SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શાસનસમ્રા વળી સેરઠદેશના બંધુ સમા અને સોરઠ જેવા જ ગૌરવશાલી કચ્છ દેશનું મહાન તીર્થ ભદ્રેશ્વર છે. એનું અસલ નામ ભદ્રાવતી નગરી. ચરમતીર્થપતિ શ્રી મહાવીરદેવના જીવનકાળ દરમ્યાન એ નગરીનું કચ્છમાં આગવું સ્થાન હતું. સર્વ રીતે સમૃદ્ધ એ નગરી હતી. આ નગરીમાં શ્રીદેવચંદ્ર નામના એક શ્રાવકે ભવ્ય જિનાલય બંધાવી, તેમાં પ્રભુની ગણસંપદાના સ્વામી શ્રી સુધર્માસ્વામી ભગવંતના પવિત્ર હસ્તે અંજનશલાકા કરાયેલ શ્રી પાર્શ્વપ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરી. ત્યારથી એ નગરી તીર્થ તરીકે વિખ્યાત બની. ત્યારબાદ એ નગરીએ. ઘણી ચડતી-પડતીએ જઈ. ભદ્રાવતીમાંથી ભદ્રેશ્વર થયું. દેરાસર ઉપર પણ વિધ્વંસના પડછાયા પડયા. જગપિતા જગડૂશાહના વખતમાં આ નગરી પુનઃ સમૃદ્ધ થઈ અને સં. ૧૬૨૨માં શ્રીસંઘે નૂતન જિનાલયમાં મૂળનાયક તરીકે શ્રી મહાવીર પ્રભુની સ્થાપના કરી. પ્રાચીન મૂળનાયક શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમા કે-જે પડતીના કાળમાં એક બાવાના હાથમાં જઈ પડી હતી, તેની પાસેથી મેળવીને નૂતન જિનાલયની ભમતીમાં (૫૧ દેરીઓની મુખ્ય દેરીમાં) સ્થાપવામાં આવી. આ દેરાસરને છેલ્લે ઉદ્ધાર સં. ૧૯માં થયે. આબુ-દેલવાડાની તુલનાએ આવે એવી આ તીર્થની કલા કારીગરી છે. ચાલુ કાળમાં (સં. ૧૯૮૨-૮૩) વિકટમાર્ગ, દૂર દેશ, પૂરતી પ્રતિકૂળતા વગેરે કારણોસર સાધુ-સાધ્વીજીઓ તથા એકલદોકલ ભાવિક ગૃહસ્થ કચ્છના આ પુણ્યતીર્થની યાત્રાએ ન જઈ શકતા. એટલા માટે આ તીર્થની યાત્રા કરવાનું પણ નિણીત થયું. ગામેગામ નિમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી. અને માગસર વદિ ૧૩ના મંગલદિને શેઠશ્રી નગીનદાસ કરમચંદભાઈએ પૂજ્યશ્રીની પવિત્ર નિશ્રામાં ચતુર્વિધ શ્રીસંઘ સહિત તીર્થયાત્રા માટે મંગલ પ્રસ્થાન કર્યું. નગરબહાર સંઘ ચારેક દિવસ રેકો. પૂજ્યશ્રીના વિવિધ વિષયોને લગતા વ્યાખ્યાને સમસ્ત સંઘને ભારે આલ્હાદ ઉપજાવવા લાગ્યા. . આ સંઘને આંખે દેખ્યો અહેવાલ લખનાર શ્રીયુત મોહનલાલ ચુનીલાલ ધામી લખે છે કે–પિષ શુદિ એકમને દહાડે શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીનું મહત્વપૂર્ણ વ્યાખ્યાન થયું. આ વ્યાખ્યાન સાંભળવા માટે માનવમેદનીને પાર ન હતું. કેઈ તેમના દર્શનાર્થે, કેઈ વચનામૃતની આશાએ, તે કોઈ તેમને પડકાર ઝીલવા, એમ ઘણુ ભાઈઓ આવ્યા હતા. અમદાવાદના તેમજ બીજા ગામોના શેઠીયાઓ પણ આ વ્યાખ્યાનમાં આવ્યા હતા. જેનેતરવર્ગને પણ સારે જમાવ થયો હતો. મહારાજશ્રીએ આત્મશકિતને વિકાસ અને પ્રતિમાપૂજન ઉપર સચોટ દલીલ સહિત લગભગ ત્રણ કલાક સુધી સુંદર વ્યાખ્યાન આપ્યું હતું.' પિષ સુદ બીજે સંઘ આગળ વધે. કુણઘેર-જમણપુર-હારજ-મુંજપુર થઈને શ્રીશંખેશ્વરતીર્થ આવ્યો. સંઘમાં પૂજ્યશ્રી સપરિવાર, તેમજ પૂ. આ. શ્રી વિજયનીતિસૂરિજી મ. ૧ ક૭–ગિરનારની મહાયાત્રા-પૃ. ૪૪, લેખક શ્રીધામી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy