SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ કાપરડાને પુનરૂદ્ધાર ૧૭, બિલાડાથી શ્રીપનાલાલજીના કુટુંબીઓએ માણસ મોકલીને કહેવરાવ્યુંઃ જાટલેકેના ભયંકર તેફાનમાં તમારે ત્યાં રહેવાની જરૂર નથી. તમે જલદી અહીં આવી જાવ. જવાબમાં તેમણે કહેવરાવ્યું કેઃ “મારે દેહ પડે તો ભલે પડે, પણ અત્યારે હું બિલાડી નહીં જ આવું. પૂ. આચાર્ય મહારાજાદિને આવા સંગમાં અહીં મૂકીને મારાથી અવાય પૂજ્યશ્રીએ પનાલાલજીને કહ્યું: “તમે જરાય ચિંતા કરશે નહિ. કાંઈ થવાનું નથી. પણ તમારે તમારા રક્ષણ માટેના સાધને અહીં તૈયાર રાખવા ઉપગ રાખ જોઈએ.” “સાહેબ! પનાલાલજીએ કહ્યું-હમણુ જ તમામ સાધનો અહીં આવી જવાના જ છે? અને થોડીવારમાં તે બિલાડાના એક “રાવણે નામે ગૃહસ્થ તલવાર-ઢાલ–બંદૂક વિ. હથિયાર લઈને ત્યાં આવી પહોંચ્યા. કાપરડાજીથી સાત ગાઉ દૂર, “બિલાડામાં તેઓ કઈ રીતે ગયા, અને તમામ સાધને લઈને તે જ વખતે પાછા કાપરડાજી કઈ રીતે આવ્યા ? એ પ્રશ્નને ઉકેલ તો તેઓ જ કરી શકે. ત્યાર પછી હથિયાર લઈને પનાલાલજી વિગેરે ગઢ ઉપર ચડી ગયા. અને ડીવારમાં તે જાટલેકેના હથિયારબંધ ટેળાંઓ હકારા-પડકારા કરતા આવી પહોંચ્યા. સાંજને સમય હતો. અંધકાર સર્વત્ર વ્યાપી રહ્યો હતો. કાચાપોચાની છાતી બેસી જાય, એ આ દેખાવ હતે. ગઢના દ્વાર બંધ હોવાથી જાટલેકે ગઢની ચેતરફ ઘેરે નાખીને પથરાઈ ગયા. ગઢ ઉપર તથા નીચે બન્ને પક્ષવાળાએ બંદુકના ભડાકાઓ કરવા લાગ્યા. આ તરફ આપણું પનાલાલજી વિ.એ અગમચેતી વાપરીને અગાઉથી જ એક બાહોશ માણસને જોધપુરના. મહારાજા પાસે રક્ષણ આપવા માટેની વિનંતિ કરવા મોકલેલો. એટલે ત્યાં શ્રી જાલમચંદજી વકીલના પ્રયાસથી ૪૫ ઉંટસ્વાર પોલીસ તત્કાલ-રાતોરાત કાપરડાજી આવી પહોંચી. આવતાવેંત જ તે હથિયાર ચલાવવા લાગી, તોફાની જાટલેકેની ધરપકડ શરૂ કરી, અને તેમના મચરકા (જામીન) પણ લેવા માંડી. જાટે પણ પોલીસને જોઈને આમતેમ નાસભાગ કરવા માંડયા. થોડીવારમાં તે ત્યાં સંપૂર્ણ શાન્તિ સ્થપાઈ ગઈ. જાણે કાંઈ બન્યું જ નહેતું. કઈ માણસને કે દેરાસરને અંશમાત્ર પણ નુકશાન થયું નહિ, અને દેવ-ગુરુધર્મના પ્રબળ પુણ્યપ્રભાવનો જયજયકાર વર્તાય. બીજે દિવસે દ્વાદુઘાટન વિધિ પણ અનેરા ઉલ્લાસથી થયે. પૂજ્યશ્રીમાનના અંતરમાં હર્ષને મહાસાગર ઊછળી રહ્યો. તેઓશ્રીના પુનિત હસ્તે આજે એક મહાન્ તીર્થની પુનઃ પ્રતિષ્ઠા થઈ હતી. તેઓશ્રીને ઉપદેશ, પ્રેરણા અને પ્રાણુન્ત કષ્ટ સહીને પણ કરેલા આશાતના નિવારણના પ્રયાસ આજે ફળદ્રુપ બન્યા. ઉદ્ધરવા ધારેલા અનેક મહાતીર્થો પૈકીના એક મહાતીર્થને સાંગોપાંગ ઉદ્ધાર આજે તેઓશ્રીના પવિત્ર હસ્તે થયે. શરીર પ્રત્યે કેળવેલી સંપૂર્ણ નિર્મોહ દશાને લીધે જ આ તીર્થને ઉદ્ધાર તેઓશ્રી કરી શક્યા. કારણકે–આ તીર્થોદ્ધારમાં સહન કરેલું પ્રાણુન્ત કચ્છ તેઓશ્રીએ પોતાના જીવનમાં આ પૂર્વે કે આ પછી કદી અનુભવ્યું નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy