SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ નમરતે કાદંબ ! ૨૪૫ દેવકુલિકાએ તૈયાર થઇ ગઈ હતી. તેને આદેશ પણ ભાવિકોએ લીધેલ હતા. એમાંની એક દેરીમાં આ પ્રભુજીને વિધિપૂર્વક પાણાદાખલ પધરાવ્યા. ત્યારબાદ શુભલગ્ન શ્રીમહાવીરસ્વામિપ્રાસાદ અપરનામ શ્રીકદ ખવિહારપ્રાસાદમાં (મંડપ તથા ગભારામાં) અને તેની ભમતીની દેરીઓમાં યથાસ્થાને અનેક પ્રભુજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. તેમાં મૂળનાયક શ્રીમહાવીર સ્વામી પ્રભુ તથા તેમની આજુબાજુના ૧ શ્રી આદીશ્વર, ૨ શ્રી સ ંપ્રતિજિનેશ્વર, આ ત્રણ પ્રભુની પ્રતિષ્ઠા શ્રીપુંજીબેને કરી. તેમની ભાવના તેમના સ્વગીય પિતાજીની મન: કામના આજે પરિપૂર્ણ થઈ. તે પેાતાને કૃતકૃત્ય માની રહ્યા. ગભારામાં–મડપમાં તથા ભમતીની દેરીએમાં પધરાવવાના અન્ય સવ પ્રભુજીના ગાદીનશીનિવિધ તે તે આદેશ લેનાર સગૃહસ્થાએ પાતાના વિશાળ પરિવાર સાથે કર્યાં. પ્રતિષ્ઠા સમયે માનવમેદની તેા માતી ન હતી. ચારેકાર માણસ જ માણસ. જાણે માનવાનેા મહેરામણ ઉભરાયા. જી મુખ્યદં પુળ્વાદ’, ને ‘પ્રોયન્તાં પ્રોયન્તાં” ની પાવન ઘાષણા ચારે તરફ વ્યાપકરૂપે થઈ રહી હતી. અમદાવાદનિવાસી શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈ તે વખતે વિમાનમાં આરૂઢ થઈને ગગન—ગાખથી વિવિધ પુષ્પાની વૃષ્ટિ કરી વાતાવરણને સુવાસિત બનાવતા હતા. પ્રભુજી ગાદીનશીન થયા પછી એક અદ્ભુત બનાવ બન્યા. મૂળનાયક પ્રભુજીની મૂર્તિ માંથી બ્ય અમી ઝરવા લાગ્યા. હજારા આંખાએ ભક્તિ અને કુતૂહલ સાથે એ અમીવર્ષ ણુ નિહાળ્યુ. આ પછી પ્રભુજીનું અલૌકિક સ્વરૂપ જોયુ હાય તા— જળહળાયમાન દેહકાન્તિ નેત્રોને આંજતી હતી. મુખકમળ તેા હસુ હસું થઈ રહ્યું હતું. જાણે હમણાં જ ભગવાન્ મેલી ઉઠશે—એવું લાગતુ. પ્રતિષ્ઠાના દિવસે શ્રીપુ જીબેન તરફથી ગામધુમાડા મધ રાખવામાં આવ્યેાગામ ઝપે ચેાખા કરવામાં આવ્યા. લગભગ ૨૫ હજાર માણસાએ તેના લાભ લીધા. પ્રભાવનાની વ્યવસ્થા તેા અપૂર્વ જ હતી. શ્રીફળની પ્રભાવના રાખી હતી. મેાટા ચાકમાં શ્રીફળના ઢગલા કરવામાં આવ્યે. નાના શે! ડુંગર જ ખડા થઇ ગયે! સમજો ને ! અને તેમાંથી દરેક વ્યકિત સ્વયં એક શ્રીફળ લઈ લે. આ ઉપરથી જ કલ્પી શકાય છે કે ત્યાં તે વખતે કેટલી માનવમેદની એકત્ર થઈ હશે ? પ્રતિષ્ઠા થયા પછી શ્રીજિનદેવાધિષ્ઠિત એક ખવિહાર પ્રાસાદને રમણીય દેખાવ અપૂર્વ આલ્હાદક હતા. એના ગગનતલસ્પશી (શખર ઉપર લહેરાઈ રહેલી મનોહર ધ્વજા ભાવિકાને મન સાક્ષાત્ જિનેશ્વરદેવની કીતિધ્વા જ હતી. મઢ–શીતલ સમીરની પ્રેરણાથી વાગી રહેલી, શિખરના ઉત્તુંગ દંડ ઉપર ઝૂલી રહેલી નાની નાની ક ંકિણીઓના સુમધુર રણકારથી નીરવ ગગનમાં અણુકલ્પી કોમળતા વ્યાપી રહી હતી. ૧. ગઈ ચાવીશીના ચોવીશમા જિનેશ્વર. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy