SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યાવત–સૂર્યકુંડને મહિમા વનમાં રોઝ થશે. તે વનમાં તે મુનિ આવીને કાયોત્સર્ગમાં રહ્યા. તે ઠેષથી મુનિને પીડા કરવા લાગ્યું. તેમણે રેઝને મારી નાંખ્યું. તે ઉજજયણ પાસે, વડની પિલાણમાં, મહાઝેરી સર્પ થયો. તે મુનિ આવીને વડ નીચે કાર્યોત્સર્ગમાં રહ્યા. મુનિને જોતાં સર્પને છેષ પ્રગટ. મુનિને દંશ મારવા દે. મુનિએ તપની શક્તિથી તેને મારી નાખે તે દરિદ્ર બ્રાહ્મણનો પુત્ર થયો. મુનિ વિહાર કરતાં તે ગામમાં આવ્યા. ત્યાં બહાર મુનિ બેઠા. પેલે બ્રાહ્મણ પુત્ર મુનિને જોઈને પૂર્વના સંસ્કારથી મારવા ધ. લાકડીથી પ્રહાર કરતાં તે બ્રાહ્મણ પુત્રને ક્રોધથી મુનિએ મારી નાખે. અકામ નિર્જરાથી કોઈક પુણ્યના ઉદયે કાશીમાં મહાબાહુ રાજા થયે. રાજ્ય કરતાં એક વખત મહેલના ઝરુખામાંથી, સમતા સાગર મુનિને જોયા. મનમાં વિચાર આવ્યું. સમતા સાગર મુનિને જોઈને મને કેમ પાપ બુદ્ધિ થાય છે? તે વિચારતાં જાતિ સ્મરણ જ્ઞાન થતાં, પૂર્વના પિતાના પક્ષી, ભિલ્લ, સિંહ, વ્યાઘ, રેઝ, સર્પ, બ્રાહ્મણ અને રાજા એમ ભવે જોયા, અને પૂર્વ ભામાં ત્રિવિકમ મુનિથી પિતે મરાયો, તે જોયું. આથી રાજાએ પોતાના ભને અર્થે શ્લેક લખ્યું અને જાહેર કર્યું કે આ મારા અર્ધા શ્લોકને જે પૂરશે તેને લક્ષ સેનામહોર આપીશ. લોભી સઘળા વિદ્વાને તે પૂરવા પ્રયત્ન કરે છે. કેઈથી તે શ્લેક પૂર્ણ કરાતું નથી. તેવામાં ત્રિવિક્રમ મુનિ વિચરતા ત્યાં આવે છે. પેલા અર્ધા ક્ષેકને સાંભળે છે. પિતાને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. તેથી પોતે ઉત્તરાર્ધ પૂરી આપે છે. જેણે આ સાતને કોધથી હયા છે, તેનું ખરેખર શું થશે? મુનિએ પૂરી કરેલી સમશ્યા લઈને એક પામર દરબારમાં જાય છે, અને રાજાને કહે છે. રાજા વિચારે છે કે આ સમસ્યા આ પામરથી પૂર્ણ ન થાય. રાજાએ તેને પૂછ્યું. “હે વિદ્વાન્ આ સમશ્યા પૂરનાર કોણ છે? તે મને જલદી કહે.” તેણે રાજાના આગ્રહથી કહ્યું કે-આ શ્લેકને પૂરનાર મુનિ જંગલમાં પધાર્યા છે. તેમણે આ સમશ્યા પૂરી છે. (શ. મા. પૃ. ૮૦), આ વાત સાંભળીને રાજા મુનિને મળવાની ઈચ્છા વળો થયેલ, સિન્ય સાથે વનમાં આવે. પૂર્વ જન્મના જ્ઞાનથી, મુનિને વંદન કરી કહેવા-લાગે કે મને મારા અપરાધની ક્ષમા આપે. આપના પ્રતાપે આ રાજ્યને પામે છું. આવું રાજાનું વચન સાંભળી, મનથી મુનિએ ક્રોધ ઉપર કાબૂ મેળવી રાજાને કહ્યું, કે ધિક્કાર માને છે કે મુનિ થવા છતાં પાપી એવા મેં, અનેક તારા ભવમાં તારે નાશ કર્યો. મેં મારું જ્ઞાનરુપ વૃક્ષ મૂળમાંથી ઉખેડી નાખ્યું. આમ રાજા અને મુનિ વાત કરે છે, ત્યાં આકાશમાં દુન્દભિને નાદ થયે. આકાશમાં જોતાં, દેએ જણાવ્યું કે ઉદ્યાનમાં કેવલી ભગવાન પધાર્યા છે. (૩૫) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy