SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શાસનસમ્રાટું તેમને વહીવટ વિષયક પૂછપરછ કરી. ભંડારીએ ચગ્ય અને સાચા જવાબ આપતાં મહારાજાની નારાજી દૂર થઈ. તેઓએ પ્રસન્ન થઈને તેમને ૫૦૦ રૂપ્રિમુદ્રાઓની બક્ષિસ સાથે તેમના અધિકારમાં બઢતી આપી. આથી તેમના શત્રુઓ ભેંઠા પડ્યા. ભંડારીજી પણ આ વાતને હર્ષશેક ન કરતાં એને ગુરૂકૃપા તથા પિતાના નિયમને પ્રભાવ સમજ્યા. પિલાં રાજપુરૂષો કે-જેઓ તેમને લેવા ગયેલા અને જેમના મનમાં ભંડારીજીને શિક્ષા થવાની ખાત્રી હતી, તેઓ પણ તેમના નિયમને તથા નિયમ પાલનની દઢતાને પ્રભાવ જોઈને છક થઈ ગયા. ત્યાંથી પાછાં ફરતાં ભંડારીજી કાપરડામાં પેલા યતિજી પાસે ગયા અને સર્વ હકીકત જણાવીને કાંઈ કાર્યસેવા ફરમાવવા માટે સવિનય પ્રાર્થના કરી. યતિજીએ ફરમાવ્યું: ભંડારીજી! બિલાડા પ્રગણાના આ ધનાઢ્ય શહેરમાં એકપણ જિનાલય ન હોય, તે શોચનીય ગણાય. જે કે–અહીં પૂર્વે જિનાલય હતું, પણ યવનેએ તેને ધ્વંસ કર્યો છે, માટે એક જિનાલય બંધાવો. પરમશ્રદ્ધાવંત ભંડારીજીએ આ વાતને સહર્ષ વધાવતાં કહ્યુંઃ ગુરૂજી! આપનું વચન ‘તહતિ છે, દેરાસર બાંધવા માટે આ ૫૦૦ મુદ્રા હું અત્યારે જ સમર્પણ કરૂં છું. જ્ઞાની તિવયે એ થેલી ઉપર વર્ધમાન વિદ્યાથી અભિમંત્રિત વાસક્ષેપ કર્યો. પછી તે થેલી ભંડારીને આપતાં કહ્યું: “આમાંથી તમારે જોઈએ એટલા રૂપિયા નીકળશે. પણ ધ્યાન રાખજે કે-આ થેલીને કદી પણ ઊંધી વાળતા નહિ.” યતિજીની વાત સ્વીકારી, થેલી લઈને તેઓ જેતારણ ગયા. અને યતિજીની સલાહ અનુસાર કુશળ શિલ્પી-સોમપુરા પાસે શુભમુહૂર્ત કાપરડાજીમાં જિનાલયને પાયે નખા. ત્યારબાદ તેમણે સોમપુરા શ્રીજોરાજીને બેનમૂન જિનાલય બાંધવાને હુકમ કર્યો. જેરાએ તે સ્વીકારીને અપૂર્વ-પ્રાસાદ બાંધવા પૂર્વે છ માસ સુધી દેશાટન કર્યું. ગામ ગામના જિનાલયની બાંધણીના નકશા કર્યા. રાણકપુરજીનું દેરાસર તેમને ખૂબ ગમ્યું. તારણ આવીને તેમણે ભંડારીજીને કહ્યું : રાણકપુરના જેવું જ દેરાસર બાંધું ? જવાબ મળે રાણકપુરજી જેવું જ બાંધે તે તમારી અને મારી વિશેષતા શું ? કઈ નવીન પ્રકારનું બાંધે. શિલ્પી કહે તે રાણકપુરમાં ત્રણ મજલા છે. હું અહીં ચાર માળનું બાંધીશ એટલે વિશેષતા થશે. તરત જ તેમને હુકમ મળી ગયે કે-ગમે તેવું બાંધે પણ અપૂર્વ બાંધે. એ અનુસાર સં. ૧૬૭૫માં જિનાલયના કાર્યને શુભારંભ થયે. સેમપુરા જોરાજી નિપુણ હતા. તેમણે શિલ્પશાસ્ત્રના આધારે અને ઈષ્ટબલના પ્રવેગથી મિત્રીપૂર્ણ ભાવનાથી કાર્ય– પ્રારંભ કર્યો. મંદિરનું મુખ્ય દ્વાર ઉત્તર દિશામાં કર્યું. દ્વાર–રચનાની વિશિષ્ટતા એ હતી કે–મંદિરની સન્મુખ બહાર જમીન પર ઊભેલો માણસ અથવા તે જ સ્થાને હાથી પર બેઠેલે માણસ પણ પ્રભુદર્શન કરી શકે. મંદિરનું કામ ઝડપી ચાલવા લાગ્યું. ગુરૂકૃપાથી ધનની તે તંગી હતી જ નહિ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy