________________
२२८
શાસનસમ્રાટું
ઉપદેશને પરિણામે શા. કસળચંદભાઈએ કદંબગિરિજીની તળેટીમાં ભાતાખાતાને એક એારડે બંધાવ્યું.
અહીંથી સંઘ પાલિતાણા આવ્યો. ગિરિરાજની યાત્રા કરીને સંઘપતિએ પૂજ્યશ્રીના હસ્તે તીર્થમાળ પહેરી. પછી સંઘ સ્વસ્થાને ગયે.
શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈને નવપદજીની શાશ્વતી ઓળીનું આરાધન ચાલું હતું. તેની પૂર્ણાહુતિ આ વર્ષે થતી હતી. તેમને અભિલાષા થઈ કે-પૂજ્યશ્રી આ માસું અમદાવાદમાં કરે, અને તેઓશ્રીની નિશ્રામાં આરાધનાની સમાપ્તિ થાય તે વધારે સારૂં. એથી તેઓ અમદાવાદ પધારવાની વિનંતિ કરવા આવ્યા. પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શનાએ એ વિનંતિને સ્વીકાર કર્યો. પછી પાલિતાણાથી કદંબગિરિ જઈ ત્યાંથી ચેક-જાળીલા–ઘેટીને રસ્તે વલભીપુર પધાર્યા. અહીંના નામદાર ઠાકોર સાહેબના ભકિતપૂર્ણ આગ્રહને માન આપીને થોડા દિવસ સ્થિરતા કરી. પછી આગળ વધ્યા.
માગમાં ધંધુકા પાસેના ખરડ ગામમાં તેઓશ્રીની પ્રેરણાથી શેઠશ્રી માણેકલાલભાઈએ ઉપાશ્રય બંધાવ્યું. કઠથી ધૂળકા જતાં વચ્ચે આવતાં સરંઢી ગામમાં પણ સાધુ-સાધ્વીઓને ઉતરવાનું કોઈ સ્થાન ન હતું. તે માટે પૂજ્યશ્રીએ ઉપદેશ આપતાં માણેકભાઈ શેઠે ગામમાં એક મકાન વેચાણ લઈને ઉપાશ્રય માટે સમપ્યું.
કઠમાં પણ ઉપાશ્રય નાને હેવાને કારણે મુશ્કેલી પડતી. પણ પૂજ્યશ્રીના સદુપદેશથી શ્રાવકોએ એ ઉપાશ્રયને વિશાલ અને વ્યવસ્થિત બનાવ્યું.
મહામંત્રીશ્રી વસ્તુપાળ અને તેજપાળના સમયની ગુજરાતની રાજધાની ધોળકામાં પૂજ્યશ્રી પધાર્યા. ત્યાંના ત્રણ જીણું દેરાસરને ઉદ્ધાર પૂજ્યશ્રીના ઉપદેશથી વિભિન્ન શ્રાવકેએ કરાવ્યું. ત્યાંથી અનુક્રમે સરખેજ પધાર્યા. વચમાં બદરખા તથા કાસીંદ્રાના જીર્ણ દેરાસરેને ઉદ્ધાર તેઓશ્રીના ઉપદેશથી થયે.
આ આખાયે વિહાર દરમ્યાન પ્રતિદિન ગામ-બહારગામના સેંકડો ભાવિકે પૂજ્યશ્રીને વંદન કરવા કાજે આવતાં જ રહેતાં. સરખેજમાં સ્વામીવાત્સલ્ય થયું. તેને લાભ હજાર ઉપરાંત ભાવિકોએ લીધે. ત્યાંથી ભવ્ય સામૈયા સહ અમદાવાદ શહેરમાં પધાર્યા.
અમદાવાદ પધાર્યા પછી હાંલા-પળના જીર્ણોદ્ધત જિનાલની પ્રતિષ્ઠા કરાવી. ૧૯૮૬ ની સાલનું આ ચાતુર્માસ અમદાવાદમાં બિરાજ્યા. આ માસની એાળી પ્રસંગે શેઠશ્રી માણેકલાલભાઈની વિનંતિથી તેમના બંગલે પધાર્યા. ત્યાં તેઓશ્રીની નિશ્રામાં શેઠ સહિત સેંકડો ભાવિકોએ ઉત્સવ અને વિધિપૂર્વક ઓળીની આરાધના કરી.
ચોમાસા પછી એલીસબ્રીજ-કોચરબ વિસ્તારમાં આવેલી જૈન-સોસાયટીમાં રહેતા શ્રાવકેના આગ્રહથી ત્યાં પધાર્યા. શેઠ મણલાલ સુરચંદના બંગલે રહ્યા. વ્યાખ્યાન હંમેશાં ચાલુ રહેવાથી ભાવિકે સારા પ્રમાણમાં લાભ લેતા હતા. અહીં દેરાસર નહતું. એ ખોટ સૌને સાલતી. પણ કઈ પ્રેરક નહતું, એટલે એમ ને એમ ચાલતું હતું, પૂજ્યશ્રીએ ત્યાંના શ્રાવકેને પ્રેરણા કરી. “જૈનને બાળક પ્રભુદર્શનથી વંચિત ન જ રહેવું જોઈએ.” એ વાતને ભારપૂર્વક ઉપદેશી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org