SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શાસનસમ્રાટ્ ચેાગ્ય ઉત્તર તેમને કયાંયથી મળ્યા ન હતા. તેમને પૂજ્યશ્રીના અસાધારણ અને સશાસ્ત્રવગાડી જ્ઞાનની જાણ થઈ, એટલે તેઓ પેાતાના પડિતજીને લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રી સાથે વ્યાકરણ, ન્યાય તથા આગમ વિગેરે વિષયેાની ચર્ચા તેઓએ શરૂ કરી. પૂજ્યશ્રીએ પણ તેમના પ્રશ્નોના ઉત્તર આપવા સાથે સામે એવા કૂટ પ્રશ્નો કરવા માંડયા કે ઘડીભર પંડિતજીને પણ જવાબ આપતાં વિચાર થઈ પડયા. પૂજ્યશ્રીની આવી તલસ્પશી છતાં અગવ-વિદ્વત્તા જોઈ ને શ્રીચાંદ્રમલજી તથા પંડિતજીના મન પ્રસન્ન અન્યા. પૂજ્યશ્રી પ્રત્યે તેમને ખૂબ બહુમાન જાગ્યું. પછી દ્વ્રાજીએ નવપદના વર્ણ વિષયક પેાતાની વર્ષોની અણુઉકેલ શંકા પૂજ્યશ્રી પાસે રજૂ કરી. પૂજ્યશ્રીએ એના સમાધાનમાં ફરમાવ્યુંઃ સાહિત્યમાં ‘રસ' અને તેના ૯ ભેદ આવે છે. એ ૯ રસના જુદા જુદા વણાં છે. જેમ-શૃંગાર રસના શ્યામ વર્ણ, શાન્ત રસના શ્વેતવણ વિ. જોકે રસ તા અરૂપી છે. બ્રહ્માન દ-આત્માનંદ સ્વરૂપ છે. છતાંય તેના વણુની સાહિત્યકારોએ કલ્પના કરી, તે તે રસથી થતાં તે તે પ્રકારના અનુભવને આધારે. એ જ રીતે અહીં નવપદના જુદા જુદા વર્તા છે. જેમ શ્રીઅરિહંત દેવના વણુ શ્વેત છે. તે એટલા માટે કે અરિહંત પ્રભુ શુકલધ્યાન ધ્યાઈ રહ્યા છે, અને એ શુકલધ્યાનની તેમની અવસ્થાના ખ્યાલ કરવા માટે આપણે તેમને શ્વેતવર્ણ વાળા માની તેમની આરાધના કરીએ છીએ, સિદ્ધ ભગવતના વણું લાલ હાવાનુ કારણ એ છે કે-તે ઉદ્દીપ્ત અગ્નિ જેવા લાલચેાળ બનીને આ કરૂપ કાષ્ઠને ખાળે છે, એ પરિસ્થિતિનું ભાન કરવા માટે એમની આરાધના લાલ વગે કરાય છે. આચાર્ય દેવને પીળા વણ સૂચવે છે કે-આચાય એ શાસનના રાજા છે. રાજા સેાનાના વિવિધ આભૂષણેાથી શેાલતા હાય છે. સેતુ' પીળું હાય છે. આચાય પણુ રાજા હેાવાથી તેમના પીળેા-કનકવણું મનાય છે. ઉપાધ્યાયજીને લીધે વર્ણ કલ્પવાને હેતુ એ કે-નીલમ રત્નની જેમ તે પણ ખૂબ શીતળ અને આલ્હાદક હાય છે, તેમની કાન્તિ-તેજ પ્રશાન્ત હોય છે, નીલમ લીલુ છે. માટે ઉપાધ્યાયજીની આરાધના પણ નીલવણું કરાય છે. સાધુપણું પાળનાર આત્માએ શરીરના તથા વસ્ત્રાદિના ખાહ્યમળથી જુગુપ્સા—દુગચ્છા ન કરાય. તે તે તેનું આભૂષણ છે, આ વાતની કાયમ સ્મૃતિ રહે, માટે સાધુ-પદની આરાધના શ્યામવર્ણે થાય છે. દનપદ સુદર્શન ચક્ર સમુ` છે. એ ચક્ર ઉજ્જવળ હેાવાથી દર્શન પણ શ્વેતવણુ છે. જેમ અંધકારને નાશક પ્રકાશ, એમ અજ્ઞાનનુ નાશક સમ્યગજ્ઞાન. એટલે એ પણ પ્રકાશક હાવાથી શુકલ છે. એ જ રીતે ચારિત્ર અને મેાહ દુશ્મન છે. માહ-અધારાને ઉલેચનાર ચારિત્ર છે. માટે તેની આરાધના ય શુકલવણે થાય છે. અને નિકાચિત-શ્યામવર્ણો કમ–મલને દૂર કરવા માટે તપપદ પણ શ્વેતવર્ણ આરાધાય છે.” ધાર્મિક અને સાહિત્યિક એ ઉભયદૃષ્ટિએ આવું સુંદર સમાધાન મળવાથી ચાંદમલજી અને પડિતજી સાનંદાશ્ચય પામ્યા. તેમેને અપાર સ ંતાષ થયા. ઘણા સમયથી તેમના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy