SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ કર્માશાહ હતા. એકાએક આચાર્યશ્રીની દષ્ટિ કર્માશાના તેજસ્વી લલાટ પર સ્થિર થઈ ગેડી. વાર માટે તેઓ કઈ ગહન વિચારમાં ખોવાઈ ગયા. જ્યારે તેઓ વિચાર–વમળમાંથી બહાર નીકળ્યા, ત્યારે તેમણે તોલાશાહ સાથે ઉપર પ્રમાણે વાતચીત કરી. પછી તેઓ સંઘ સાથે યાત્રાથે આગળ વિહાર કરી ગયા. અહીં કાળક્રમે તેલાશાહ સ્વર્ગગામી બન્યા. પછી તેમના યુવાન અને ધીમાન પુત્ર કર્માશાહને મંત્રીપદ મળ્યું. તેઓ પણ પિતા જેવી જ કુનેહથી કારભાર ચલાવતા હતા. એકવાર-અમદાવાદના સુલતાન મુઝફરશાહનો નાને શાહજાદો બહાદુરશાહ કેઈ કારણે પિતાની સાથે લડીને ભાગીને ચિત્તોડ આવ્યું. સુલતાનનું ફરમાન હતું કે તેને કેઈએ આશ્રય ન આપે,” પણ એ ફરમાનને ગણકાર્યા વિના કર્મશાહે શાહજાદાને આદર સહિત આશ્રય આપ્યો. એને જોઈતી રકમની સહાય કરી. પછી પ્રેમથી સમજાવીને એના પિતા સાથે સમાધાન કરાવ્યું. - હવે જ્યારે એ શાહજાદ અમદાવાદને સુલતાન થયે, ત્યારે તેણે પિતાના પરમ ઉપકારી મિત્ર મંત્રી કર્મશાને યાદ કરીને બોલાવ્યા. અને કહ્યું તમારે જે જાગીર-સંપત્તિની જરૂર હોય તે માગે, હું આપીશ. કર્માશાહ વણિક હતા. તેમને ધનસંપત્તિની કોઈ જરૂર ન હતી. એ તે તેમને ત્યાં વાપરી ન ખૂટે એટલી હતી. તેમને પૂ. આ. શ્રીધર્મરત્નસૂરિજી મ. નું વચન યાદ આવ્યું. તેમણે વિચાર્યું કે સુલતાન જે સુલતાન રીઝ છે, તે આપણું મહાતીર્થ શ્રી સિદ્ધાચલજીના ઉદ્ધારની તથા દેશના જૈન ધર્મસ્થાનના સંરક્ષણની અનુજ્ઞા જ શા માટે ન મેળવવી ? તરત જ તેમણે પિતાની એ માંગ શાહ પાસે રજૂ કરી, શાહ તેમના પર ઘણે પ્રસન્ન હતું. તેણે એ બંને માંગણીઓ મંજૂર કરી. અને તત્કાળ સૌરાષ્ટ્રના સૂબા ઉપર શાહી ફરમાન લખી મેકહ્યું કે “કમશાહને તીર્થોદ્ધાર માટે સર્વ સવલત આપો.” - શાહી ફરમાનથી અતી આનંદ પામેલા કર્માશાહ ત્યાંથી સીધા ખંભાત ગયા. ત્યાં બિરાજતા પૂ. આ. શ્રી વિનયમંડલ સૂરિજીને તમામ પીનાથી વાકેફ કર્યા અને તીર્થોદ્ધારપ્રારંભના મુહૂર્ત તથા વિધિ અંગે પૃચ્છા કરી. આચાર્યશ્રીએ પણ શુભમુહૂર્ત આપવા સાથે કરણીય વિધિ સમજાવ્યું. એ જાણી લઈને કર્મશાહે કુશળ શિલ્પીઓને નિમંત્ર્યા. અને એ શિલ્પીઓ શાસ્ત્રાનુસાર કાર્ય કરે તે માટે, તથા એગ્ય વિધિવિધાન માટે તેઓ તિષ, શિલ્પાદિ શાસ્ત્રોમાં પારંગત શ્રીવિવેકધીરગણિ, તથા શ્રીવિવેકમંડન પાઠકને વિનંતિપૂર્વક પાલિતાણું લઈ ગયા. ગિરિરાજ ઉપર તે મુનિવરની દેખરેખ તથા સૂચનાનુસાર દાદાના જિનાલયને જીર્ણોદ્ધાર શરૂ કર્યો. શ્રી પુંડરીકસ્વામીનું જિનાલય બંધાવ્યું. દાદા આદિનાથ પ્રભુની નૂતન ભવ્ય પ્રતિમા કુશળ કારીગર પાસે શાસ્ત્રોક્ત પ્રમાણયુક્ત બનાવરાવી. જીર્ણોદ્ધાર પૂરો થવા આવ્યું, ત્યારે તેઓએ વિભિન્ન સ્થળોએ બિરાજતાં વિવિધગચ્છીય આચાર્યાદિ મુનિવરોને વિનંતિ કરીને નિમંત્ર્યા. અનેક આચાર્ય ભગવંતેના સાંનિધ્યમાં એ મહાપ્રાસાદમાં પ્રભુની અંજનશલાકા-પ્રતિષ્ઠાનો મહામહોત્સવ તેમના તરફથી ઉજવાયે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy