SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યશ્રી : અનુભવના મહાસાગર ૧૬૫ વેચવા કહ્યું. પણ અજ્ઞાન લોકોને ફ્લેકેની ગણત્રી ક્યાંથી આવડે? તેઓ તે તોળીને જ વેચવા લાગ્યા. આથી પૂજ્યશ્રીએ શ્રાવકેને ઉપદેશ આપીને તે પુસ્તક ખરીદાવી લીધા. ચાતુર્માસ પૂર્ણ થવાને થોડા દિવસની દિવસની વાર હતી. ત્યારે પૂજ્યશ્રીને મેલેરીયા તાવ આવે શરૂ થયે. આ સમાચાર અમદાવાદ પહોંચતાં શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ સહકુટુંબ ડે. ત્રિકમભાઈને લઈને ફોધી ગયા. ડોકટરે કરેલા ગ્ય ઔષધોપચારથી પૂજ્યશ્રી સ્વસ્થ બન્યા, એટલે તેઓ મારવાડના તીર્થોની યાત્રા કરીને અમદાવાદ ગયા. ચોમાસા પછી પૂજ્યશ્રીએ બીકાનેર તરફ વિહાર કર્યો. વિહારમાં ફલેધીથી બીકાનેર સુધી શ્રીમાણેકલાલજી કચર, શિવદાનમલજી કાનુગા વગેરે ફલોધીને ૨૫-૩૦ શ્રાવક સાથે રહ્યા. બીકાનેરથી આગળના ગામે બીકાનેરના તપા-ખરતરગચ્છીય આગેવાને પૂજ્યશ્રીને વંદનાથે આવ્યા. ત્યાં પૂજા પ્રભાવના-સ્વામીવાત્સલ્ય વિ. શ્ય. બીકાનેરમાં રાંગડી ચેકમાં ખરતરગચ્છને ઉપાશ્રય હતા. ત્યાં શ્રીપૂજ્યનું જોર ઘણું હતું. તે કારણે-વર્ષો પૂર્વે પૂ. શ્રી આત્મારામજી મહારાજ આદિ મુનિવરે અહીં પધાર્યા, ત્યારે શ્રી પૂજાએ તેઓનું સમિયું થવા દીધું ન હતું. આ વખતે પણ બીકાનેરમાં એવી જ ચર્ચા થવા લાગી. એની જાણ થતાં પૂજ્યશ્રીએ આગેવાનને બેલાવીને કહ્યું કેઃ “તમારે સામૈયા બાબતમાં જરાપણ ગભરાવાની જરૂર નથી. સંઘમાં મતભેદ થાય, એવું કાર્ય કરવાની જરૂર નથી. તમે બધાં સામે આવશે, એ મારું સામૈયું જ છે.” પૂજ્યશ્રીની આવી ઔદાર્ય પૂર્ણ-નિખાલસ દષ્ટિ જોઈને આગેવાનને ખૂબ સંતોષ થયે. તેમણે કહ્યું કે સાહેબ ! આમાં કાંઈ વિચારવાની કે મતભેદ થાય એવી વાત છે જ નહિ, આ તે અમારા સંઘના આનંદની વાત છે. અને અમારે સામૈયું કરવાનું જ છે. બીજે દિવસે પૂજ્યશ્રીએ સપરિવાર બીકાનેરમાં ધામધૂમપૂર્વક સ્વાગત પ્રવેશ કર્યો. અહીં મુનિવર્ય શ્રી અમીવિજયજી મ. આદિ મળ્યા. તેઓ તપગચ્છના ઉપાશ્રયે હતા, અને એ ઉપાશ્રય નાને હતું તેથી તથા ખરતરગચ્છીય સંઘની વિનંતિથી રાંગડીચેકના ખરતર ગચ્છના ઉપાશ્રયે પધાર્યા. પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં લેકે સારા પ્રમાણમાં લાભ લેવા લાગ્યા. બીકાનેરમાં શ્રીચાંદમલજી હદ્દા નામે એક પ્રતિષ્ઠિત, ધનવાનું અને આગેવાન ગૃહસ્થ હતા. બીકાનેર-નરેશ તેમને પિતાના કાકા તરીકે માનતા હતા. તેમને વિદ્યાભ્યાસને પણ શેખ હતે. સાહિત્ય-વિષયનું તેમનું જ્ઞાન ઘણું ઊંડું હતું. વિવિધ શાસ્ત્રાભ્યાસના પિતાના શોખને લીધે તેઓએ શ્રીયદયાળ નામના એક વિદ્વાન પંડિતવરને રાખ્યા હતા. તેમની સાથે હંમેશાં તેઓ બે કલાક જેટલો સમય વિદ્યાવિદ તથા ચર્ચા-વિચારણામાં ગાળતા હતા. શ્રીસિદ્ધચક્રજીના નવ પદેના જુદા જુદા વર્ણ શા માટે ? આ પ્રશ્ન તેઓના અંતરમાં કેટલાક સમયથી ઘેાળાતે હતો. તેમણે ઘણું વિદ્વાને પાસે આ પ્રશ્ન રજૂ કરેલે, પણ તેને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy