________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન
શુકરાજનુ રાજ્ય મને આપ. દેવીએ કહ્યુ દૃઢ સમ્યક્ત્વી તેની આગળ મારું કાંઈ ન ચાલે. તેણે કહ્યું “તું વરદાન ન દે” તેા પછી મારું કામ કેમ ન થાય ? ત્યારે દેવીએ કહ્યું કે શુકરાજ જ્યારે બહારગામ જાય ત્યારે તેના રાજ્યમાં તુ જજે, તે વખતે તુ* શુકરાજા જ દેખાશે. દેવી અદૃશ્ય થઈ ગઈ, ચદ્રશેખર ખુશી થયા. ચદ્રાવતીને આ બધી વાત કહો,
રાજ્ય પર ચન્દ્રશેખર
એક વખત તીર્થ યાત્રા કરવા, શુકરાજ અને રાણીઓ સાથે દેવતાની પેઠે વિમા નમાં બેસીને, યાત્રા કરવા નીકળ્યેા. ચદ્રાવતીએ ચંદ્રશેખરને સમાચાર આપ્યા. તે આવ્યા. તેનું સ્વરૂપ શુકરાજ જેવુ થયુ. લેાકેા શુકરાજ સમજવા લાગ્યા. તેણે નાટક રચ્યુ'. રાત્રીએ ખૂમ પાડી કે કોઈ વિદ્યાધર મારી બે સ્ત્રીઓને હરીને જાય છે. ચન્દ્રશેખર કપટથી દુઃખવાળી મુદ્રા કરીને રહ્યો. ચન્દ્રાવતી પર પ્રીતિ રાખીને રાજ્ય કરવા લાગ્યા.
શુકરાજ વિમલાચલની યાત્રા કરીને શ્વસુરાલયમાં ગયા. થોડા વખત ત્યાં રહ્યો. પછી પાતાના નગરના ઉદ્યાનમાં આવ્યો. ઝરુખામાં બેઠેલા ચન્દ્રશેખરે શુકરાજને આવતા જોયો એટલે હાહાકાર મચાવ્યેા. મારી એ સ્ત્રીઓનુ હરણ કરનાર વિદ્યાધર આવે છે. માટે એને મારીને પાછા હઠાવા. મત્રીઓ વગેરે ત્યાં ગયા. શુકરાજ વિમાનમાંથી ઊતર્યા. મંત્રીએ પ્રણામ કરીને કહ્યું કે હે વિદ્યાધર અમારા સ્વામીની એ સ્ત્રીઓને લઈને આપ ગયા છે તે પણ આવ્યા, તે આપ આપના સ્થાન પર પધારો.
ત્યારે શુકરાજ મંત્રીને કહેવા લાગ્યા કે- શુકરાજ છું. તમે આ શું ખેલે છે? ત્યારે મંત્રીએ કહ્યું કે અમારા સ્વામી શુકરાજ તેા મહેલમાં બિરાજમાન છે. માટે આપ જલ્દીથી અહિંથી જતા રહેા. થુકરાજને થયુ` કે કોઈ મારું રુપ કરીને રાજ્યમાં આવ્યા છે,
મૃગધ્વજ કેવલી પાસે શુકરાજ
આમ થવાથી શુકરાજ વિમાનમાં બેસીને પાછે ગયા. માર્ગોમાં જતાં સૌરાષ્ટ્રમાં પર્વત પર વિમાન રાકાયું, તેથી વિમાનમાંથી ઊતરી રોકવાનું કારણ શેાધવા લાગ્યા, એટલામાં પેાતાના પિતા રાજર્ષિ ભૃગધ્વજને જોયા. તે સુવના કમલપર શાભતા હતા, દેવતાઓ હાજર હતા. ભક્તિથી વંદન કરીને શુકરાજ સતાષ પામ્યા, અને આંસુવાળી આંખાવાળા તેણે રાજ્ય હરણ વગેરે પાતાનેા વૃત્તાંત કહ્યો. રાજઋષિએ કહ્યું કે પૂ કર્મના આ દોષ છે.
Jain Educationa International
(૨૬)
For Personal and Private Use Only
www.jainelibrary.org