SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રા આવી અલૌકિક અને ચમત્કારિક મૂર્તિ મળવાથી ભંડારીજીના હું ના પાર ન રહ્યો. એ મૂર્તિને મૂળનાયકજી તરીકે સ્થાપવાનું નક્કી થયું. પ્રતિષ્ઠા પ્રસ ંગે દેશદેશાવરના લેાકને નિમંત્રણ પાઠેવવામાં આવ્યા, અને મહેાત્સવ શરૂ થયા. ૧૭૨ સકળસંઘની સમતિ અને સહાયતાથી સ. ૧૬૭૮ની વૈશાખી પૂનમે મહાન્ ઉત્સવ સહિત એ જિનમદિરની તથા મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રભુ-પ્રતિષ્ઠાના મહાન્ લાભ શ્રીભ’ડારીજીએ લીધા. જોકે સૌ કોઈ ની ઇચ્છા અને કાળજી નિયત મુહૂતૅ અને નિયત શુભલગ્ન પ્રતિષ્ઠા કરવાની હતી. પણ ભવિતવ્યતાના કેાઈ વિચિત્ર સચૈાગે પ્રતિષ્ઠાના શુભલગ્નમાં કઈક ફેરફાર થઈ ગયા, જેના ખ્યાલ કેાઈનેય રહ્યો નહિ. ભડારીજી તથા તિવરની ભાવના આમ સફળ બની. કાપરડાજી એક મહાન્ અને બેનમૂન તીર્થ તરીકે વિખ્યાત થયું. વીસમા સકાના અમુક વર્ષ સુધી આ તીર્થની અને આ નગરની આબાદી સારી રહી. પણ ત્યારપછી એની પડતી થવા લાગી. નગર ગણાતું કાપરડા ગામડું બન્યું. સમૃદ્ધ શ્રાવકોના આવાસેાથી રમણીય કાપરડામાં ફક્ત એક જ જૈનનુ ઘર રહેવા પામ્યું. વ્યાપારવણજ ભાંગી પડ્યા. તીની દેખરેખ જોઈએ તેવી નહેાતી થતી. દેરાસર અતિજીણુ થતુ ગયુ, અને તીની આશાતના પણ વધતી ગઈ. દેરાસરના પૂઢિશાના મંડપમાં ઉત્તર-દક્ષિણમાં એ માટી દેરી હતી. તેમાં ચામુંડામાતાની અને ભૈરવજીની મૂર્તિ એ ખરતરગચ્છવાળાએ અધિષ્ઠાયક તરીકે પધરાવેલી, પણુ કાલાંતરે તે અધિષ્ઠાયક- એ જાટલેાકેાના પરિગૃહીત અને માન્યતાવાળા થઈ ગયા. જાટમાછીમારો વિ. લેાકે પેાતાના ખાળાના વાળ ત્યાં-ભૈરવજી સામે જ ઉતરાવવા લાગ્યા. એટલું જ નહિ, પણ પેાતાના તહેવારના દિવસે ભૈરવજીને દારુ (મદિરા) પણ ચડાવવા લાગ્યા. વળી ચામુંડા આગળ ખકરાના વધ કરીને તેના ભાગ પણ ધરાવવા લાગ્યા. દેરાસરની આનાથી વધુ ભયાનક આશાતના શી હાઈ શકે ? ઘેાર અંધકારમાં અબુજી થતાં ટમટમિયાની જેમ કચારેક ખિલાડા તથા પીપાડ ગામના શ્રાવકો અહીં આવતા અને પ્રભુપૂજાદિ કરી જતા. એટલુ' વળી સારૂં' હતું. એમને આ ઘાર આશાતના નિવારવાની ભાવના ઘણી થતી, પણ તે કઈ કરી શકતા નહેાતા. કારણ કેજાટલેાકાની વાતમાં માથું મારવાની કોઈની તાકાત નહાતી. એટલે આવી આશાતના સાંખ્યા સિવાય છૂટકો જ નહાતા. પણ પ્રકૃતિના નિયમ છે કે-વદ પછી શુદ આવે જ આવે.' અહી પણ એમ જ બન્યું. પૂજ્ય પંન્યાસ શ્રી હર્ષ મુનિજી મ. એકવાર અહી પધાર્યાં. તીની આ અવદશા જોઈને તેમના દિલમાં પારાવાર ખેદ થયા. તેમણે તીર્થાહારપ્રેમી શેઠ લલ્લુભાઈ ને ઉપદેશ આપીને આ તીર્થાંના ઉદ્ધાર માટે દશેક હજાર રૂપિયા અપાવ્યા. જોકે-આટલા રૂપિયાથી કાંઈ ઉદ્ધાર થાય તેમ નહાતા, તેાય સમયસર આવેલા એ રૂપિયા ઘણા ઉપયોગી થઈ પડયા. પણ એથીય એ તીની આશાતના ન જ નિવારાઈ. તે તા પૂર્વવત્ ચાલુ જ રહી. અને આથી વધુ દ્વવ્યસહાય ન મળવાથી જિનચૈત્ય વધારે જીણું થતું ગયું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy