________________
૮૯
સૂરિચક્રચક્રવતી
ખંભાતમાં છેકરાઓને ધાર્મિક શિક્ષણ માટે સ્થાન હતુ.. પણ છેકરીએને માટે એવું કાઈ સ્થાન ન હેાવાથી તેમને પણ ધાર્મિક-વ્યવહારિક શિક્ષણ મળે એ હેતુથી પૂજ્યશ્રીએ શ્રી સંઘને ઉપદેશ આપીને શ્રી વૃદ્ધિવિજયજી જૈન કન્યાશાળા” ની સ્થાપના કરાવી.
કન્યાશાળા માટે પૂજ્યશ્રીના ઉપદેશથી ભાવનગર તેમજ અમદાવાદના ગૃહસ્થા તરફથી એક મકાન વેચાણ લેવામાં આવ્યું. તેમાં કન્યાશાળા ચાલવા લાગી. ખંભાતના શ્રીસ ઘે એ કન્યાશાળાના નિભાવ માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી કાયમી અને સારૂં' એવું નિભાવક્ડ કર્યું.
ચામાસા પછી-પૂજ્યશ્રીને કાઠિયાવાડ તરફ પધારવા માટે વડીલ ગુરૂબંધુ પૂ.પ. શ્રી. ગંભીરવિજયજી મ. તરફથી વાર વાર પ્રેરણા થતી હતી. તેએશ્રીએ ભાવનગરના આગેવાનાને વિનંતિ કરવા પણ મોકલ્યા હતા. વળી ચાલુ વર્ષીમાં (૧૯૬૪માં) ભાવનગરમાં અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક કેન્ફરન્સનું અધિવેશન ભરાવાનું હતુ, જેના પ્રમુખ શેઠ શ્રી મનસુખભાઇ ભગુભાઈ થવાના હતા. તેમની પણ તે અંગે ત્યાં પધારવાની આગ્રડભરી વિનંતિ હતી. પણ કલેાલમાં પૂજ્યશ્રીના ઉપદેશથી શેઠ જમનાભાઈ તરફથી તૈયાર થયેલા જિન-મદિરની પ્રતિષ્ઠા કરાવવાની હાવાથી તેઓશ્રીએ એ પ્રતિષ્ઠા કરાવ્યા પછી ભાવનગર તરફ જવાના વિચાર રાખ્યા.
તદન તર પૂજ્યશ્રી ખંભાતથી વિહાર કરી અમદાવાદ પધાર્યા. ત્યાં ૮ વિસ સ્થિરતા કરીને કલાલ પધાર્યાં. મુનિવરશ્રી મણીવિજયજી મ. ના શિષ્ય મુનિશ્રી કમલવિજયજી મ. ને પૂજ્યશ્રીએ વડી દીક્ષા આપી
ખંભાતમાં ઉપધાનની પૂર્ણાહૂતિ વખતે શા. અંબાલાલ પ્રેમચંદ નામના એક શ્રાવકે ઉપધાન કરવાની પોતાની તીવ્ર અભિલાષા દર્શાવી. તેથી તેમના ઉપર અનુગ્રહ કરીને પૂજ્યશ્રીએ તેમને ઉપધાનમાં દાખલ કર્યો. અને વિહારમાં સાથે રાખીને ઉપધાનની ક્રિયા કરાવી. તે ભાઈ ને અહી...કલેાલમાં પૂજ્યશ્રીએ માળારોપણ કર્યું. તેને લાભ શેઠશ્રી જમનાભાઈ એ લીધે.
શેઠ મનસુખભાઇ એક ધનવાન વ્યાપારી તરીકે, તથા જૈનધર્માંના અગ્રણી શ્રાવક તરીકે સત્ર વિખ્યાત હતા. તેમની કારકિર્દીની સુવાસ મેટાં મેટાં રજવાડાઓમાં પણ ફેલાયેલી હતી. તેથી આ પ્રતિષ્ઠા પ્રસંગે તેમના નિમ...ત્રણથી વડોદરાનું રાજકુટુંબ આવ્યું હતું. અમદાવાદથી પણ અનેક જૈન-જૈનેતરી આવ્યા હતા.
પ્રતિષ્ઠા-મહાત્સવ મંડાયેા. દિવસે દિવસે ઉમંગના રંગ વધતા જ ગયા. શેઠની ભક્તિ અને ભાવના અદ્ભુત હતી. ધનવ્યય પણ તેમણે ઘણા કર્યાં. સૌના સહકાર પણ હતા. એટલે મહેાત્સવમાં કાઈ અનેરા ઉત્સાહ વર્તાવા લાગ્યા.
મહાશુદ્ધિ પાંચમના મંગલમય દિવસે પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે એ જિનાલયની પ્રતિષ્ઠા થઈ. કહેવાય છે કે આવા પ્રતિષ્ઠા-મહે।ત્સવ તે સમયમાં કાઈ ઠેકાણે નહેાતા થયા.
પ્રતિષ્ઠા પછી પૂજ્યશ્રી શ્રીભેાયણીતી ની મહાશુદ ૧૦ ની વષઁગાંઠ પ્રસંગે ત્યાં પધાર્યા. શ્રીમલ્લિનાથ પ્રભુની યાત્રા કરી. વ’ગાંઠ પણ્ ઉત્સવની જેમ ઉજવી. એ પ્રસ ંગે શેઠ મનસુખભાઈ તથા જમનાભાઈ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નવકારશી કરવામાં આવી,
૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org