________________
યેાગાદહન
૭૧
પૂજ્ય પંન્યાસજી મ. ની વિદ્વત્તા અને ગીતાતા તે સમયે સુવિખ્યાત હતી. અને તેથી તેઓશ્રી અમદાવાદ તરફ બહુ ન વિચરેલા હોવા છતાંય તેમના પ્રત્યે લેાકાને અખૂટ સ્રાવ હતા.
અમદાવાદના શ્રીસંઘની આગ્રહભરી વિન`તિ થવાથી તેઓશ્રીએ તે સ્વીકારી, અને અમદાવાદ તરફ વિહાર કર્યાં. અનુક્રમે તેએશ્રી સરખેજ પધારતાં આપણા ચરિત્રનાયકશ્રી આદિ મુનિવર્યા ત્યાં લેવા માટે ગયા.
પૂ. પંન્યાસજી મ. ના પ્રવેશ-મહેાત્સવ અમદાવાદના શ્રીસ ંઘે ઘણા આડંબરથી હાથીના સામૈયા સાથે કર્યાં. પૂ. શ્રી ખુટેરાયજી મ., પૂ. શ્રીમૂળચંદજી મ., આદિ પૂજ્ય પુરૂષ ઉમ ફાઈની ધમ શાળાએ ઉતરતા હાવાથી પૂ. પંન્યાસજી મહારાજે પણ પ્રથમ મંગલાચરણુ ત્યાં કર્યું અને ત્યાંથી પાંજરાપેાળ-ઉપાશ્રયે પધાર્યાં, અને સ’. ૧૯૫૭નું ચાતુર્માસ બધાંએ સાથે ત્યાં જ કર્યું. પૂજ્યશ્રીએ પૂજ્ય પંન્યાસજી મ. ની નિશ્રામાં ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ આદિ સૂત્રાના ચેગેાદ્વડનના પ્રારંભ કર્યાં.
આ ચામાસામાં પાંજરાપેાળની પાઠશાળાનુ કામ મઢ પડી ગયુ. તેથી પૂજ્યશ્રીએ વિચાયું કે--બાળકોને ધાર્મિક સાથે વ્યાવહારિક શિક્ષણ અપાય, તે જ પાઠશાળા ચાલશે. તેઓશ્રીએ મનસુખભાઈ શેઠને એ માટે પ્રેરણા કરી. એના ફલસ્વરૂપે શેડ તરફથી ધાર્મિક સાથે વ્યાવહારિક શિક્ષણ આપતી શાળા (School) ખેલવામાં આવી. તેમાં ધાર્મિક શિક્ષક તરીકે ‘જંગમ પાઠશાળા'માં ભણીને તૈયાર થયેલા શ્રી ઉમેદ્ઘચંદ રાયચંદ્ર માસ્તર ખંભાતવાળાની નિમણુંક કરી.
ચે!માસું ઊતર્યાં પછી પૂ. પ ંન્યાસજી મ. ના ડૅસ્તે ભાવનગરવાળા શા. હરજીવન સવચંદે, તથા ડાહ્યાલાલ, તથા એક ધેાલેરાવાળા ભાઈ, એમ ત્રણ મુમુક્ષુએને દીક્ષા આપવામાં આવી. હેરજીવનદાસનુ નામ મુનિશ્રી નયવિજયજી રાખીને પૂજ્યશ્રીના શિષ્ય કર્યાં. તથા બીજા બેનાં નામ અનુક્રમે મુનિશ્રીકાન્તિવિજયજી તથા મુનિશ્રીકુમુદ્રવિજયજી રાખીને પૂ. મુનિશ્રીમણિવિજયજી મ. ના શિષ્ય કર્યાં. આ શ્રીમણિવિજયજી મહારાજ, પૂ. શ્રી આન દેસાગરજી મ. ના. સ`સારિક-અવસ્થાના સગા ભાઈ હતા.
સ. ૧૯૫૮ નું ચામાસુ' પણ અમદાવાદ જ થયુ. આ એ વર્ષ દરમ્યાન પૂજ્યશ્રીએ શ્રી ભગવતીજી સૂત્ર સિવાય અન્ય તમામ આગમાના ચાગ વહી લીધા. ૧૯૫૮ની સાલમાં શ્રીપાલિતાણામાં પૂજય મુનિવર શ્રીદ્વાનવિજયજી મહારાજ ક્ષયના વ્યાધિથી અષાડ શુદ ૧૩ નારાજશ્રી ગિરિરાજનું સ્મરણ કરતાં કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીને આથી અપાર ખેદ થયા. તેઓશ્રીને તેમના વિદ્યાગુરૂના વિયેાગ થયા હતા.
ઝવેરી ટાલાલ લલ્લુભાઈ વિદ્યાશાળા ઉપાશ્રયના આગેવાન ટ્રસ્ટી ( Trustee) હતા. પણ પૂજ્યશ્રી ઉપરના દૃઢ ભક્તિભાવને લીધે તેમણે ૧૯૫૮નું ચાતુર્માસ-પરિવતન પેાતાને ત્યાં કરાવ્યું. ત્યાંથી તેએ પૂ. ગુરૂદેવાને વિદ્યાશાળાના ઉપાશ્રયે લઈ ગયા. ત્યાં પૂ. પંન્યાસજી મ. તથા પૂજ્યશ્રીએ મુહપત્તિ હાથમાં રાખીને વ્યાખ્યાન વાંચવાની શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે જ વ્યાખ્યાન વાંચ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org