SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શાસનસમ્રાટું આ ગુલાબચંદજી બોલ્યા : સાહેબ ! અમારા આચાર્ય કે આર્યા અહીં નહિ આવે. જે મંદિરમાગી સાથે વાત કરીએ તે અમારૂં સમકિત જાય. આ જવાબ સાંભળીને પૂજ્યશ્રીએ બુલંદ સ્વરે કહ્યું: “સમકિત હોય તે તે જાય ને! પણ તમે અત્યાર સુધી આવી વાત કરીને આમતેમ દોડધામ કરતા હતા, ત્યારે તમારું સમકિત ક્યાં મૂકી આવ્યા હતા ?” પછી તેઓશ્રીએ ત્યાં થાણદારને કહ્યું : “જુઓ થાણદાર ! આ લેકે કેવાં જુઠ્ઠાં છે? કારણકે તેઓને મત જ અસત્ છે. સાચો માર્ગ તે મૂર્તિપૂજાને જ છે.” આમ કહીને પૂજ્યશ્રીએ ત્યાં મૂર્તિપૂજાને સચોટ ઉપદેશ ફરમાવ્યું અને છેવટે કહ્યું, “જેને મૂર્તિપૂજાને સાચે માર્ગ સ્વીકારે હેય તે, આવે અહીં અમારી પાસે, અને વાસક્ષેપ નખાવીને સમ્યક્ત્વ ઉચ્ચારી લે.” પૂજ્યશ્રીની આ પ્રેરણ થતાં તે જ વખતે સારાસારને વિવેક સમજનારા ગૃહસ્થ એક પછી એક આવવા લાગ્યા. પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે વાસક્ષેપ નખાવીને સમ્યકૃત્વ ઉચ્ચરવા લાગ્યા. જોતજોતામાં તો ૬૦ ઘર મંદિરમાગી બની ગયા. પૂજ્યશ્રીએ તેમને ઉપદેશ આપતાં ફરમાવ્યું : “તમારે સાચો ધર્મ તે મૂર્તિપૂજાને જ છે. એના પુરાવા તરીકે અત્યારે પણ તમારા પ્રદેશના એકેએક ગામમાં પરમાત્માનું દેરાસર છે. મેવાડના મંત્રીશ્વર ભામાશાહે મહારાણા પ્રતાપને અણુની વેળાએ મદદ કરી હતી. તેના બદલારૂપે કંઈક માગણું કરવાની વાત મહારાણએ કરતાં ભામાશાહે માગણી કરી કે : મેવાડનું કાઈ પણ ગામ એવું ન રહેવું જોઈએ કે જ્યાં જિનમંદિર ન હોય. અને કઈ પણ ગામની નીંવ (પાયો) નખાય-(નવું ગામ વસાવાય), ત્યારે ત્યાં સૌ પ્રથમ શ્રી કષભદેવના દેરાસરને પાયો નખાય, પછી જ બીજાં કામ થાય.” આ માગણીને મહારાણાએ સ્વીકાર કરીને, તેને અંગે હુકમે પણ બહાર પાડેલા. તેના પુરાવા તરીકે અત્યારે પણ તે વખતના શિલાલેખો મોજુદ છે. આ પ્રમાણે સત્ય માર્ગદર્શક ઉપદેશ મળવાથી ગામના ૧૪૫ ઘર ચુસ્ત મંદિરમાગી બની ગયા. ફક્ત પાંચ સાત ઘર જ બાકી રહ્યા. - રિચડથી પૂજ્યશ્રી મજેરા પધાર્યા. ત્યાં તેરાપંથીઓને પ્રતિબંધ આપીને સાચા રહે ચઢાવ્યા. ત્યાંથી કેલવાડા પધાર્યા. અહીંયા પણ તેરાપંથીઓને મૂતિ પૂજક બનાવ્યા. આ રીત મેવાડના નાના–મોટા અનેક ગામોમાં વિચરીને, વિવિધ પરીષહ સહીને પૂજ્યશ્રીએ લગભગ ૭૦૦ તેરાપંથી–કુટુંબને મંદિરમાગી બનાવ્યા-મૂર્તિપૂજાના સાચા માર્ગે ચડાવ્યા. આથી એ પ્રદેશમાં તેઓશ્રી તેરાપંથી-ઉદ્ધારક તરીકે વિખ્યાત થયા. તેઓશ્રીની આવી ખ્યાતિ થવાથી ગબેલના એક તેરાપંથીએ પિતાના આ. શ્રી કાળુરામજી મ. ને તીર્થકર તરીકે નવાજીને પત્ર લખ્યો કે “થોડાંક બોગસ તેરાપંથીઓને જ મૂર્તિપૂજક બનાવી દેવામાં આવ્યા છે. વિ. ૧ આ પત્ર આજે પણ ત્યાંના શ્રાવક પાસે સંરક્ષિત છે. પત્ર લેખકના અવસાન પછી તેના પુત્રાદિ સાથે પુનઃ વ્યવહાર ચાલુ કરાયો છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy