પછી તે ગામડું હાય કે નગર હાય, ત્યાંના જૈન-જૈનેતર લેાકેાના હૈયામાં આ યાત્રિકોને જોઈ ને એક અપૂર્વ ભાવ પેદા થાય છે—અનુમાઢનાના. એના પ્રતાપે કઈક ભદ્રજીવા પેાતાનુ કલ્યાણ સાધી જાય છે. કેટલાંય અધમી એ ધમ'સન્મુખતા મેળવે છે. મિથ્યાત્વીએને પણ સમ્યક્ત્વના સ્પર્શ થાય છે. કાઈ સ્થળે રાજશાસકમાં જિનશાસનના વિરોધી તત્ત્વા હાય, અને તેથી સ ંઘને હાનિ થતી હાય, તેા એનુ નિવારણ આ યાત્રા-સંઘ દ્વારા થઈ શકે. યાત્રિકાની પવિત્ર ભાવના, સંઘપતિની વિલક્ષણ પ્રતિભા, અને ગુરુભગવંતાની અહિંસાપ્રધાન દેશના એ રાજશાસકોના દ્વેષભાવને ડામવા સમથ અને છે. પરિણામે સ્થાનિક જનતાને તથા આગંતુક સ ંઘને વિશિષ્ટ લાળા મળે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy