SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડમાં મૂર્તિમંડન ૧૫૭ કુદરતનું કરવું તે આ પત્ર મંદિરમાગી ગૃહસ્થના હાથમાં આવી ગયે. તે વાંચીને ગઢબેલ તથા બાજુના ગામવાળા મૂ. પૂ. શ્રાવકેએ ભેગાં થઈ, તે પત્ર લખનાર તેરાપંથી પાસે આવે પત્ર લખ્યાની કબૂલાત કરાવીને તેને જ્ઞાતિબહાર મૂક્યો. પૂજ્યશ્રીના આ પ્રદેશમાં પધારવા પૂર્વે આ. શ્રીવિજયવલ્લભસૂરિજી મ. તથા કાશીવાળા આ. શ્રી વિજયધર્મસૂરિજી મ. ને શિષ્ય મુનિશ્રીવિદ્યાવિજયજી મ. આદિ મુનિવરે આ પ્રદેશમાં આવેલા, ત્યારે તેમને આહાર-પાણીની તકલીફ તે ઘણી પડતી જ, પણ કેટલેક ઠેકાણે તે મુસલમાનની મજીદમાં ઉતરવું પડેલું. એટલે આ પ્રદેશને તેઓ સાધુઓના વિહાર માટે એગ્ય લેખતા હતા. પણ સં. ૧૯૭૬માં શિવગંજથી કેસરીયાજીને સંઘ લઈને વિહરતા વિહરતા આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મ. આ પ્રદેશમાં આવ્યા, ત્યારે ત્યાંના શ્રાવકમાં આવું અજબ પરિવર્તન થયેલું જોઈને તેઓ ખૂબ આશ્ચર્ય પામ્યા. જ્યારે તેમણે જાણ્યું કે : પૂ. શાસન સમ્રાટશ્રીને આ બધા પ્રતાપ છે, ત્યારે તેઓએ કહ્યું કે : पूज्य आचार्य महाराज श्रीविजयनेमिसूरीश्वरजी महाराज के पहले मैं जब मेवाड़प्रदेशमें आया था, तब एक भी श्वेतांबर मूर्तिपूजक श्रावक का घर इस प्रदेशमें नहीं था. और आज सैंकडो घर संवेगी बन चुके हैं, और साधु-साध्वी की भक्ति कर रहे हैं, सो पूज्य आचार्य श्रीविजयनेमिसूरीश्वरजी महाराज का प्रभाव है। उनका प्रभावको दिखलाने का प्रयत्न करना सो सूर्यको अंगुली से दिखाने बराबर है।" । આ ઉપરથી જણાય છે કે પૂજ્યશ્રીએ તેરાપંથીઓને ઉદ્ધાર કરીને કેવી અસામાન્ય શાસન-પ્રભાવના કરી હતી ? કેલવાડાથી આગળ વધવાની અને વિચારવાની પૂજ્યશ્રીની ભાવના હતી. પરંતુ સાદડીના શ્રીસંઘને લાગ્યું કે પૂ. મહારાજજી આ રીતે વિહાર કરતાં આગળ જશે તે ઉદયપુર વગેરે મેટાં શહેરેવાળા તેઓશ્રીના ચાતુર્માસાદિને લાભ લઈ લેશે. આપણે એ લાભથી વંચિત રહીશ'. આવા વિચારથી સાદડી-સંઘના આગેવાનો તથા આ. ક. પેઢીના મનીમશી ભાઈચંદભાઈ પદમશી વિ. કેલવાડા આવ્યા. તેમણે પૂજ્યશ્રીને સાદડી પધારવા માટે આગ્રહપૂર્ણ વિનંતિ કરી. તેથી પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શનાએ એ સ્વીકારી અને તેઓશ્રી કેલવાડાથી કમળગઢ ઉપર ચડયા. - આ કેમળ ગઢના નવ ગઢ હતા. એ નવ કિલ્લા ઓળંગીએ પછી રાજમહેલ આવે એવી ગોઠવણી કરવામાં આવેલી. અહીં પૂર્વે ૩૬૦ જિનાલય હતા. જૈનેતરના મંદિરે પણ ઘણુ હતા. કહે છે કે-સંધ્યા સમયની આરતી ઉતરતી, ત્યારે ૯૯ ઝાલર રણકાર એકી સાથે થતો, એને લીધે કમળગઢનું વાતાવરણ પવિત્રતાથી મહેકી ઉઠતું. અચળઢમાં જે પિત્તળના ચૌમુખજી ભગવાન- ૧૪૪૪ મણ વજનના કહેવાય છે, તે પ્રતિમાઓ મૂળ આ કેમળગઢના છે. અહીંયા એક ભવ્ય જિનાલયમાં એ ચૌમુખજી બિરાજતા હતા. પણ જ્યારે એ કિલ્લો તથા શહેર મુસ્લિમોના કજે પડ્યા, ત્યારે આપણું બાહેશ શ્રાવકોએ દીર્ધદષ્ટિ વાપરીને પ્રતિમાજી પર્વતમાગે અચળગઢ પર પહોંચાડી દીધા. (જે અત્યારે પણ અચળગઢમાં બિરાજમાન છે.) પિત્તળિયાજીના મંદિર તરીકે પ્રસિદ્ધ એ પ્રભુજીનું મંદિર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy