SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ કારણુસર સ્ટેટને અરજી કે ફરિયાદ નહેાતા કરતા, પણ એક સ્ટેટ બીજા સ્ટેટને આવા જેમ યાદી-નેધ મેાકલાવે, તે પ્રમાણે યાદી મેાકલાવતા. જેથી સ્ટેટ તે અડચણા દૂર કરવા ચેાગ્ય કરતુ. અને જુનાગઢ સ્ટેટમાં કોઈ પરદેશી મહેમાન આવવાના હોય, તે પ્રસંગે સ્ટેટ આપણને જણાવતુ, જેથી આપણું સ્ટેટને પ°ત ઉપર ચાગ્ય સગવડ કરી આપતા. ૧૩૮ પણ છેલ્લાં કેટાંક વર્ષોથી જુનાગઢ સ્ટેટને આપણા મૂળગરાસિયા સ્ટેટસ (Mulgiras status) આંખના કણાની જેમ ખૂંચતા હતા. તેણે આપણી જગવિખ્યાત સહનશીલતાના લાભ લઈ ને પર્યંત પર પોતાની સત્તા સ્થાપિત કરવા, અને આપણા પર પરાથી ચાલ્યા આવતા મૂળગરાસિયા હુ નાબૂદ કરવા માટે પર્યંત પર જાતજાતની હરકતા ઉભી કરવા માંડી. જેવી કે: “સ્ટેટની પરવાનગી વિના પર્વત પર ક્યાંય રિપેરકામ ન થાય. દેરાસરના કેટની અંદર આવેલા શેઠ કેશવજી નાયકના બંગલા સ્ટેટે કબજે કરી, ત્યાં સ્ટેટનુ ગેસ્ટ હાઉસ (Gest house) કર્યું. શ્રીનેમિનાથની ટુંકના પ્રવેશદ્વાર ઉપરના આરડા કબજે કર્યાં. કિલ્લાની છૂટી જમીન કબજે કરી, પર્વત પરની જગ્યાએ આપખુદ્રીથી નાગરો અને અન્ય લેાકેાને વેચાણ આપવા માંડી. પાંચમી ટુંક કે-જેને પરાપૂર્વથી આપણે શ્રીનેમિનાથપ્રભુની નિર્વાણ ભૂમિ તરીકે પૂજતા આવ્યા હતા, અને ત્યાં દેરી બાંધી, તેમાં પ્રભુની ચરણપાદુકા પધરાવીને તેની પૂજા કરતા આવ્યા હતા, તે પણ સ્ટેટે ગુરૂદત્તાત્રયના અનુયાયીઓને આઘાતજનક રીતે આપી દીધી. અને તે દેરીના આજ સુધીના સઘળા ખર્ચે આપણે ભોગવ્યો હાવા છતાંય હવે તેની માલિકી સ્ટેટ તરફથી તે ગુરૂદત્તાત્રયના અનુયાયીઓને ફાળે ગઈ. વળી–ડુંગર ઉપર આવેલી ૮૪ એરડાના નામે ઓળખાતી શેઠે નરશીનાથાની ધમ શાળા પણ સ્ટેટે લઈ લીધી. આ અને આવી ખીજી અનેક હરકતાથી આપણું-જુનાગઢની શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી (શેઠ આ. ક. પેઢીની શાખા)એ જુનાગઢની રાજ્યપ્રકરણી કેટમાં (In the Rajprakarani Court of the Junagadhstate) પોતાના મૂળગરાસિયા સ્ટેટસ માટે સ્ટેટ-વિરૂદ્ધ કેસ કર્યાં. અને એ કેસમાં ખ્યાતનામ ખારિસ્ટર ડી. બી. શુકલ (Barrister at law)ને આપણા તરફથી રોકવા. મૂળગરાસિયા સ્ટેટસ-કે જે આપણને પરંપરાથી મળેલા તે જો આપણને પાછો મળી જાય તેા આપણી પર્વત પરની બધી ટુંકા—જગ્યાએ વિગેરે પુનઃ આપણી માલિકીના થાય, અને તેથી પાંચમી ટુક–કે જે આપણી જ હતી, તે પણ આપણી થાય. એ હેતુપુરઃસર આપણે મૂળગરાસિયા સ્ટેટસ મેળવવા માટે કેસ દાખલ કરેલે, પણ એ કેટ માં આપણને સફળતા ન મળી. એ કેટે આપણી મૂળગરાસિયા સ્ટેટસની માંગણી નામ ંજૂર કરી (ઈ. સ. ૧૯૧૦, વિ. સ. ૧૯૬૬માં.) આવા ચુકાદો મળવાથી આપણે આગળ વધવાના– જુનાગઢની હજુર કાટ॰માં (In the Hazur Adalat of the Junagadh State) અપીલ (Appeal) કરવાના નિણૅય કર્યાં. તે વખતે પણ ખારિસ્ટર તરીકે શ્રી શુકલને જ રાકયા. આ વખતે આપણા પૂજ્યશ્રીમાને અઢળક પુરાવાઓ- શાસ્ત્રપાઠી વિ. ઘણા જ પરિશ્રમથી એકત્ર કરેલ. ગાકળદાસ અમથાશાહ પાસે તેઓશ્રીએ ઇંગ્લીશમાં લીલા તૈયાર કરાવી, અને કેસ લડવા માટે ચીવટલયુ" માર્ગદશન તેઓશ્રી શ્રેષ્ઠવરાને આપવા લાગ્યા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy