SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પેઢીના પૂર્વ-ઇતિહાસ, બંધારણની પુનર્રચના, અને ગુરૂભક્ત શ્રેષ્ઠિ'ને સ્વર્ગવાસ. થડે દૂર ગયા, ત્યાં તેા વળી એક આશ્ચર્યકારક દૃશ્ય નજરે પડયું. જાણે આજના દિવસ આશ્ચર્ય ને દિવસ જ હતા. ખરાખર માના મધ્યમાં એક નીલવરણા નાગરાજ કુંડલાકારે બેઠા હતા, અને ફણાને છત્રવત્ ફેલાવીને ડાલી રહ્યો હતા. આ દૃશ્ય જોઈને પૂજ્યશ્રીને થયું કે: “નક્કી આ અધિષ્ઠાયક-દેવને જ પ્રભાવ છે. આપણે ખેાટા રસ્તે ચડી ગયા છીએ, માટે આપણને સત્ય માર્ગ ખતાડવા માટે જ તેઓ આ પ્રમાણે કરે છે.” આવા વિચાર આવવાથી તેઓશ્રી ત્યાં જ બેઠા. અને હવે પાછા જવુ કે આગળ વધવુ તેની વિચારણા કરવા લાગ્યા. ત્યાં તે ૧૨૭ ફરીવાર આકાશમાં વીજળી ઝબૂકે એમ દિવ્ય-વાણી પ્રગટી; “તમે આ જમણે રસ્તે જાવ, તે રસ્તે એક શ્વેત ખેતર આવશે, તેમાં રહેલી પગદંડીએ ચાલશે। તા તમારા અભીષ્ટ ગામની નજીકમાં જવાશે.” આ વાણી વિરમ્યા પછી પૂજ્યશ્રીએ પુનઃ પૂર્વવત્ વાણીના વદનારને આહ્વાન કર્યું. પણ પ્રત્યુત્તરમાં શૂન્ય. આથી તેઓશ્રીને દૃઢ નિશ્ચય થઈ ગયા કે-શ્રી શેરીસામહાતી ના જાગૃત અધિષ્ઠાયક દેવના જ આ પ્રભાવ છે અને એમણે જ આકાશવાણી તથા સરૂપ • કરવા દ્વારા આપણને સાચા રસ્તા ખતાવ્યો છે. તરત જ તેઓશ્રી સપરિવાર જમણે રસ્તે ચાલ્યા. થાડે દૂર ગયા તે સાચે જ એક શ્વેત (કપાસનુ) ખેતર આવ્યું. તેમાં કેડી-રસ્તા પણ હતા. એ રસ્તે ચાલ્યા, અને ઘેાડી વારમાં તા ઓગણજ ગામ આવી ગયું. માગશર સુદ ૧૦ ને એ દિવસ હતા. મહાપુરુષાને દેવા પણ સહાય કરે, તે આનું નામ. [૩૨] પેઢીના પર્વ –ઇતિહાસ, અધારણની પુનરચના, અને ગુરૂભકત શ્રેષ્ઠિવના સ્વર્ગવાસ. મૌન—એકાદશીની મંગળ આરાધના ઓગણજમાં કરીને ખારશના દિવસે પૂજ્યશ્રી અમદાવાદ પધાર્યા. પ્રવેશ-સમયને વાર હાવાથી તેઓશ્રી એલીસબ્રીજ તરફ આવેલા નગરશેઠના ૧રસાલાવાળા બંગલે બિરાજ્યા. અહી' નગરશેઠ કસ્તુરભાઇ, શેઠ મનસુખભાઈ, જમનાભાઈ, પુરુષાતમભાઈ મગનભાઈ, દલપતભાઈ મગનભાઈ, વિગેરે શ્રેષ્ઠિ-શ્રાવકો વંદન માટે આવ્યા. તે સમયે પૂજ્યશ્રીએ તેમને બધાંને શેરીસાની વાત જણાવી અને કહ્યુ કેઃ “ફ્કત ૧૫ માઈલ જ દૂર હાવા છતાંય આ તીથની કોઇએ ખખર રાખી નથી, એ ખેદકારક વાત છે. હવે તે આવી આશાતના ન થાય તેવી તકેદારી સૌએ રાખવી જ જોઈ એ. હવે આ પ્રાચીન મહાતીના ઉદ્ધાર કરવા જેવા છે.” ૧. જ્યાં હાલ સિધ્ધ સંન્યાસાશ્રમ' છે, તે જગ્યાએ નગરશેઠના રસાલાવાળાને બગલા હતા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy