________________
૧૮
બાબત સમજવી જોઈએ. જે કંઈ બનવાનું છે તે બને જ છે એમ જે કંઈ બનવાનું હતું તે જ બન્યું છે એમ સમજાય છે. વિધિને ગમ્યું તે ખરું.
ઉપરોક્ત વ્યવસ્થિત ક્રમને ન તો ઈન્દ્ર ફેરવી શકે, ન તે જિનેન્દ્ર ફેરવી શકે. આ હકીક્ત કઈ પણ આઘાતજનક દુઃખદ પ્રસંગનું સુખદ સમાધાન ગણાય. સમજુને જિનશાસનને કે ઉપકાર ! જીવ માત્રના બધા સંબંધો “સંગી હોય છે અને વીજળીના ઝબકારાની જેમ વિગ” આવી પડે છે. રે સંસાર !
એમ પણ કહેવાય છે કે સારા સરળ ભેળા દિલને મનુષ્ય યુવાન વયમાં મરણ પામે છે. “શહાણું માનુષ લાભત નહિ” એમ મરાઠીમાં કહેવાયેલું છે. જેને ઇશ્વર ચાહે છે તે યુવાનીમાં મરણ પામે છે. Those whom the gods love die young. કેટલીક વાર તે કુટુંબને એકને એક પુત્ર મરણ-શરણ થાય છે.
કર્મની ગતિ ન્યારી છે : બધા જ કર્મવશ છે.
ભાઈ શ્રી ધનંજયનો જન્મ સંવત ૨૦૦૮ના ભાદરવા સુદિ ૧૧ ના અમદાવાદના સમૃદ્ધ ઝવેરી કુટુંબમાં થયો હતો. જૈન ધર્મના સંસ્કારો અને શુદ્ધ આધ્યાત્મિક વિચારો ધરાવતા તેમના પિતા શ્રી કાન્સિાલ મોહનલાલ ઝવેરી તેમજ માતા વિદ્યાબેનના સંસ્કાર સિંચનથી શ્રી ધનંજયનું જીવન દિન-પ્રતિદિન નવપલ્લવિત થતું ગયું.
- શાંત સરળ બાલ્યવય અભ્યાસ તથા રમત ગમતમાં વીતાવી કોલેજનું વિદ્યાર્થી જીવન શરૂ થયું અને ગુજરાત યુનિવર્સિટીની બી.કેમ.ની ડીગ્રી લઈવેપારી જીવન શરૂ કર્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org