SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ અદ્ભુત કુનેહ-દઢ આત્મબલ ૧૫ કરતાં પૂજ્યશ્રી વિહાર કરી, પેટલાદ-માતર–ખેડા થઈને અમદાવાદ પધાર્યા. શરીરની અનુકૂળતા માટે શ્રાવકની વિનંતિ થવાથી સં. ૧૯૭૯નું એ ચાતુર્માસ પૂજ્યશ્રી અમદાવાદ-ખાનપુરમાં શા. હીરાલાલ પાંચાના બંગલે બિરાજ્યા. [૪૨] અદ્દભુત કુનેહ-દઢ આત્મબલ બાહુચર સ્ટેટના મહારાજા શ્રી બહાદુરસિંહજી દુગડ કે જેઓ જૈનધમી મહારાજા હતા. તેઓ પગપાળા હિંદુસ્તાનના પ્રવાસે નીકળેલા. તેઓ અમદાવાદ આવ્યા, ત્યારે પૂજ્યશ્રીના દર્શનાર્થે આવ્યા. શ્રીસમેતશિખરજી તીર્થની વહીવટી દેખરેખ તેઓ કરતા હોવાથી તે તીર્થ અંગે દિગંબર સાથે ચાલતા ઝઘડા માટે કેટલીક વિચારણાઓ પૂજ્યશ્રી સાથે કરવાની હતી. એ વિચારણા માટે પૂજ્યશ્રી પાસે તેઓ બેઠા, તે દરમ્યાન પૂજ્યશ્રીને ઠલ્લાના વ્યાધિને લીધે પંદરેક વાર ઠલે જવું પડયું. એ જોઈને મહારાજાએ પોતાની સાથે પ્રવાસમાં રાખેલા હોમિયોપેથી ડોકટર પાસે પૂજ્યશ્રીની તબિયત તપાસાવરાવીને ગ્ય ઔષધ અપાવ્યું. એ ડેકટરે બે પડીકીઓ આપી. એક તે દિવસે અને બીજી ત્યારપછી આઠમે દિવસે લેવાની હતી. પણ પૂજ્યશ્રીને એક પડીકીથી જ આરામ આવી ગયે. ઘણા દિવસથી આહાર ન લેવાતે, તે પણ તે દિવસે લેવા, અને ગેસ–ઠલ્લા વિ. તમામ શાંત થઈ ગયું. ત્યારબાદ મહારાજાશ્રી પૂજ્યશ્રી સાથે વિચારણા કરી, પૂજ્યશ્રીનું માર્ગદર્શન મેળવીને પોતાના પ્રવાસમાં આગળ વધ્યા. ચાતુર્માસ-સમાપ્તિ થતાં એ ચાતુર્માસ પરાવર્તન પૂજ્યશ્રીએ નાગજી ભૂધરની પોળમાં શેઠ દલાભાઈ ગિરધરલાલને ત્યાં કર્યું. તેમણે તે પ્રસંગે અઠ્ઠાઈ મહેત્સવ તથા અમદાવાદના સંઘની નવકારશી વિ. કાર્યો કર્યા. નાગજી ભૂધરની પિળમાં મુનિરાજેને ચાતુર્માસિક સ્થિરતા માટે અને ગૃહસ્થને આરાધના કરવા માટે ઉપાશ્રય ન હતું. આ ખામી સૌને ખટકતી હતી. પૂજ્યશ્રીના ધ્યાનમાં એ ખામી આવતાં તેઓશ્રીએ એ માટે પિળના રહીશ શ્રીસાંકળચંદભાઈ વકીલના ધર્મપત્ની શ્રીચંપાબેનને ઉપદેશ આપે. ચંપાબેને પિતાને અભાગી માનવાપૂર્વક એ ઉપદેશને ઝીલી લઈને પળના નાકે આવેલું પોતાનું મકાન શ્રી સંઘને ઉપાશ્રય માટે સમર્પણ કર્યું. એમાં સાધુ મહારાજેન ચમાસાં થવા લાગ્યાં. ત્યારબાદ શેષકાળમાં પૂજ્યશ્રી શાહીબાગમાં શેઠ મણીલાલ મનસુખભાઈના બંગલ સમય રહીને શેઠ હઠીસિંહ કેસરીસિંહની બહારની વાડીમાં બિરાજ્યા. આ વર્ષે મહાપ્રભાવશાલી પૂજ્ય ગણિવર શ્રીમૂળચંદજી મહારાજશ્રીના શિષ્ય આચાર્ય શ્રીવિજ્યકમળસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન પં. શ્રી મોહનવિજયજી ગણને નાગજી ભૂધરની ૧ અત્યારે એ સ્થાને ભવ્ય ઉપાશ્રય થયેલ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy