SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રસ્પર્શનાના પ્રભાવ પૌત્ર શ્રી ગોવરધન અમુલખ, કે જે દ્રુઢીયા ધમ પાળતા હતા, તેઓને પૂજ્યશ્રીએ ઉપદેશ આપ્યા. તેમને મૂર્તિ પૂજાની મહત્તા અને આવશ્યકતા શાસ્ત્રાધારે સમજાવી. તેથી તે તથા બીજા ઘણા હુઢકપ'થી ગૃહસ્થે પ્રતિબેધ પામ્યા, અને પેાતાના કઢાગ્રહ ત્યજીને મૂતિ`પૂજાની સન્મુખ અન્યા. મૂર્તિ પૂજાના આ સન્માર્ગોમાં તેઓ દૃઢ બને, એ માટે દેરાસરરૂપ આલંબનની તેમને જરૂર હતી. એને માટે પૂજ્યશ્રી ભાયણીજીની યાત્રા કરીને જ્યારે અમદાવાદ પધાર્યા ત્યારે તેઓશ્રીએ શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઈ ને ઉપદેશ આપ્યા. તેમણે એ ઉપદેશ ઝીલી લીધેા, અને પેાતાના સ્વ. ધર્મ પત્ની શ્રીસમરથ બહેનના સ્મરણાર્થે તેમણે જીÍદ્ધાર માટે સારી રકમ આપી. ૮૩ ત્યારબાદ શેઠ જેસીગભાઈ ને (હઠીસિંગ કેસરીસિંગવાળા) ઉપદેશ આપીને તેમની વાડીમાં (જેસીગભાઈની વાડીમાં) સુન્દર જિનપ્રાસાદ અનાવરાવ્યેા. સ. ૧૯૬૨માં પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે પાંચ મુમુક્ષુ ભાઈ એની દીક્ષા થઈ. ૧. અલોલના વતની એક શ્રાવકને દીક્ષા આપી, તેમનું નામ મુનિશ્રી પ્રમેાદવિજયજી રાખી પેાતાના શિષ્ય પં. શ્રી સુમતિવિજયજી મ. ના શિષ્ય મુનિશ્રી ઋદ્ધિવિજયજી મ. ના શિષ્ય કર્યાં. ૨. લી’બેદરાના એક ગૃહસ્થને દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી પ્રભાવવિજયજી મ. રાખી, પેાતાના શિષ્ય કર્યો. ૩. પેથાપુરના એક ભાઈ ને દીક્ષા આપી, તેમનુ નામ મુનિશ્રી શુભવિજયજી રાખીને પેાતાના પ્રશિષ્ય મુનિશ્રી ઋદ્ધિવિજયજીના શિષ્ય કર્યાં. ૪. પાટણના વતની શા. ઘેલા આકમચંદના સુપુત્ર શા. અમૃતલાલના ચિરંજીવીશ્રી ભીખાભાઇ નામના કિશારને દોક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી વિજ્ઞાનવિષયજી મ. રાખી, તેમને સ્વશિષ્ય અનાવ્યા. આ ચાર દીક્ષાએ અમદાવાદમાં આપી ત્યાંથી વિહાર કરીને પૂજ્યશ્રી ખંભાત પધાર્યાં. પૂર્વે ખંભાતમાં સ્થાપેલી ‘જંગમ પાઠશાળા' ચાલુ જ હતી. તેના બુદ્ધિશાળી વિદ્યાથીએ --શેઠ પુરુષાત્તમભાઈ પોપટલાલ, શેઠ દલસુખભાઈ કસ્તુરચંદ, શ્રી ઉજમશીભાઈ ઘીયા વગેરે કિશોરો તથા યુવાનો પૂજયશ્રી પાસે અભ્યાસાર્થે આવતા. પૂજ્યશ્રીના ઉપદેશથી એ બધાંએ ચૈત્રમાસની શ્રી નવપદજીની શાશ્વતી એળી વિધિપૂર્વક એક ધાન્યના આંખેલથી કરી. ૫. એ સર્વ વિદ્યાર્થી એમાંથી શ્રી ઉજમશીભાઈ ઘીયા, કે જેમણે ‘જ’ગમ પાઠશાળા'માં ‘ચન્દ્રપ્રમાં જ્યારળ’ આદિ વિશિષ્ટ ગ્રન્થોનું અધ્યયન ૧૬ વર્ષની કિશાર-વયે કરેલુ, તેમને સંસારના ત્યાગ કરી સંયમ લેવાની ભાવના જાગી. તેમણે મનમાં દૃઢ–સંકલ્પ કર્યાં કે દીક્ષા લેવી જ. ત્યાર પછી તેમણે પૂજ્યશ્રીને પેાતાના સકલ્પ-નિશ્ચય નિવેદિત કરીને પોતાને પ્રયા આપવા માટે વિનંતિ કરી. એમનેદીક્ષા આપવા માટે શેઠ પુરૂષાત્તમદાસભાઈ એ સંમતિ આપી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy