SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમોદનીય યાત્રા સંધ પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરિજી મ, વાચનાચાર્ય શ્રીમાણિક્યસિંહસૂરિજી મ., પં. શ્રીભક્તિવિજયજી મ. (રાધનપુરવાળા) આદિ અનેક પૂજ્ય મુનિપંગ સપરિવાર પધાર્યા હતા. ભાલ્લસિત હૈયે શંખેશ્વરતીર્થની યાત્રા કર્યા બાદ પૂજ્યશ્રીએ સંઘવીજીને વિધિપૂર્વક તીર્થમાળા-પરિધાન કરાવ્યું. ત્યારબાદ ત્યાંથી પંચાસર-દશાડા થઈને માંડલ-ઉપરીયાળાજી પધાર્યા. માંડળમાં શેઠ આક. ની પેઢીની કમિટિ સિદ્ધાચલજીના પ્રશ્ન અંગે પૂજ્યશ્રી પાસે માર્ગ દર્શન મેળવવા આવી. કમિટિ અને પૂજ્યશ્રી વચ્ચે તે અંગે વિચારણા તથા વાટાઘાટે થઈ. કમિટિએ પૂજ્યશ્રીને સૂચવ્યું કે : “આપશ્રી ધ્રાંગધ્રા પધારશે, તે ત્યાંના દીવાન સાહેબ શ્રીમાનસિંહજી આપની સાથે શ્રીસિદ્ધાચલજી તથા શ્રીગિરનારજી સંબંધી વાટાઘાટ કરવાના છે. વળી–તીર્થના હકક વગેરે બાબતની માહિતી, તથા સામાને સમજાવવાની શક્તિ, જે આપશ્રીમાં છે, તેવી અન્ય કેઈમાં નથી જ. અને આપશ્રી જે કરશે તે પેઢીને તેમજ હિન્દુસ્તાનના સંઘને માન્ય કરવાનું હોય જ છે.” સંઘ ધ્રાંગધ્રા તરફ આગળ વધે. પિષ વદી એથે ધ્રાંગધ્રામાં પ્રવેશ હતે. અહીં આજુબાજુના તથા દૂરના ગામોમાંથી હજારો લેકે આ વિશાલ તીર્થયાત્રાસંઘના દર્શનાર્થે ઉમટયા હતા. ગામ બહાર એક માઈલ દૂર સંઘ આવી પહોંચતાં, ત્યાં દિવાન સાહેબ શ્રીમાનસિંહજી કે જેઓ પૂજ્યશ્રીના પરમ અનુરાગી ભકત બન્યા હતા. અને પૂજ્યશ્રીને “ગુરૂજી માનતા હતા, તેઓ અન્ય રાજ્યાધિકારીઓ તેમજ ધ્રાંગધ્રાને શ્રીસંઘ વિ. આવી પહોંચ્યા. પૂજ્યશ્રીના દશન-વંદન કરીને સંઘવીજીને મળ્યા. ત્યાર પછી વિશાળ છતાં સુવ્યવસ્થિત સામૈયું શરૂ થયું. એ સામૈયાનું વર્ણન કરતાં “શ્રી ધામી લખે છે – ગામથી એક માઈલ દૂરથી વરઘોડો ચડવાને હોવાથી બે એક માઈલ સુધી સડક પર બંને બાજુ માણસની હાર ખડી થઈ ગઈ હતી. વરઘોડામાં પ્રથમ સંઘવીશ્રીનો નિશાનડંકે હતું. ત્યારપછી સ્ટેટનું વિશાળ મિલિટરી બેન્ડ હતું. એની પાછળ સ્ટેટના પાયલ સૈનિકની એક સશસ્ત્ર ટુકડી હતી. પાછળ કાઠિયાવાડના પાણીદાર ઘેડાઓ નચાવતા સ્ટેટના સ્વાર હતા. ત્યારપછી કુણઘેરીઆ ગુર્જરવીરે, તેની પાછળ ઘેડાગાડીઓની લાંબી કતાર અને શણગારાયેલા સાંબેલાઓ પાછળ સંઘવીજીને સુંદર સીગરામ ચાલતું હતું. એની પાછળ ધ્રાંગધ્રાના સ્વયંસેવકોની વિશાળ ટુકડી હતી. ત્યારબાદ સંઘપતિની પુત્રી શ્રી કલાવતીબેન સબેલા તરીકે શોભી રહ્યા હતા. આની પાછળ પચાસ વેલંટીયરની ટુકડી હતી. આ પછી વળી સ્ટેટનું એક સુંદર બેન્ડ હતું. અને પાછળ આચાર્ય મહારાજ શ્રીવિજય. નેમિસૂરીશ્વરજી, આચાર્ય મહારાજ શ્રીવિજ્યનીતિસૂરીજી, આચાર્ય શ્રીદર્શનસૂરિજી, આચાર્યશ્રી ઉદયસૂરિજી, પં. શ્રીભક્તિવિજયજી તેમજ બીજા મુનિમંડળ સહિત લગભગ પોણસો સાધુમહારાજાઓને વિશાળ સમુદાય ચાલ્યું જતું હતું. ત્યાર પછી સંઘવીજી અને તેમના બંને ભાઈઓ તથા કુટુંબ, તેમની બાજુમાં ધ્રાંગધ્રા સ્ટેટના દિવાન સાહેબ તથા અન્ય અમલદારો, ત્યારબાદ ધ્રાંગધ્રાના આગેવાન જૈન ગૃહસ્થ અને ભાવનગર, જામનગર, વેરાવળ આદિ ગામના શેઠીયાઓ, આ ઉપરાંત સંઘના તેમજ બીજા જેવા આવેલા ભાઈઓની અપાર સંખ્યા હતી. આ વરઘેડાની લંબાઈ એટલી વિશાળ થઈ હતી કે જાણે કઈ નદી મંદ મંદ ગતિએ વહી For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy